મહારાષ્ટ્રમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો, 24 કલાકમાં નોંધાયા નવા 1500 પોઝિટિવ કેસ!

|

Sep 29, 2020 | 11:25 AM

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી છે કે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1495 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ છેલ્લાં દિવસોમાં નોંધાયેલાં સૌથી વધારે પોઝિટિવ કેસમાંથી એક છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે રાજ્યમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ફક્ત મુંબઈ શહેરમાં 40 લોકોના મોત થયા છે. પૂણેમાં કોરોનાના લીધે 6 […]

મહારાષ્ટ્રમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો, 24 કલાકમાં નોંધાયા નવા 1500 પોઝિટિવ કેસ!
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી છે કે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1495 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ છેલ્લાં દિવસોમાં નોંધાયેલાં સૌથી વધારે પોઝિટિવ કેસમાંથી એક છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે રાજ્યમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ફક્ત મુંબઈ શહેરમાં 40 લોકોના મોત થયા છે. પૂણેમાં કોરોનાના લીધે 6 લોકોના મોત, જલગાવમાં 2, સોલાપુરમાં 2, ઓરંગાબાદમાં 2 અને 1 વસઈ વિરાર તેમજ 1 મોત રત્નાગીરીમાં થયું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ અટકી નથી રહ્યું અને આંક 26 હજારની નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 25922 થઈ ગઈ છે. મુંબઈ શહેરમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 15 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈમાં જ કોરોનાના લીધે અત્યાર સુધીમાં 596 લોકોના જીવ ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈમાં કોરોના વોરિયર્સની પણ સ્થિતિ ખરાબ છે અને તેઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યાં છે. સેવારી પોલીસ સ્ટેશનમાં તૈનાત એએસઆઈનું કોરોના વાઈરસના લીધે મોત નીપજ્યું છે. મહારાષ્ટ્રના ડીજીપી અને પોલીસ વિભાગે ભાવભીની શ્રદ્ધાંજલિ તેમને અર્પી હતી. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી 5547 લોકોએ જીત મેળવી છે અને તેઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં 2 લાખ 98 હજાર લોકો ક્વોરન્ટાઈન છે જ્યારે તેમના માટે 14 હજાર કેન્દ્ર ખોલવામાં આવ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 6:29 pm, Wed, 13 May 20

Next Article