Breaking news : શરદ પવારને પદ પરથી હટાવી, અજિત પવાર બન્યા NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ, જુઓ Video

અજિત પવાર અને શરદ પવાર વચ્ચેની રાજકીય લડાઈ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. અજિત પવારે કાકા શરદ પવારને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવ્યા છે.અજિત પવાર પોતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.

Breaking news : શરદ પવારને પદ પરથી હટાવી, અજિત પવાર બન્યા NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ, જુઓ Video
Ajit Pawar, Sharad Pawar
Follow Us:
Dhinal Chavda
| Edited By: | Updated on: Jul 05, 2023 | 11:28 PM

મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ વચ્ચે અજિત પવારના જૂથે મોટો દાવો કર્યો છે. અજિત પવારના જૂથ અનુસાર, શરદ પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. અજિત પવાર પોતે હવે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે બિરાજમાન છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 30 જૂને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવસભરની સંખ્યાની રમત અને તાકાતના પ્રદર્શન પછી, અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નું બળવા લાવ્યું છે. આ બદલાવ બાદ શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. એવી આશંકા છે કે અજિત પવારના આ પગલા બાદ શરદ તરફી ધારાસભ્યો અને સાંસદો પણ પોતાનો પક્ષ બદલી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 30 જૂને મુંબઈમાં યોજાઈ હતી. પ્રફુલ્લ પટેલ વતી આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શરદ પવારના સ્થાને અજિત પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પાર્ટી લોકોના કલ્યાણના ઉદ્દેશ્યથી દૂર જઈ રહી છે. આ પછી ચૂંટણી પંચને અરજી મોકલવામાં આવી હતી.

’83 વર્ષના થયા છો, ક્યારે રોકાશો?’

અગાઉ મંગળવારે બંને જૂથોની અલગ-અલગ બેઠક થઈ હતી, જેમાં ઉગ્ર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. NCPના 31 ધારાસભ્યો અજિત પવારની બેઠકમાં પહોંચ્યા અને દાવો કર્યો કે તેમને 42 ધારાસભ્યોનું સમર્થન છે.

દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !

પોતાના સંબોધનમાં અજિત પવારે કાકા શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે પવાર સાહેબ તમે 83 વર્ષના છો. તમે ક્યારેય રોકશો કે નહીં? અમે સરકાર ચલાવી શકીએ છીએ, અમારી પાસે સત્તા છે, તો પછી અમને તક કેમ નથી મળતી. કોઈ પણ ઘરમાં 60 વર્ષ પછી નિવૃત્ત થઈને આશીર્વાદનું કામ કરો, તો પછી તમે એ જ કેમ નથી કરતા?

અજીત પવારના આ નિવેદન બાદ શરદ પવારની પૂત્રી સુપ્રિયા સુળેએ પણ અજીત પવાર પર વળતો વાકપ્રહાર કર્યો છે. તેણે કહ્યું છે કે,માતા પિતાના નામે વિવાદ ના કરશો. અમારા માટે ગમે તેમ બોલશો કે ટીકા કરશો તો ચાલશે. જુઓ Video

પવારે કહ્યું- વાતચીત દ્વારા ઉકેલ શોધો

તે જ સમયે, શરદ પવારે કાર્યકર્તાઓને સંવાદમાં કહ્યું કે ‘જો તમે કોઈ વાત સાથે સહમત ન હોવ તો વાતચીત કરીને ઉકેલ શોધવો જોઈએ. કાર્યકરોના કારણે એનસીપી અહીં પહોંચી હતી. આજની બેઠક ઐતિહાસિક છે. આજે દેશ આપણને જોઈ રહ્યો છે. અમારી પાર્ટીએ નવા નેતાઓ આપ્યા છે. જો તમે સહમત ન હોવ તો વાત કરીને ઉકેલ શોધો. ભૂલ સુધારવાનું કામ આપણું છે. હું પ્રજાની વચ્ચે છું, સત્તામાં નથી. જો પ્રક્રિયા લોકતાંત્રિક રીતે ચલાવવી હોય તો સંવાદ જરૂરી છે.

પવારે કહ્યું- વાતચીત દ્વારા ઉકેલ શોધો

તે જ સમયે, શરદ પવારે કાર્યકર્તાઓને સંવાદમાં કહ્યું કે ‘જો તમે કોઈ વાત સાથે સહમત ન હોવ તો વાતચીત કરીને ઉકેલ શોધવો જોઈએ. કાર્યકરોના કારણે એનસીપી અહીં પહોંચી હતી. આજની બેઠક ઐતિહાસિક છે. આજે દેશ આપણને જોઈ રહ્યો છે. અમારી પાર્ટીએ નવા નેતાઓ આપ્યા છે. જો તમે સહમત ન હોવ તો વાત કરીને ઉકેલ શોધો. ભૂલ સુધારવાનું કામ આપણું છે. હું પ્રજાની વચ્ચે છું, સત્તામાં નથી. જો પ્રક્રિયા લોકતાંત્રિક રીતે ચલાવવી હોય તો સંવાદ જરૂરી છે.

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
g clip-path="url(#clip0_868_265)">