બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પર આજે સીએમ ઉદ્ધવ ઠાકરે શિવસૈનિકો સાથે સાધશે સંવાદ, પૌત્ર આદિત્ય ઠાકરેએ બાળપણનો ફોટો શેર કરીને કર્યા યાદ

|

Jan 23, 2022 | 5:30 PM

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની તબિયત બિલકુલ ઠીક છે. વિપક્ષે તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર નથી.

બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પર આજે સીએમ ઉદ્ધવ ઠાકરે શિવસૈનિકો સાથે સાધશે સંવાદ, પૌત્ર આદિત્ય ઠાકરેએ બાળપણનો ફોટો શેર કરીને કર્યા યાદ
Today on the birth anniversary of Balasaheb Thackeray and Subhash Chandra Bose, CM Uddhav Thackeray and Minister Aditya Thackeray remembered them. (File Image)

Follow us on

આજે (23 જાન્યુઆરી, રવિવાર) નેતાજી સુભાષ ચંદ્ર બોઝ તેમજ બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray) ની જન્મજયંતિ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)  આજે રાત્રે આઠ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિવસૈનિકો સાથે વાતચીત કરશે. છેલ્લા બે મહિનાથી મુખ્યમંત્રીની નાદુરસ્ત તબિયતના કારણે વિપક્ષો મહા વિકાસ આઘાડી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રને ફુલ ટાઈમ મુખ્યમંત્રીની જરૂર છે. સીએમ ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્યને લઈને વિપક્ષના સતત ટોણા, મુંબઈ મહાનગરપાલિકા સહિત નગરપાલિકાઓ અને જિલ્લા પરિષદોની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લોકોમાં ઉત્સુકતા છે કે, આજે તેઓ શિવસૈનિકોને પોતાની ઠાકરે શૈલીમાં શું સંદેશ આપશે.

આ દરમિયાન, આજે બાળાસાહેબ ઠાકરે અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને હાથ જોડીને અભિવાદન કરવાની મુદ્રામાં સીએમ ઉદ્ધવ ઠાકરેની તસવીર સામે આવી છે. સમાચાર એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે સાથે સ્વસ્થ દેખાઈ રહ્યો છે. આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની તબિયત બિલકુલ ઠીક છે. વિપક્ષે તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર નથી. આદિત્ય ઠાકરેએ એમ પણ કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરેની તબિયત બિલકુલ ઠીક છે. તે ટૂંક સમયમાં એક્શન મોડમાં જોવા મળશે. વિપક્ષનું ફુલ ટાઈમ કામ જ આલોચના કરવાનું છે. તેમના પર અમારે ધ્યાન આપવાની કોઈ જરૂર નથી.

આદિત્ય ઠાકરેએ કંઈક આવી રીતે કર્યા પોતાના દાદાજીને યાદ

https://twitter.com/AUThackeray/status/1485129141020426240

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ આજે ​​બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિના અવસર પર સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે પોતાના દાદા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી છે. બાળાસાહેબ ઠાકરેની 96મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતી વખતે શેર કરવામાં આવેલી પોસ્ટમાં આદિત્ય ઠાકરેએ તેમના બાળપણની તસવીર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે અને તેની પાછળ બાળાસાહેબ ઠાકરે ઉભા છે. તેમના દ્વારા શેર કરેલી આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને બાળાસાહેબ ઠાકરેને કર્યા યાદ

આ દરમિયાન રવિવારે સવારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને બાળાસાહેબ ઠાકરેને યાદ કર્યા હતા. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું, હું શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમને હંમેશા એક ઉત્કૃષ્ટ નેતા તરીકે યાદ કરવામાં આવશે જે લોકોના હેતુ માટે ઉભા હતા.

આ પણ વાંચો :  Maharashtra: કમલા બિલ્ડીંગમાં બનેલી ઘટનાની તપાસ માટે 4 સભ્યોની કમિટીની રચના, BMC કમિશનરને 15 દિવસમાં રિપોર્ટ સોંપાશે

Next Article