Amravati Murder Case: ઉમેશ કોલ્હેની હત્યા મુદ્દે કોંગ્રેસ નેતાનો રાણા દંપતી પર ગંભીર આરોપ, હત્યાનો માસ્ટરમાઈન્ડ તેમનો જ કાર્યકર્તા

|

Jul 10, 2022 | 5:42 PM

તમને જણાવી દઈએ કે ઉમેશ કોલ્હે અમરાવતીમાં એક મેડિકલ શોપના માલિક હતા, જેની 21 જૂન 2022ની રાત્રે ઘરે જતા સમયે હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા ઉદયપુરના કન્હૈયા મર્ડર સાથે જોડાયેલી હતી.

Amravati Murder Case: ઉમેશ કોલ્હેની હત્યા મુદ્દે કોંગ્રેસ નેતાનો રાણા દંપતી પર ગંભીર આરોપ, હત્યાનો માસ્ટરમાઈન્ડ તેમનો જ કાર્યકર્તા
Navneet Rana and Yashomati Thakur
Image Credit source: File Image

Follow us on

અમરાવતીના સાંસદ નવનીત રાણા (Amravati Murder Case) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મહારાષ્ટ્રના અમરાવતી મર્ડર કેસને લઈને અમરાવતી પોલીસ કમિશનર આરતી સિંહ અને સંરક્ષક મંત્રી યશોમતી ઠાકુર પર ગંભીર આરોપ લગાવ્યો હતો. નવનીત રાણાએ (Navneet Rana) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને કહ્યું હતું કે મહા વિકાસ અઘાડી સરકાર ઉમેશ કોલ્હેની (Umesh Kolhe) હત્યાના કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. રાણા દંપતીના આરોપોના જવાબમાં કોંગ્રેસ નેતા અને અમરાવતીના પૂર્વ સંરક્ષક મંત્રી યશોમતી ઠાકુરે રાણા દંપતી પર ગંભીર આરોપ લગાવ્યા છે. યશોમતી ઠાકુરે કહ્યું છે કે રાણા દંપતીએ ઉમેશ કોલ્હેની હત્યાને ઘટના બનાવી છે અને કોલ્હેની હત્યાનો માસ્ટરમાઈન્ડ પોતે રાણા દંપતીના પક્ષનો કાર્યકર છે.

તમને જણાવી દઈએ કે ઉમેશ કોલ્હે અમરાવતીમાં એક મેડિકલ શોપના માલિક હતા, જેની 21 જૂન 2022ની રાત્રે ઘરે જતા સમયે હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા ઉદયપુરના કન્હૈયા મર્ડર સાથે જોડાયેલી હતી. ભાજપના નેતા અનિલ બોંડેએ દાવો કર્યો હતો કે ઉદયપુરના ટેલર કન્હૈયાલાલની જેમ ઉમેશ કોલ્હેની પણ સોશિયલ મીડિયા પર નિલંબિત ભાજપ પ્રવક્તા નુપુર શર્માની તરફેણમાં પોસ્ટ કરવાના કારણે હત્યા કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે આ પછી ઉમેશ કોલ્હેને ઘણી ધમકીઓ મળી હતી.

ઉમેશ કોલ્હે મર્ડરનો માસ્ટર માઈન્ડ, રાણા કપલનો વર્કર છે ફુલ ટાઈમ

યશોમતી ઠાકુરે આ મુદ્દે કહ્યું ‘રાણા દંપતી એટલે ઊંધો ચોર કોટવાલને ઠપકો આપે છે. ઉમેશ કોલ્હેની હત્યા કેસનો માસ્ટર માઈન્ડ રાણા દંપતીનો કાર્યકર છે. તેમણે રાણા દંપતીના તત્કાલિન મુખ્યમંત્રીના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાના આગ્રહને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

54 વર્ષીય ઉમેશ કોલ્હેની 21 જૂનના રોજ ઘરે પરત ફરતી વખતે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેના શરીર પર છરીના અનેક ઘા કરવામાં આવ્યા હતા. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટને હત્યાનું કારણ જણાવવામાં આવ્યું છે.

Next Article