AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ‘વિકાસ ભંડોળ મેળવવા અહંકારને બાજુ પર રાખવો જોઈએ’, નામ લીધા વિના શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર સાધ્યુ નિશાન

CM એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે વિકાસ ભંડોળ મેળવવા માટે કેન્દ્ર સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. કામ ઓનલાઈન કે ઘરેથી નહીં પણ જમીન પર થાય છે.

Maharashtra: 'વિકાસ ભંડોળ મેળવવા અહંકારને બાજુ પર રાખવો જોઈએ', નામ લીધા વિના શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર સાધ્યુ નિશાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 12:52 PM
Share

મહારાષ્ટ્રમાં શિવસેના નામ અને ચિન્હ શિંદે જૂથના ફાળે જતા રાજકીય ધમાસાણ સર્જાયુ છે, ત્યારે CM એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે વિકાસ ભંડોળ મેળવવા માટે કેન્દ્ર સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. કામ ઓનલાઈન કે ઘરેથી નહીં પણ જમીન પર થાય છે તો વધુમાં તેમણે કહ્યું કે નવા રાજ્ય માટે અહંકારને બાજુ પર રાખવાની જરૂર છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ સર્જાયુ

આપને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે 2019 અને 2022ની વચ્ચે મહા વિકાસ આઘાડી સરકારમાં મુખ્યપ્રધાન હતા. જેમાં તેમની નરેન્દ્ર મોદી સરકાર સાથે અવારનવાર તકરાર થતી હતી. જેના પર શિંદેએ નિશાન સાધ્યુ હતુ.

તો વધુમાં શિંદેએ કહ્યું હતુ કે વિકાસ માટે જમીન પર કામ કરવું જરૂરી છે. તમે ઓનલાઈન અથવા ફેસબુક દ્વારા કામ કરી શકતા નથી. વિકાસ ભંડોળ માટે કેન્દ્ર સાથે વ્યવહાર કરતી વખતે મુખ્યમંત્રીએ પોતાનો અહંકાર બાજુ પર રાખવો પડે છે. મહત્વનું છે કે જ્યારે શિંદે જૂથને મૂળ શિવસેના તરીકે નામ અને પ્રતીક મેળવવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે શિંદેએ કહ્યું કે શિવસેનાની સ્થાપના બાળાસાહેબ ઠાકરેએ કરી હતી. શિવસેનાના મોટાભાગના ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટરો મારી સાથે છે. ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના તેમણે કહ્યું કે તેમણે સત્તાની લાલસામાં બાળાસાહેબ ઠાકરેની વિચારધારા સાથે દગો થયો છે.

વિકાસ માટે જમીન પર કામ કરવું જરૂરી – CM એકનાથ શિંદે

મહત્વનું છે કે ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે સ્વીકાર્યું છે. પંચે શિંદે જૂથને શિવસેનાના નામ અને ધનુષ અને તીરના પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. પંચને જાણવા મળ્યું કે ઉદ્ધવ જૂથે ચૂંટણી યોજ્યા વિના તેમના વર્તુળમાંથી લોકોને બિનલોકશાહી રીતે પદાધિકારી તરીકે નિયુક્ત કરીને લોકશાહી માત્ર નામની રહેવા દીધી હતી.

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">