છોટા શકીલે આતંકવાદી ઘટનાઓ માટે મોકલ્યા પૈસા, NIAની તપાસમાં દાઉદની D કંપની વિશે મોટો ખુલાસો

|

May 19, 2022 | 3:52 PM

દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) ખાસ વ્યક્તિ છોટા શકીલે (Shakeel) મુંબઈ સહિત દેશના વિવિધ શહેરોમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે નાણાં મોકલ્યા છે. NIAની તપાસમાં આ વાત સામે આવી છે.

છોટા શકીલે આતંકવાદી ઘટનાઓ માટે મોકલ્યા પૈસા, NIAની તપાસમાં દાઉદની D કંપની વિશે મોટો ખુલાસો
Chhota Shakeel (File Photo)

Follow us on

પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) ખાસ વ્યક્તિ છોટા શકીલે (Shakeel) મુંબઈ સહિત દેશના વિવિધ શહેરોમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે નાણાં મોકલ્યા છે. આ ટેરર ​​ફંડિંગ (Terror Funding) હવાલા રેકેટ દ્વારા કરવામાં આવ્યું છે. નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એજન્સી (NIA)ની તપાસમાં આ વાત સામે આવી છે. દાઉદ ઈબ્રાહિમની ટોળકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડી રહી હોવાની માહિતી મળ્યા બાદ ફેબ્રુઆરીમાં NIAએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સાગરિતો સામે UAPA એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

આ સંબંધમાં દાઉદની બહેન હસીના પારકરના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં અનેક હવાલા ટ્રાન્ઝેક્શનનો મામલો સામે આવ્યો હતો. આ પછી NIAની તપાસની સાથે EDએ પણ તપાસ શરૂ કરી. NIAની કાર્યવાહીનો બીજો તબક્કો ગત સપ્તાહે શરૂ કરવામાં આવ્યો હતો.

NIAના સૂત્રોના હવાલાથી પ્રાપ્ત માહિતી અનુસાર, દાઉદ સાથે સંબંધિત લોકોએ મોટા પાયે હવાલા રેકેટ દ્વારા પૈસા જમા કર્યા છે. આ પૈસાનો ઉપયોગ દેશના મહત્વના સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરાવવામાં થવાનો હોવાનો છે. આ રીતે મહત્વના નેતાઓની હત્યા કરવા અને જનતામાં ભય ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ અંગેના ઈનપુટ મળ્યા બાદ ગત સપ્તાહે મુંબઈ અને થાણેમાં 29 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આતંકવાદી ગતિવીધિનો હેતુ લોકોમાં ગભરાટ ફેલાવવાનો હતો

મુંબઈ અને થાણેમાં બાંદ્રા, નાગવાડા, મુંબ્રા, બોરીવલી, ગોરેગાંવ, સાંતાક્રુઝ, પરેલ, મીરા રોડ-ભાઈંદર જેવા સ્થળોએ NIAના દરોડામાં એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમના પર દાઉદ સાથે સંબંધિત હવાલા રેકેટ ચલાવવા, શાર્પ શૂટર તરીકે કામ કરવાનો, ડ્રગ્સનો ધંધો ચલાવવા અને વિસ્ફોટકો તૈયાર કરવાનો આરોપ છે. આ દરોડામાં NIAને છોટા શકીલ દ્વારા ફંડિંગની માહિતી મળી છે. આ દરોડા પછી NIA સહિતની તપાસ એજન્સીઓ દેશભરમાં હવાલા વેપારીઓ પર ચાંપતી નજર રાખી રહી છે.

દાઉદ ટોલીના છોટા શકીલ, જાવેદ ચિકના, ટાઈગર મેમણના ઈશારે મુંબઈમાં આતંકી ગેંગ રચાઈ છે. આ ગ્રૂપ વિશે માહિતી મળ્યા બાદ એન્ટી રાયોટ સ્ક્વોડ પણ સતર્ક થઈ ગઈ છે. NIAએ આ કેસમાં 21 લોકોને પોતાના રડારમાં રાખ્યા છે. આમાંના કેટલાક લોકો દાઉદ ઈબ્રાહિમના સંબંધીઓ અને તેના માટે કામ કરતા સાગરિતો છે. NIAને શંકા છે કે છોટા શકીલ હવાલા દ્વારા આ લોકોને પૈસા મોકલતો હતો. એવી પણ આશંકા છે કે, આમાંથી કેટલાક લોકો મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં રહીને રાજકીય નેતાઓ પર નજર રાખતા હતા.

Next Article