AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના આ મોટા નેતાને મળી જાનથી મારી નાખવાની ધમકી, મરાઠી ભાષામાં મળ્યો મેસેજ

Chhagan Bhujbal Death Threat: પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધમકી ભરેલો મેસેજ મરાઠી ભાષામાં મળ્યો હતો. તેમાં યોગ્ય રીતે વ્યવહાર કરવાની ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ કહેવામાં આવ્યું હતું કે તે વધારે દિવસ સુધી જીવતા નહીં રહે. જો આ ધમકીને તે નહીં માને તો હિસાબ બરાબર કરી દેવામાં આવશે.

મહારાષ્ટ્રના આ મોટા નેતાને મળી જાનથી મારી નાખવાની ધમકી, મરાઠી ભાષામાં મળ્યો મેસેજ
Chhagan Bhujbal Death Threat
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 6:55 AM
Share

Chhagan Bhujbal Death Threat: મહારાષ્ટ્રના મંત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મંત્રી છગન ભૂજબળને (Chhagan Bhujbal) જાનથી મારી નાખવાનો એક વોટ્સએપ મેસેજ મળ્યો છે. ત્યારબાદ નેતાએ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ મળ્યા બાદ નાસિક પોલીસ તેની તપાસમાં જોતરાઈ ગઈ છે. પોલીસના એક અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે નાસિકમાં જ્યારે તે પોતાના ઘર પર હતા, ત્યારે તેમને આ ધમકી મળી અને ધમકીમાં કહેવામાં આવ્યું છે કે હિસાબ બરાબર થઈ જશે.

નાસિક પોલીસે તપાસ કરી તેજ

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધમકી ભરેલો મેસેજ મરાઠી ભાષામાં મળ્યો હતો. તેમાં યોગ્ય રીતે વ્યવહાર કરવાની ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ કહેવામાં આવ્યું હતું કે તે વધારે દિવસ સુધી જીવતા નહીં રહે. જો આ ધમકીને તે નહીં માને તો હિસાબ બરાબર કરી દેવામાં આવશે. ધમકી ભરેલા આ મેસેજને લઈને પોલીસ સ્ટેશનનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારબાદ નાસિક પોલીસે તેની તપાસ તેજ કરી છે.

જો કે હાલમાં એ જાણી શકાયુ નથી કે આ મેસેજ કોણે, ક્યાં અને કયા નંબરથી મોકલ્યો હતો, ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી NCPના પૂર્વ ઝોનલ ચીફ સમીર વાનખેડેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Maharashtra News: શિવસેનાના 16 ધારાસભ્યોની અયોગ્યતા મામલે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને લગાવી ફટકાર

સમીર વાનખેડેને પણ મળી હતી ધમકી

બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ તરફથી સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સમીર વાનખેડે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવા મામલે ચર્ચામાં આવ્યા હતા. હાલમાં સમીર વાનખેડે ચેન્નાઈમાં કાર્યરત છે. ધમકી મળ્યા બાદ તેમને ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કોઈએ સંજ્ય રાઉતને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">