કર્ણાટકનો મહારાષ્ટ્રના 40 ગામ પર દાવો, શિંદે-ફડણવીસે કહ્યું- એક પણ ગામ જવા નહીં દઈએ

આજથી મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં સીએમ બસવરાજ બોમાઈએ સાંગલીના જાટ તાલુકાના 40 ગામો પર કર્ણાટકનો દાવો કર્યો છે. શિંદે-ફડણવીસે આનો યોગ્ય જવાબ આપ્યો છે.

કર્ણાટકનો મહારાષ્ટ્રના 40 ગામ પર દાવો, શિંદે-ફડણવીસે કહ્યું- એક પણ ગામ જવા નહીં દઈએ
Shinde-Fadnavis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 6:44 PM

મહારાષ્ટ્ર અને કર્ણાટક સરહદ વિવાદ ઘણો જૂનો છે. વાસ્તવમાં બંને રાજ્યોના કેટલાક સરહદી વિસ્તારો એવા છે કે જેના પર બંને રાજ્યોનો પોતાનો દાવો છે. મહારાષ્ટ્રનો દાવો કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં મરાઠી ભાષી લોકોની હાજરી પર આધારિત છે. તેવી જ રીતે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આજે ​​(23 નવેમ્બર, બુધવાર) દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જાટ તાલુકાના 40 ગામ મોટી સંખ્યામાં કન્નડ ભાષીઓને કારણે કર્ણાટકમાં જોડાવા માંગે છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આનો જડબાતોડ જવાબ આપ્યો છે.

આ વિવાદ ફરી એકવાર ગરમ થવાનું કારણ એ છે કે આજથી સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર સુનાવણી કરવા જઈ રહી છે. આવા પ્રસંગે કર્ણાટકના સીએમએ કહ્યું ‘મહારાષ્ટ્રના જાટ તાલુકાના 40 ગામોના લોકો કર્ણાટકમાં જોડાવા માંગે છે. અમે તેમની માંગ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ.આ પછી મહારાષ્ટ્રમાં દરેક પાર્ટી તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી.

મહારાષ્ટ્રના સીએમ શિંદેની પ્રતિક્રિયા, એક પણ ગામની હાથમાંથી નહીં જાય

આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જત તાલુકાના ગામડાઓની માંગ જૂની છે. પાણીની અછતની સમસ્યા છે. ગઈકાલે અને તેના આગલા દિવસે અમે આ અંગે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. અમે એક પણ ગામ મહારાષ્ટ્રથી કર્ણાટક જવા નહીં દઈએ. કોર્ટના નિર્ણયને માન આપીને કેન્દ્ર સરકારની મદદથી મંત્રણા દ્વારા ઉકેલ લાવીશું. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આજે ​​શિરડીમાં સાંઈ બાબાના દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

હજુ પણ કર્ણાટકના સીએમના નિવેદન પર મહારાષ્ટ્રમાં હંગામો ચાલી રહ્યો છે

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કર્ણાટકમાં ભાજપની સરકાર છે, મહારાષ્ટ્રમાં શિંદે જૂથ સરકાર છે જે ભાજપના ઈશારે ચાલે છે. ભાજપ મહારાષ્ટ્રને 4-5 ટુકડાઓમાં વહેંચવા માંગે છે. ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે જવાહરલાલ નેહરુની ભૂલ હતી કે રાજ્યની સીમાઓ આટલી અતાર્કિક રીતે નક્કી કરવામાં આવી. જો કર્ણાટક સરકાર મહારાષ્ટ્રમાં 40 ગામોનો દાવો કરી રહી છે તો કર્ણાટકમાં પણ આવા સેંકડો ગામો છે, જેના પર અમારો દાવો છે, તેમને આ ધ્યાનમાં રાખવા દો.

મહારાષ્ટ્રમાંથી કોઈ ગામ કર્ણાટક નહીં જાય, ત્યાંથી સ્થાનિકો અહીં આવશે

આ સમગ્ર મામલે નાગપુરમાં મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે આજે કહ્યું હતું કે, ‘મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થોડા દિવસો પહેલા સરહદ વિવાદના મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને સંપૂર્ણ મદદ કરવાની અમારી યોજના શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રનું એક પણ ગામ ક્યાંય નહીં જાય. અમે સુપ્રીમ કોર્ટમાં લડીને કર્ણાટકના બેલગામ, કારવાર, નિપાની સહિત અનેક ગામોને મહારાષ્ટ્ર પરત લાવીશું.

‘ગામડાઓને પાણી મળશે, ફરિયાદો દૂર થશે’

ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના જાટ તાલુકાના ગામોએ વર્ષ 2012માં કર્ણાટક જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ આ વાત જૂની થઈ ગઈ છે. ગ્રામજનોએ પાણી મળતું ન હોવાની ફરિયાદ કરી હતી. ફડણવીસે કહ્યું કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે કર્ણાટક સાથે વાતચીત કરી હતી. આ ગામોનો મહૈસાલની સુધારેલી યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વધુમાં ફડણવીસે કહ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન આ યોજનાઓને માન્યતા આપવામાં આવી ન હતી. કદાચ કોરોનાને કારણે નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે આ યોજના પર કામ પુર ઝડપે ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં ગામડાઓમાં પાણી ઉપલબ્ધ થશે. આ માટે કેન્દ્ર સરકારે પૈસા પણ આપ્યા છે. યોજનાઓ પૂર્ણ કરવા માટે પૈસાની કોઈ કમી નથી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">