કોવિડમાં નેતા-અભિનેતા પાસે ક્યાંથી આવી દવાઓ અને રેમેડેસિવિર? બોમ્બે હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ

બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આવી હસ્તીઓનો અન્યને મદદ કરવાનો સારો હેતુ હોઈ શકે છે. પરંતુ આ લોકો જાગૃત નથી હોતા કે તેઓ કાનૂની માળખાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.

કોવિડમાં નેતા-અભિનેતા પાસે ક્યાંથી આવી દવાઓ અને રેમેડેસિવિર? બોમ્બે હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ
મુંબઈ હાઇકોર્ટ
Follow Us:
| Updated on: May 28, 2021 | 11:53 AM

કોરોનાની આ બીજી લહરના સમયમાં દેશભરના અનેક રાજ્યોમાં નેતા અને અભિનેતાઓ લોકોને દવાઓ આપતા જોવા મળ્યા હતા. ત્યારે ઘણા લોકોએ એમના કામના વખાણ કર્યા હતા તો ઘણાએ સવાલ ઉઠાવ્યા હતા કે જ્યારે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર પર દવા નથી મળી રહી તો નેતા અને અભિનેતાઓ પાસે ક્યાંથી આવે છે.

આવામાં બોમ્બે હાઈકોર્ટે (bombay high court) ગુરુવારે મહારાષ્ટ્ર સરકારને આ વિષયે તપાસના આદેશ આપ્યા છે. હાઈકોર્ટે કહ્યું છે કે કોવિડ 19ના આ સમય માં જ્યારે આ દવાઓ અને ઈન્જેકશનસીમિત માત્રામાં ઉપલબ્ધ છે અને માત્ર સરકાર આ દવા અને ઈન્જેકશન ખરીદવા અધિકૃત છે તો નેતા અને અભિનેતાને જરૂરિયાતમંદ માટે આ દવાઓ ક્યાંથી મળી રહી છે.

નેતા-અભિનેતા કાનૂની માળખાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ન્યાયમૂર્તિ અમજદ સૈયદ અને જી.એસ. કુલકર્ણીની વેકેશન બેંચ કોવિડ -19 સંબંધિત દવાઓ અને ઈંજેક્શનોને સુવ્યવસ્થિત કરવા અને રોગચાળાને લગતા મુદ્દાઓનું યોગ્ય સંચાલન કરવા માંગતા પીઆઇએલની સુનાવણી કરી રહી છે. કોર્ટે કહ્યું કે આવી હસ્તીઓનો અન્યને મદદ કરવાનો સારો હેતુ હોઈ શકે છે. પરંતુ આ લોકો જાગૃત નથી હોતા કે તેઓ કાનૂની માળખાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.

બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે ગેરકાયદેસર ખરીદી, સંગ્રહખોરી, બ્લેક માર્કેટિંગ અને નકલી દવાઓ પ્રદાન કરવા જેવા મુદ્દાઓને નકારી કાઢવા માટે આ કેસની તપાસ થવી જોઈએ. આ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર વતી અદાલતમાં હાજર થતાં એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોની દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબ પર કોર્ટે આ આદેશ આપ્યો છે.

ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી અને સોનુ સૂદને નોટીસ

સરકારી વકીલ કુંભકોનીએ કહ્યું કે આ કેસમાં રાજ્ય સરકારે કોંગ્રેસના ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી, અભિનેતા સોનુ સૂદની (Sonu Sood) ચેરીટી ફાઉન્ડેશન અને કેટલાક અન્ય લોકોને કારણદર્શક નોટિસ ફટકારી છે. તેના જવાબમાં સિદ્દીકી અને સૂદે કહ્યું છે કે તેઓએ ઇન્જેક્શન અને દવાઓ ખરીદી નથી કે ના જમા કરી છે. તેઓ દવા ઉત્પાદકો સાથે સીધા સંપર્કમાં હતા. કેટલાક કિસ્સાઓમાં, તેમણે માત્ર ચુકવણીની સુવિધા આપવાનું કામ કર્યું છે, તો કેટલાક કીસામાં વગર ચૂકવણીએ સુવિધા આપવાનું કામ કર્યું છે.

સિપ્લા અને અન્ય દવા ઉત્પાદક કંપનીને પાઠવી નોટીસ

સરકારી વકીલ કુંભકોનીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સિપ્લા અને અન્ય દવા ઉત્પાદક કંપનીને રેમેડેસિવિરના પુરવઠાના હવાલે પણ નોટિસ પાઠવી છે. આ કેસની તપાસ હજી ચાલુ છે. અમે તેના પરિણામ તરફ તપાસ આગળ લઇ જઈશું.

દવા નિર્માતા કંપનીએ સીધો સપ્લાય કર્યાનો ઇનકાર કર્યો

કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહે બેંચને જણાવ્યું હતું કે કેન્દ્ર પહેલાથી જ રેમેડેસિવિર (Remdesivir) અને અન્ય એન્ટી-કોવિડ -19 દવાઓના ઉત્પાદકોને પૂછપરછ કરી ચુકી છે. તેમણે કોઈ રાજકારણી કે અભિનેતાને સપ્લાય કરવાનો ઇનકાર કર્યો છે. આના પર કોર્ટે રાજ્ય સરકારને કહ્યું, સુદ ચેરિટી ફાઉન્ડેશને તેના જવાબમાં કહ્યું કે તેણે સિપ્લા અને અન્ય ઉત્પાદકોનો સંપર્ક કર્યો છે.

હાઈકોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રના સોગંદનામા પર ધ્યાન આપવું જોઈએ અને તેની તપાસ ચાલુ રાખવી જોઈએ. જો હસ્તીઓ કહે છે કે તે તે નિર્માતાઓ પાસેથી મળી છે, પરંતુ નિર્માતાઓએ ના પાડી દે છે, તો તેની તપાસ થવી જોઈએ.

હાઇકોર્ટે પૂછ્યું, શું આ શક્ય છે?

હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે દવાઓ માટે મોટી હસ્તીઓ ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે સીધા સંપર્કમાં હતી તે કેવી રીતે શક્ય છે? જ્યારે દવાની ફાળવણી ફક્ત કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. હાઇકોર્ટે પૂછ્યું કે શું તમારા અધિકારીઓ તેને સ્વીકારી શકે? શું આ સમભાવ છે?

આ પણ વાંચો: સુશીલ કુમારનો ચોંકાવનારો વિડીયો આવ્યો સામે, પહેલવાનને લાકડીથી મારી રહ્યા છે માર, જુઓ વિડીયો

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">