સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 67,161 પર પહોંચી છે. જેમાંથી 43,976 એક્ટિવ કેસ છે, 20,969 દર્દીઓ રિક્વર થઈ ચૂક્યા છે અને 2,212 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોરોના વાઈરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 22,171 કેસ નોંધાયા છે. જેમાંથી 17,140 કેસ એક્ટિવ છે અને 4,199 લોકો રિક્વર થઈ ચૂક્યા છે અને 832 લોકોના વાઈરસથી મોત થયા છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં સૌથી વધુ 13,739 કેસ અત્યાર સુધી નોંધાયા છે.
ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી 8,195 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 5,157 કેસ એક્ટિવ છે અને 2,545 લોકો રિક્વર પણ થઈ ચૂક્યા છે, ત્યારે 493 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જ્યાં કોરોનાના 5,818 કેસ નોંધાયા છે અને 381 લોકોના મોત થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:25 am, Mon, 11 May 20