AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું ‘ BJP મહારાષ્ટ્રના હિંદુઓમાં ભાગલા પાડવા માંગે છે’

મુખ્ય પ્રધાને ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વિના આક્ષેપ કર્યો હતો કે ભાજપ મહારાષ્ટ્રને (Maharashtra) "હિંદુ વિરોધી" તરીકે દર્શાવવા માંગે છે.

CM ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું ' BJP મહારાષ્ટ્રના હિંદુઓમાં ભાગલા પાડવા માંગે છે'
CM Uddhav Thackeray ((File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 11:16 AM
Share

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને શિવસેના (Shiv sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ભાજપ પર રાજ્યમાં હિંદુઓમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો. ઠાકરેએ કોંકણ અને પશ્ચિમ, ઉત્તર મહારાષ્ટ્રના પક્ષના જિલ્લા પ્રમુખોને ઓનલાઈન સંબોધનમાં આ નિવેદન આપ્યું હતું. શિવસેના દ્વારા શેર કરાયેલા ઠાકરેના ભાષણના મુદ્દાઓ અનુસાર, મુખ્ય પ્રધાને ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વિના આક્ષેપ કર્યો હતો કે ભાજપ મહારાષ્ટ્રને (Maharashtra) “હિંદુ વિરોધી” તરીકે દર્શાવવા માંગે છે, જેમ તેણે અગાઉ પશ્ચિમ બંગાળમાં (West Bengal) કર્યું હતું.

ઠાકરેએ કહ્યું કે, અમે હંમેશા કહીએ છીએ કે મહારાષ્ટ્ર દિશા બતાવે છે. હવે મહારાષ્ટ્રે ફરી દિશા બતાવવી જોઈએ, મહારાષ્ટ્રમાં હિન્દુઓ, મરાઠીઓ અને બિનમરાઠીઓમાં ભાગલા પાડવું એ ભાજપનું કાવતરું છે. ઠાકરેએ પક્ષના નેતાઓને સંબોધ્યા પછી શિવસેનાના સાંસદ સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે ઠાકરેએ પાર્ટીનું સંગઠન બનાવવાનો આગ્રહ કર્યો હતો.

ઢોંગ કરનારાઓને ખુલ્લા પાડો

રાઉતે કહ્યું કે જો શિવસેના પર રાજકીય હુમલા કરવામાં આવે તો ઠાકરેએ પણ જવાબ આપ્યો. ઠાકરેએ કહ્યું કે આપણે ઢોંગ કરનારા તત્વોનો પર્દાફાશ કરવો પડશે. નકલી હિન્દુત્વવાદીઓ તરફથી શિવસેના સામે કોઈ પડકાર નથી. સાંસદે કહ્યું કે ઠાકરે નજીકના ભવિષ્યમાં મહારાષ્ટ્રના ભાગોની મુલાકાત લેવાનો પણ સંકલ્પ કર્યો છે.

ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં અયોધ્યા જશે

આ સાથે સંજય રાઉતે અગાઉ માહિતી આપી હતી કે CM ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં અયોધ્યાની મુલાકાત લેશે. રાજ ઠાકરેની મુલાકાતના સમાચાર આવ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરે પહેલા પર્યાવરણ અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે પણ અયોધ્યા જવાના છે. સાથે જ ભાજપ પણ શિવસેના પર હિન્દુત્વને લઈને સતત પ્રહારો કરી રહ્યું છે. ઉપરાંત ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં એક મોટી સભા યોજવા જઈ રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Maharashtra Corona Reports: મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાએ ફરી ઝડપ પકડી, 150 થી વધુ નવા કેસ નોંધાયા

આ પણ વાંચો :  Maharashtra: કુલર બન્યુ કિલર? ઠંડી હવા ઝેરી બની અને નાશિકમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">