ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને મહારાષ્ટ્રમાં ભાજપનો ચહેરો એવા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis BJP) આરોપ મૂક્યો હતો કે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને NCP નેતા (નવાબ મલિક) દ્વારા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટો સાથે સંકળાયેલા લોકો પાસેથી કરોડોની કિંમતની જમીન એક પૈસાના ખર્ચે ખરીદવામાં આવી છે. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગના આ કેસમાં કાર્યવાહી કરી અને નવાબ મલિકની ધરપકડ કરી. નવાબ મલિક હાલ 7 માર્ચ સુધી EDની કસ્ટડીમાં છે. હવે NCP તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં આવ્યા બાદ એનસીપી નેતા અનિલ ગોટેએ (Anil Gote NCP) ભાજપ પર બિલ્ડર પાસેથી 20 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે જેનું કનેક્શન ડ્રગ માફિયા ઈકબાલ મિર્ચી સાથે છે. અનિલ ગોટેએ આ સંબંધમાં કેટલાક પુરાવા સાથે EDને પત્ર લખ્યો છે અને દેવેન્દ્ર ફડણવીસની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી છે.
ઈકબાલ મિર્ચી 1993ના બોમ્બ વિસ્ફોટના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમની નજીક છે. ગોટેના આ આરોપને દેવેન્દ્ર ફડણવીસે ફગાવી દીધો છે એટલું જ નહીં, તેમણે આ આરોપ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.
અનિલ ગોટે કહે છે કે 2014 સુધી સંબંધિત બિલ્ડરે ક્યારેય ભાજપને પૈસા આપ્યા નથી. પરંતુ રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસના હાથમાં બીજેપીની દોર આવતાની સાથે જ ભાજપે ડેવલપર્સ પાસેથી 20 કરોડ લીધા. આ કંપની રાજેશ વાધવાનની માલિકીની છે. રાજેશ વાધવાન પીએમસી બેંક કૌભાંડ કેસમાં જેલમાં છે.
અનિલ ગોટે કહે છે કે નવાબ મલિક માટે દાઉદ ઈબ્રાહિમ કનેક્શનની જે દલીલનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી, ઈડીની એ જ દલીલ ભાજપ માટે પણ ઉપયોગમાં લાવવી જોઈએ. આના આધારે દેવેન્દ્ર ફડણવીસની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.
અનિલ ગોટેએ કહ્યું કે, તેમણે આ અંગે ઈડીને પત્ર પણ લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘ભાજપને કોની પાસેથી દાન મળ્યું છે, તેની સંપૂર્ણ યાદી ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવી છે. આટલું મોટું ફંડ દાઉદ સાથે સંબંધિત વ્યક્તિ પાસેથી ભાજપ કેવી રીતે લઈ શકે છે ?’ ગોટેએ ઈડી પાસે માગ કરી છે કે ફડણવીસ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
ફડણવીસ વતી આના જવાબમાં કહેવામાં આવ્યું છે કે આ પૈસા એક ડેવલપર સાથે સંબંધિત સંસ્થા તરફથી આવ્યા છે. આ નાણાને ડ્રગ કેસ અથવા તેની સાથે સંબંધિત કોઈપણ વ્યવહાર સાથે કોઈ લેવાદેવા નથી. ફડણવીસે કહ્યું, “ગોટે જે કંપનીનો ઉલ્લેખ કરી રહ્યા છે તે કપિલ અને ધીરજ વાધવનની કંપની છે અને આ પૈસા આરટીજીએસ દ્વારા ભાજપને આપવામાં આવ્યા હતા. આ પૈસાને ઈકબાલ મિર્ચીની કોઈપણ મિલકતના વ્યવહાર સાથે કોઈ લેવાદેવા નથી.
સનબ્લિંક રિયલ એસ્ટેટ એન્ડ મિલેનિયમ કન્સ્ટ્રક્શન નામની કંપની ઈકબાલ મિર્ચી સંબંધિત પ્રોપર્ટીના લેવડદેવડમાં છે. આમાંથી એક કંપની એનસીપીના મોટા નેતા સાથે સંબંધિત છે. ખોટા આક્ષેપો કરવા બદલ ભાજપ બદનક્ષીનો દાવો કરશે.
વાધવાનની મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરાઈ છે અને તેના 225 કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ટ્રાન્ઝેક્શન સનબ્લિક રિયલ એસ્ટેટ અને ઈકબાલ મિર્ચી વચ્ચે થયું હતું. આ કંપની ડીએચએફએલ સાથે સંબંધિત છે. ઈડી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ટ્રાન્ઝેક્શન ધીરજ વાધવનની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : PM મોદી 6ઠ્ઠી માર્ચે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કરશે અનાવરણ
Published On - 8:00 pm, Sat, 5 March 22