હનુમાન ચાલીસા વિવાદ : સાંસદ નવનીત રાણાની ધરપકડથી મામલો ગરમાયો, લોકસભા સચિવાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે માગ્યો અહેવાલ

Hanuman Chalisa Row: અમરાવતીના સાંસદ નવનીત રાણાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે તે શિવસેનામાં 'હિંદુત્વ'ની ભાવના જગાવવા માગતા હતા, ધાર્મિક તણાવ પેદા કરવાનો કોઈ હેતુ નહોતો.

હનુમાન ચાલીસા વિવાદ : સાંસદ નવનીત રાણાની ધરપકડથી મામલો ગરમાયો, લોકસભા સચિવાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે માગ્યો અહેવાલ
Hnuman Chalisa Controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 8:29 AM

Maharashtra : લોકસભા સચિવાલયે સોમવારે અમરાવતીના સાંસદ નવનીત રાણાની (Navneet Rana) ધરપકડ અંગે મહારાષ્ટ્ર સરકાર પાસેથી 24 કલાકની અંદર તથ્યાત્મક રિપોર્ટ માગ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાણા દંપતીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી, જેનાથી ઘણો વિવાદ (Hanuman Chalisa Controversy)  થયો હતો અને આ સંબંધમાં મુંબઈ પોલીસે (Mumbai Police) પતિ-પત્ની સામે રાજદ્રોહનો ગુનો નોંધ્યો છે અને FIR નોંધ્યા બાદ તેમની ધરપકડ કરી છે.

ANI અનુસાર લોકસભા સચિવાલય દ્વારા ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 25 એપ્રિલના રોજ મળેલા ઈમેલ/ફરિયાદની નકલ સાંસદ નવનીત રવિ રાણા પાસેથી પ્રાપ્ત થઈ છે, જેમાં આરોપ છે કે મુંબઈના ખાર પોલીસ દ્વારા તેની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત પોલીસ સ્ટેશન દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવે છે. આથી લોકસભા અધ્યક્ષે મહારાષ્ટ્ર સરકારને 24 કલાકની અંદર સચિવાલયમાં તથ્યાત્મક અહેવાલ (Factual Report)  રજુ કરવા કહેવામાં આવ્યુ છે.

ધાર્મિક તણાવ પેદા કરવાનો કોઈ હેતુ નહોતો : નવનીત રાણા

અમરાવતીના સાંસદ નવનીત રાણાએ સોમવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) નિવાસસ્થાન બહાર “હનુમાન ચાલીસા” ના ઉચ્ચારણ કરીને તેઓ શિવસેનામાં ‘હિંદુત્વ’ની ભાવના જગાવવા માંગતા હતા, ધાર્મિક તણાવ પેદા કરવાનો કોઈ હેતુ નહોતો.તમને જણાવી દઈએ કે, સાંસદ-ધારાસભ્ય દંપતીની બે દિવસ પહેલા રવિવારે મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બાંદ્રાની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. હાલમાં ધારાસભ્ય રવિ રાણા તળોજા જેલમાં અને સાંસદ નવનીત રાણા ભાયખલા જેલમાં બંધ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ કારણે વિવાદ વણસ્યો

ગયા અઠવાડિયે શનિવારે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએદંપતી ‘માતોશ્રી’ ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની યોજના બનાવી, ત્યારબાદ તેમના નિવાસસ્થાનની બહાર મોટી ભીડ એકઠી થઈ ગઈ.બાદમાં રાજકીય દંપતીની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Heat Wave: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વધશે ગરમીનો પારો

આ પણ વાંચો: Russia Ukraine War: રશિયાના બ્રાંસ્કમાં યુક્રેનની જબરદસ્ત કાર્યવાહી, મિસાઈલ હુમલો કરીને ઓઈલ ડેપોને ઉડાવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">