AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રની કસ્બા અને ચિંચવાડ વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણી, શરૂ થયુ મતદાન

પૂણેની નજીક આવેલા ચિંચવાડમાં ભાજપના અશ્વિની જગતાપ અને NCPના નાના કાટે વચ્ચે જંગ છે. મહત્વનું છે કે કસ્બા મતવિસ્તારમાં 2,75,428 નોંધાયેલા મતદારો છે અને ચિંચવાડમાં 5,68,954 છે.

મહારાષ્ટ્રની કસ્બા અને ચિંચવાડ વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણી, શરૂ થયુ મતદાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 8:04 AM
Share

મહારાષ્ટ્રમાં કસ્બા અને ચિંચવાડ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન થશે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયુ છે. જેની મતગણતરી 2 માર્ચે થશે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મુક્તા તિલક અને લક્ષ્મણ જગતાના નિધન બાદ આ બે બેઠકો પર પેટાચૂંટણીની જરૂરિયાત ઉભી થઈ છે. પૂણે શહેરના કસ્બા વિધાનસભા ક્ષેત્રની પેટાચૂંટણીમાં ભાજપના હેમંત રસાને અને કોંગ્રેસના રવિન્દ્ર ધાંગેકર વચ્ચે ચૂંટણી લડશે.

આ ધૂરંધરો વચ્ચે કાંટાની ટક્કર

ધાંગેકર કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઠબંધન સમર્થિત ઉમેદવાર છે. પૂણેની નજીક આવેલા ચિંચવાડમાં ભાજપના અશ્વિની જગતાપ અને એનસીપીના નાના કાટે વચ્ચે જંગ છે. કસ્બા મતવિસ્તારમાં 2,75,428 નોંધાયેલા મતદારો છે અને ચિંચવાડમાં 5,68,954 છે. માહિતી મુજબ મતદાન મથકોની 100 મીટરની અંદર દુકાનો બંધ રહેશે.

સત્તા પરિવર્તન બાદ રાજકારણ ગરમાયું

આપને જણાવી દઈએ કે શિવસેના પ્રમુખ અને મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, NCP વડા શરદ પવાર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે, NCP નેતા અજિત પવાર, શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ આ બે મતવિસ્તારોમાં પ્રચાર કર્યો હતો. મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ રાજકારણ ગરમાયું છે.

તેથી જ આ પેટાચૂંટણીને શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ માટે સન્માનની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેનાનું નામ અને નિશાન છીનવાઈ ગયું છે. શિવસેનાના નામ-ચિહ્નને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં પણ ગયું હતું. પરંતુ, ત્યાં પણ ઉદ્ધવ જૂથને ઝટકો લાગ્યો છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2014થી થયેલા વિકાસ કાર્યોના આધારે ભારતીય જનતા પાર્ટી (BJP) જીતશે તો વધુમાં કહ્યું કે NDA સરકારે તેના વિકાસ કાર્યો અને સુશાસન દ્વારા લોકોમાં વિશ્વાસની ભાવના જગાડી છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">