Maharashtra Omicron: ઓમિક્રોનના 20 નવા કેસોએ મચાવ્યો ખળભળાટ, 110 દર્દીઓ સાથે કોરોનાના 1410 કેસોએ વધારી ચિંતા

Omicron in Maharashtra : કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના 20 નવા કેસ આવવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધીમાં 110 દર્દીઓ નવા વેરિઅન્ટની પકડમાં આવી ચૂક્યા છે.

Maharashtra Omicron: ઓમિક્રોનના 20 નવા કેસોએ મચાવ્યો ખળભળાટ, 110 દર્દીઓ સાથે કોરોનાના 1410 કેસોએ વધારી ચિંતા
Omicron Variant (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 12:13 AM

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના (Maharashtra Omicron) કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રોનના 20 નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 20 નવા કેસ સાથે, રાજ્યમાં નવા વેરીઅન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 110 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ (Corona Case) પણ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1,410 કેસ નોંધાયા છે.  જ્યારે 12 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે 868 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 8,426 સક્રિય કેસ છે.

રાહતની વાત એ છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનથી સંક્રમિત 54 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. કેસ વધવાના ડર વચ્ચે સતત કોરોના ટેસ્ટ (Corona Test)  કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે, નવા વેરીઅન્ટના 23 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં બગડતી પરિસ્થિતિને જોતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) ઈમરજન્સી બેઠક બોલાવી હતી. બગડતી પરિસ્થિતિને જોતા આજે રાજ્ય સરકારે નવી કોરોના ગાઈડલાઈન (Corona Guideline)  જાહેર કરી છે. નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને સરકારની ચિંતા વધુ વધી ગઈ છે.

કોરોના સંક્રમણના 1410 કેસ નોંધાયા 

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે ગુરુવારે વિધાનસભામાં કહ્યું હતું કે પીએમ મોદી ઓમિક્રોન પર ખૂબ જ ગંભીર છે. એટલા માટે રાષ્ટ્રીય સ્તરે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. તહેવારોની સિઝનમાં મહારાષ્ટ્રમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે સંક્રમણના કેસ 1 હજારથી વધુ નોંધાયા છે. તે જ સમયે, 12 દર્દીઓના મોત થયાના ચિંતાજનક સમાચાર છે. રાજ્યમાં ફરી એકવાર ત્રીજી લહેરનો ભય ઘેરો બની રહ્યો છે. આ જ કારણ છે કે સરકારની ચિંતા પણ ઘણી વધી ગઈ છે.

દુબઈથી પરત આવતા પ્રવાસીઓને 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવશે

એકલા મુંબઈમાં જ કોરોના સંક્રમણના 683 કેસ નોંધાયા છે. જેમાં 1નું મોત થયું છે. મુંબઈમાં 267 દર્દીઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા BMC પણ સંપૂર્ણ રીતે એક્શનમાં છે. હવે દુબઈથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ, જેઓ મુંબઈના રહેવાસી છે, તેઓએ 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ સાથે, દરેકનો RT-PCR ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે.

આ પણ વાંચો :  Maharashtra: પ્રિન્ટેડ પેપરમાં ખોરાક આપવા પર પ્રતિબંધ, FDAએ કહ્યું – ઝેરી હોય છે શાહી; કેન્સર પણ થઈ શકે છે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">