AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સચિન વાજેને નહીં મળે હોસ્પિટલમાંથી રજા, કોર્ટે કહ્યું ‘હાઉસ અરેસ્ટ પર ફેંસલો આવ્યા બાદ જ મળશે ડીસ્ચાર્જ’

વાજે, મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયાની બહાર એક વાહનમાં વિસ્ફોટક સામગ્રી મળવાના મામલે તથા મનસુખ હિરેન હત્યા કેસમાં આરોપી છે. હોસ્પિટલે કોર્ટને જાણ કરી હતી કે વાજેને 28 સપ્ટેમ્બરે રજા મળી શકે છે.

સચિન વાજેને નહીં મળે હોસ્પિટલમાંથી રજા, કોર્ટે કહ્યું 'હાઉસ અરેસ્ટ પર ફેંસલો આવ્યા બાદ જ મળશે ડીસ્ચાર્જ'
સચિન વાજે. (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 11:54 PM
Share

મુંબઈની વિશેષ અદાલતે મંગળવારે હોસ્પિટલને નિર્દેશ આપ્યો હતો કે બરતરફ કરાયેલા પોલીસ કર્મચારી સચિન વાજેની (Sachin Vaze) હોમ કસ્ટડી માટેની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં ન આવે. વાજે હાર્ટ સર્જરી (ઓપન હાર્ટ સર્જરી) પછી હોસ્પિટલમાં દાખલ છે.

વાજે, મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયાની બહાર એક વાહનમાં વિસ્ફોટક સામગ્રી મળવાના મામલે તથા મનસુખ હિરેન હત્યા કેસમાં આરોપી છે. હોસ્પિટલે કોર્ટને જાણ કરી હતી કે વાજેને 28 સપ્ટેમ્બરે રજા મળી શકે છે. વાજેએ તેમના વકીલ રૌનક નાયક મારફતે મંગળવારે વિનંતી કરી હતી કે જ્યાં સુધી તેમની હોમ કસ્ટડી માટેની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં ન આવે.

હાર્ટ સર્જરી બાદ હાઉસ એરેસ્ટની માંગ કરવામાં આવી હતી

વાજે ગયા અઠવાડિયે દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે હાર્ટ સર્જરી બાદ રિકવરી માટે તેને હોમ કસ્ટડીમાં રહેવાની મંજૂરી આપવામાં આવે. જોકે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે વાજે ફરાર થઈ શકે છે. મંગળવારે, સ્પેશિયલ જજ એ.ટી. વાનખેડેએ હોસ્પિટલને બુધવાર સુધી વાજેને ડિસ્ચાર્જ ન આપવાનો નિર્દેશ આપ્યો હતો, કારણ કે તેમની અરજી પર તે જ દિવસે સુનાવણી થવાની છે.

બેન્ચે કહ્યું કે આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈપણ આદેશને લાગુ કરવાનો છે. ખંડપીઠે કહ્યું, “કાયદાઓ તો છે, પરંતુ આખરે તેનો  અમલ પણ થવો જોઈએ. અમારા આદેશનો સાચી ભાવનાથી અમલ થવો જોઈએ. ”

13 સપ્ટેમ્બરે કરવામાં આવી વાજેની સર્જરી

સચિન વાજેની 13 સપ્ટેમ્બરે એક ખાનગી હોસ્પિટલમાં ઓપન હાર્ટ બાયપાસ સર્જરી થઈ હતી. સર્જરી બાદ વાજેને 17 સપ્ટેમ્બરે ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 સપ્ટેમ્બરે તેમના ટાંકા કાઢવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 100 કરોડનો વસુલી કેસ હાઈ પ્રોફાઈલ કેસ છે. જ્યારથી આ કેસ બહાર આવ્યો છે, ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં એનઆઈએ દ્વારા કોર્ટમાં સચિન વાજે સહિત 10 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

NIAની તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કાવતરું સચિન વાજે દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અને બાદમાં સ્કોર્પિયોના માલિક હિરેન મનસુખની પણ કથિત રીતે પકડાઈ જવાના ડરથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં NIAએ તમામ 10 આરોપીઓ સામે આર્મ્સ એક્ટ અને UAPAમાં અનેક કલમો સાથે ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પણ વાંચો :  Mumbai Sakinaka Rape: મુંબઈ પોલીસે સાકીનાકા બળાત્કાર કેસમાં ચાર્જશીટ દાખલ કરી, 346 પાનામાં 77 લોકોના નોંધાયા જવાબો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">