Sameer Wankhede vs Nawab Malik: સમીર વાનખેડેના પિતાના માનહાનિના દાવા પર સુનાવણી 10 નવેમ્બર સુધી ટળી, HCએ નવાબ મલિક પાસે મંગળવાર સુધીમાં માંગ્યો જવાબ
સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે દ્વારા એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિક વિરુદ્ધ કરવામાં આવેલા માનહાનિના દાવા પર સુનાવણી 10 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. આ અંગે બોમ્બે હાઈકોર્ટે નવાબ મલિક પાસેથી આવતીકાલ સુધીમાં જવાબ માંગ્યો છે.
એનસીબી (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede)ના પિતા જ્ઞાનદેવ વાનખેડે (Gnyanev Wankhede) દ્વારા એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિક (Nawab Malik) સામે કરવામાં આવેલા માનહાનિના દાવા પર સુનાવણી 10 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. મુંબઈ હાઈકોર્ટે (Bomabay High Court) આ માનહાનિના દાવા પર નવાબ મલિક પાસેથી જવાબ માંગ્યો છે. નવાબ મલિકને મંગળવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પછી આ કેસમાં સુનાવણી શરૂ થશે.
સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેણે 1.25 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. જ્ઞાનદેવે પોતાની અરજીમાં કહ્યું છે કે મલિક સતત તેમના પરિવારને બદનામ કરી રહ્યા છે. મલિકના આરોપોએ તેમની છબી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.
ગયા અઠવાડિયે સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ પણ એનસીપી નેતા નવાબ મલિક પર રાજકીય દુશ્મનાવટ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. યાસ્મિને કહ્યું હતું કે નવાબ મલિકે પણ મારા સોશિયલ મીડિયા હેન્ડલને પણ સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે. તેઓ ગેરકાયદેસર રીતે ફોટા મેળવવાની હદ સુધી પહોંચી ગયા છે.
નવાબ મલિકે ફરી સમીર વાનખેડે પરિવાર પર સાધ્યું નિશાન
પરંતુ સમીર વાનખેડેના પિતા દ્વારા કરવામાં આવેલા બદનક્ષીના દાવાની નવાબ મલિક પર કોઈ અસર થઈ ન હોય તેવું લાગી રહ્યું છે. તેમણે સોમવારે (8 નવેમ્બર) ટ્વીટ કરીને અને પત્રકારો સાથે વાતચીત કરતી વખતે સમીર વાનખેડેના પરિવાર પર હુમલો ચાલુ રાખ્યો.
તેમણે આજે સમીર વાનખેડેની સાળી પર આરોપ લગાવ્યો. નવાબ મલિકે કહ્યું ‘સમીર દાઉદ વાનખેડે, શું તમારી ભાભી હર્ષદા દીનાનાથ રેડકર ડ્રગ્સના ધંધામાં છે? તમે આનો જવાબ આપો કારણ કે તેમનો કેસ પૂણેની કોર્ટમાં પેન્ડિંગ છે. આ સાબિતી લો.’ આમ લખીને નવાબ મલિકે ટ્વિટર પર પુરાવા તરીકે કેટલાક ડોક્યુમેન્ટ શેર કર્યા છે.
Sameer Dawood Wankhede, is your sister-in-law Harshada Dinanath Redkar involved in the drug business ?You must answer because her case is pending before the Pune court.Here is the proof pic.twitter.com/FAiTys156F
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 8, 2021
જવાબમાં સમીર વાનખેડેએ કહ્યું કે નવાબ મલિક જે ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા છે તે 2008ની છે. તેમણે વર્ષ 2017માં ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા હતા. 2008માં તેઓ NCBની નોકરીમાં પણ જોડાયા ન હતા તો પછી આ મામલે તેમને સવાલ કેમ પૂછવામાં આવે છે? આનો જવાબ આપતાં સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે મીડિયાને એક સંદેશ મોકલ્યો હતો. તેમણે કહ્યું કે તેની બહેન નવાબ મલિકને કોર્ટમાં આનો જવાબ આપશે.
આ પણ વાંચો : સમીર વાનખેડેની સાળી પણ ડ્રગ્સ રેકેટમાં સામેલ, ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો