AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ગણેશ ચતુર્થી પર ભીડની શક્યતાને લઈને મુંબઈના મેયરનું નિવેદન, “કોરોનાની ત્રીજી લહેર આવશે નહી આવી ગઈ છે”

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લોકોને તેમના ઘરમાં રહીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરવાનું કહ્યું. આ સાથે મેયરે સાવધાની રાખવા પણ જણાવ્યું હતું.

Mumbai: ગણેશ ચતુર્થી પર ભીડની શક્યતાને લઈને મુંબઈના મેયરનું નિવેદન, “કોરોનાની ત્રીજી લહેર આવશે નહી આવી ગઈ છે”
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લોકોને કોરોનાની સ્થિતિ અંગે આપી ચેતવણી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 8:43 PM
Share

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો (Corona Cases in Maharashtra)  ફરી એકવાર વધી રહ્યા છે, આ દરમિયાન આગામી ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) તહેવારને લઈને સરકારની ચિંતા વધી છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Mumbai Mayor Kishori Pednekar)  લોકોને  ઘરની બહાર ગણેશ ચતુર્થીની ઉજવણીને લઈને ચેતવણી આપી હતી. મેયરે કહ્યું કે અહીં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave)  દસ્તક આપી ચુકી છે, તેથી ઘરે રહીને જ તહેવારની ઉજવણી કરો.

કિશોરી પેડનેકરે મંગળવારે મીડિયાને કહ્યું, “કોરોનાની ત્રીજી લહેર આવી નથી રહી, તે પહેલેથી જ અહીં છે. નાગપુરમાં તેની જાહેરાત થઈ ચૂકી છે. પેડનેકરે મુંબઈમાં લોકોને ગણેશ ચતુર્થી દરમિયાન ઘરમાં રહીને જ ઉજવણી કરવાની અપિલ કરી હતી. ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ પ્રસંગે મેયરે ભાર મૂક્યો હતો કે લોકોએ કોરોનાનો ફેલાવો અટકાવવા માટે માસ્ક પહેરવું જોઈએ તેમજ અન્ય સાવચેતી પણ રાખવી જોઈએ.

મંત્રી નીતિન રાઉતે ત્રીજી લહેરના આગમનનો ઉલ્લેખ કર્યો

છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને જોતા મેયરે ચિંતા વ્યક્ત કરી છે. કિશોરી પેડણેકર નાગપુરના સંરક્ષક મંત્રી નીતિન રાઉતની (Minister Nitin Raut) ટિપ્પણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે શહેર પહેલેથી જ કોવિડ -19 ની ત્રીજી લહેરની પકડમાં છે. એક પ્રતિષ્ઠીત ન્યૂઝ એજન્સી અનુસાર નીતિન રાઉતે જણાવ્યું કે, “લાંબા સમય બાદ આજે અહી બમણા પોઝિટિવ કેસો આવ્યા છે. ત્રીજી લહેર દસ્તક આપી ચુકી છે.

આવનારા દિવસોમાં વધુ નિયંત્રણો લાદવામાં આવશે

રાઉતે એમ પણ કહ્યું કે આગામી ત્રણથી ચાર દિવસમાં જિલ્લામાં વધુ નિયંત્રણો લગાવવામાં આવી શકે છે કારણ કે દૈનિક સંક્રમણની સંખ્યા બે આંકડામાં વધી રહી છે. સોમવારે, શહેરમાં કોવિડ -19 ના 12 કેસ નોંધાયા હતા, જેના કારણે આ સંખ્યા 493,072 પર પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે વધારવામાં આવનારા પ્રતિબંધોમાં રેસ્ટોરન્ટ્સને રાત્રે 10 વાગ્યાની જગ્યાએ 8 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાની, દુકાનો અને અન્ય સંસ્થાઓ સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી શકે છે તેમજ વીકેન્ડમાં સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ પણ અપાઈ શકે છે.

આ સાથે જ મંત્રીએ એમ પણ કહ્યું કે માત્ર આવશ્યક સેવાઓને જ સંચાલિત કરવાની મંજૂરી આપી શકાય છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બે થી ત્રણ દીવસોમાં વેપારીઓ અને અન્ય સંગઠનો સાથે બેઠક કર્યા બાદ વધેલા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો :  Investigation Report Leaked Case: અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગા અને સીબીઆઈ ઈન્સ્પેક્ટરને બે દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

આ પણ વાંચો :  Maharashtra : મોહન ભાગવતે સમજાવ્યો હિન્દુ હોવાનો અર્થ, જાણો આ પર શરદ પવારે શું આપી પ્રતિક્રિયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">