AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ketan Agrawal Murder Case : સિયા ગોયલ પોલીગ્રાફી ટેસ્ટ માટે તૈયાર… હત્યા પછી કેતનનો મોબાઈલ કેમ પોતાની પાસે રાખ્યો? વધુ એક ચોંકાવનારો ખુલાસો!

લોહાગઢ કેતન અગ્રવાલ હત્યા કેસની મુખ્ય આરોપી સિયા ગોયલે પોલીસને પોલીગ્રાફ ટેસ્ટ માટે સંમતિ આપી છે. પોલીસને શંકા છે કે સિયાએ હત્યા પછી કેતનના મોબાઇલ ફોનમાંથી મહત્વપૂર્ણ ચેટ્સ અને પુરાવા ડિલીટ કરી દીધા હતા. આ દંપતી નવેમ્બરમાં જયપુરના એક મહેલમાં લગ્ન કરવાના હતા.

Ketan Agrawal Murder Case : સિયા ગોયલ પોલીગ્રાફી ટેસ્ટ માટે તૈયાર… હત્યા પછી કેતનનો મોબાઈલ કેમ પોતાની પાસે રાખ્યો? વધુ એક ચોંકાવનારો ખુલાસો!
Ketan Agrawal Murder CaseImage Credit source: Google
| Updated on: Jul 03, 2026 | 8:26 AM
Share

મહારાષ્ટ્રના લોનાવલા સ્થિત લોહાગઢ કિલ્લામાં 26 વર્ષીય કેતન અગ્રવાલની હત્યાના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પુણે ગ્રામીણ પોલીસ હવે આ હાઇ-પ્રોફાઇલ હત્યા રહસ્યને ઉકેલવા માટે વૈજ્ઞાનિક અને ફોરેન્સિક તપાસનો આશરો લઈ રહી છે. દરમિયાન કેસની મુખ્ય આરોપી અને કેતનની મંગેતર સિયા ગોયલે પોલીસને પોલીગ્રાફ ટેસ્ટ માટે લેખિત સંમતિ આપી છે.

કાયદાકીય નિયમો અનુસાર, પોલીગ્રાફ અથવા નાર્કો ટેસ્ટ માટે કોઈપણ આરોપીની સંમતિ ફરજિયાત હોય છે. સિયા ગોયલના વકીલે સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે તેમના ક્લાયન્ટ સિયાએ આ પરીક્ષણ માટે લોનાવલા ગ્રામીણ પોલીસને સંમતિ આપી છે. આ પરીક્ષણ દ્વારા પોલીસ સિયાના જુઠાણાનો પર્દાફાશ કરશે. જે તે સતત તેના નિવેદનોમાં બદલતી રહે છે.

કેતનના મોબાઇલમાંથી પુરાવા ડિલીટ કરાયા ? પોલીસને છે શંકા

પોલીસને તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ કડી મળી છે. જે પુરાવાના નાશ તરફ ઈશારો કરી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે 18 જૂનના રોજ લોહાગઢ કિલ્લાની ટેકરી પરથી કેતનને ધક્કો મારી દેવામાં આવ્યા પછી કેતનનો મોબાઇલ ફોન ઘણા સમય સુધી સિયા ગોયલના પાસે હતો.

સિયાએ બાદમાં હોશિયારીથી કેતનનો ફોન તેના પરિવારને સોંપી દીધો. પુણે ગ્રામીણ પોલીસ હવે એ નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ કરી રહી છે કે સિયાએ કેતનના ફોનમાંથી કોઈ મહત્વપૂર્ણ ચેટ્સ, કોલ રેકોર્ડ્સ, ફોટા અથવા અન્ય ડિજિટલ પુરાવા ડિલીટ કર્યા હતા કે નહીં. સૂત્રો અનુસાર, પોલીસે કેતનનો ફોન ફોરેન્સિક લેબમાં ડેટા રિકવર માટે મોકલ્યો છે.

17 કરોડના મહેલમાં થવાના હતા લગ્ન ?

કેતન અગ્રવાલ અને સિયા ગોયલના નવેમ્બર 2026માં લગ્ન યોજાવાના હતા. આ માટે રાજસ્થાનના જયપુરમાં આશરે 17 કરોડ રૂપિયાના ખર્ચે એક મોટો અને ભવ્ય મહેલ પણ બુક કરવામાં આવ્યો હતો.

કેતનને સિયાના ચેતન સાથેના અફેર પર શંકા ગઈ હતી

કેતનને ખબર નહોતી કે તેની જ મંગેતર તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે ગુપ્ત રીતે તેની હત્યાનું કાવતરું ઘડી રહી છે. સૂત્રો અનુસાર, કેતનને સિયાના ચેતન સાથેના અફેર પર શંકા ગઈ હતી. કેતને તેના મૃત્યુ પહેલાં પોતાના પિતાને સિયાનું બેકગ્રાઉન્ડ ચેક કરાવવા પણ કહ્યું હતું. આરોપ છે કે સિયા અને ચેતને 18 જૂને સરપ્રાઇઝ ટ્રેકિંગના બહાને કેતનને લોહાગઢ કિલ્લા પર બોલાવ્યો અને ત્યાંથી તેને ઊંડી ખીણમાં ધકેલી દીધો. હાલમાં બંને આરોપીઓ 3 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડમાં છે.

ક્રાઇમ સીનનું રી-ક્રિએશન બાદ હવે થશે ગેઇટ એનાલિસિસ ટેસ્ટ

પોલીસ આ કેસમાં નક્કર વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે સતત સખત મહેનત કરી રહી છે. તાજેતરમાં આરોપી સિયા ગોયલની હાજરીમાં, પોલીસે લોહાગઢ કિલ્લાના એ જ ટેકરી પરથી એક ડમી ફેંકીને સમગ્ર ગુનાના દ્રશ્યને ફરીથી બનાવ્યું હતું. ત્યારબાદ સહ આરોપી પ્રેમી ચેતન ચૌધરીને પણ તે જ પોશાકમાં લઈ જવામાં આવ્યો હતો અને ઘટનાનું રી-ક્રિએશન કર્યું હતું.

CCTV માટે થશે ગેઇટ એનાલિસિસ

ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજને કોર્ટમાં મજબૂત પુરાવા તરીકે રજૂ કરવા માટે હવે પોલીસે આરોપીઓનું ગેઇટ એનાલિસિસ એટલે કે ચાલ ઢાલનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરાવવાની યોજના બનાવી છે. બચાવ પક્ષનો દાવો છે કે CCTVમાં દેખાતો વ્યક્તિ ચેતન ચૌધરી નથી. પોલીસનું માનવું છે કે આ વૈજ્ઞાનિક તપાસ દ્વારા આ દાવાને કોર્ટમાં ખોટો સાબિત કરી શકાશે.

આ પણ વાંચો, Ketan Agarwal Murder Case : કેતન-સિયાની કુંડળીમાં 36માંથી કેટલા ગુણ મળ્યા હતા ? જ્યોતિષીએ લગ્ન અંગે કરી હતી મોટી ભવિષ્યવાણી !

Follow Us
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
g clip-path="url(#clip0_868_265)">