Lata Mangeshkar: રાજકીય સમ્માન સાથે થઈ લતા દીદીની અંતિમ વિદાય, બે દિવસનો રાષ્ટ્રીય શોક, મહારાષ્ટ્રમાં એક દિવસની રજા જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા. તેમણે લતા દીદીના પાર્થિવ દેહ પર ફૂલ અર્પણ કર્યા. મંગેશકર પરિવારને મળીને તેમણે સાંત્વના આપી હતી.

Lata Mangeshkar: રાજકીય સમ્માન સાથે થઈ લતા દીદીની અંતિમ વિદાય, બે દિવસનો રાષ્ટ્રીય શોક, મહારાષ્ટ્રમાં એક દિવસની રજા જાહેર
Lata Mangeshkar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 10:53 PM

ભારત રત્ન લતા મંગેશકર પંચ તત્વોમાં વિલીન (Lata Mangeshkar) થઈ ગયા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્ક ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. લતા દીદીને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે મુખાગ્નિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શોકની ઘડીમાં તેમના પરિવાર સાથે ઉભા જોવા મળ્યા. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત દેશ અને મહારાષ્ટ્રના મોટા નેતાઓ, અભિનેતાઓ અને દિગ્ગજો લતા દીદીને અંતિમ વિદાય આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા. આ બધા સાથે, એક ભારત રત્ન બીજા ભારત રત્નને વિદાય આપવા આવ્યા હતા. ભારત રત્ન સચિન તેંડુલકર પણ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા. લતા દીદી કહેતા કે જો તેમને દીકરો હોત તો તે સચિન જેવો હોત. સચિન પણ લતા દીદીને મા કહીને બોલાવતા હતા. લતા દીદીના નિધન પર ભારત સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે સોમવારે રજા જાહેર કરી છે.

8 જાન્યુઆરીના રોજ, લતા દીદીને કોવિડ હોવાનું નિદાન થતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 28 દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા. આ દરમિયાન તેમને ન્યુમોનિયા પણ થયો હતો. આ પછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તબીબોએ પણ તેમની તબિયતમાં સુધારા વિશે જણાવ્યું હતું.

28 જાન્યુઆરીએ તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ 5 ફેબ્રુઆરીએ તેમની તબિયત ફરી બગડતાં તેમને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આખરે આજે (રવિવાર, 6 ફેબ્રુઆરી) સવારે તેમના ડૉક્ટર પ્રતિત સમદાનીએ દેશને ખૂબ જ દુઃખદ સમાચાર સંભળાવ્યા કે શરીરના ઘણા અંગો બગડવાને કારણે લતા દીદીનું સવારે 8:12 વાગ્યે નિધન થયું.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

PM મોદી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા. મંગેશકર પરિવારને મળીને તેમણે પરિવારને સાંત્વના આપી હતી. વડાપ્રધાન પછી, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, સચિન તેંડુલકર, શ્રદ્ધા કપૂર, શાહરૂખ ખાન, આમિર ખાન, જાવેદ અખ્તર વગેરેએ લતા દીદીને અંતિમ વિદાય આપી.

ભારત સરકાર દ્વારા બે દિવસનો રાષ્ટ્રીય શોક, મહારાષ્ટ્રમાં સોમવારે જાહેર રજા

આ દરમિયાન, ભારત સરકારે દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે લતા દીદીની યાદમાં રજા જાહેર કરી છે. લતા દીદીને શ્રદ્ધાંજલિ આપતાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘લતા દીદીનું નિધન એ સ્વર યુગનો અંત છે. અમારા માથેથી માતૃ તુલ્ય આશીર્વાદ ચાલ્યો ગયો.

આ પણ વાંચો :  ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">