AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar: રાજકીય સમ્માન સાથે થઈ લતા દીદીની અંતિમ વિદાય, બે દિવસનો રાષ્ટ્રીય શોક, મહારાષ્ટ્રમાં એક દિવસની રજા જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા. તેમણે લતા દીદીના પાર્થિવ દેહ પર ફૂલ અર્પણ કર્યા. મંગેશકર પરિવારને મળીને તેમણે સાંત્વના આપી હતી.

Lata Mangeshkar: રાજકીય સમ્માન સાથે થઈ લતા દીદીની અંતિમ વિદાય, બે દિવસનો રાષ્ટ્રીય શોક, મહારાષ્ટ્રમાં એક દિવસની રજા જાહેર
Lata Mangeshkar
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 10:53 PM
Share

ભારત રત્ન લતા મંગેશકર પંચ તત્વોમાં વિલીન (Lata Mangeshkar) થઈ ગયા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્ક ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. લતા દીદીને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે મુખાગ્નિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શોકની ઘડીમાં તેમના પરિવાર સાથે ઉભા જોવા મળ્યા. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત દેશ અને મહારાષ્ટ્રના મોટા નેતાઓ, અભિનેતાઓ અને દિગ્ગજો લતા દીદીને અંતિમ વિદાય આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા. આ બધા સાથે, એક ભારત રત્ન બીજા ભારત રત્નને વિદાય આપવા આવ્યા હતા. ભારત રત્ન સચિન તેંડુલકર પણ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા. લતા દીદી કહેતા કે જો તેમને દીકરો હોત તો તે સચિન જેવો હોત. સચિન પણ લતા દીદીને મા કહીને બોલાવતા હતા. લતા દીદીના નિધન પર ભારત સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે સોમવારે રજા જાહેર કરી છે.

8 જાન્યુઆરીના રોજ, લતા દીદીને કોવિડ હોવાનું નિદાન થતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 28 દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા. આ દરમિયાન તેમને ન્યુમોનિયા પણ થયો હતો. આ પછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તબીબોએ પણ તેમની તબિયતમાં સુધારા વિશે જણાવ્યું હતું.

28 જાન્યુઆરીએ તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ 5 ફેબ્રુઆરીએ તેમની તબિયત ફરી બગડતાં તેમને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આખરે આજે (રવિવાર, 6 ફેબ્રુઆરી) સવારે તેમના ડૉક્ટર પ્રતિત સમદાનીએ દેશને ખૂબ જ દુઃખદ સમાચાર સંભળાવ્યા કે શરીરના ઘણા અંગો બગડવાને કારણે લતા દીદીનું સવારે 8:12 વાગ્યે નિધન થયું.

PM મોદી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા. મંગેશકર પરિવારને મળીને તેમણે પરિવારને સાંત્વના આપી હતી. વડાપ્રધાન પછી, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, સચિન તેંડુલકર, શ્રદ્ધા કપૂર, શાહરૂખ ખાન, આમિર ખાન, જાવેદ અખ્તર વગેરેએ લતા દીદીને અંતિમ વિદાય આપી.

ભારત સરકાર દ્વારા બે દિવસનો રાષ્ટ્રીય શોક, મહારાષ્ટ્રમાં સોમવારે જાહેર રજા

આ દરમિયાન, ભારત સરકારે દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે લતા દીદીની યાદમાં રજા જાહેર કરી છે. લતા દીદીને શ્રદ્ધાંજલિ આપતાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘લતા દીદીનું નિધન એ સ્વર યુગનો અંત છે. અમારા માથેથી માતૃ તુલ્ય આશીર્વાદ ચાલ્યો ગયો.

આ પણ વાંચો :  ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

Follow Us
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
g clip-path="url(#clip0_868_265)">