AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સંજય રાઉતના સબંધીને ત્યાં EDના દરોડા, 100 કરોડથી વધુના કૌભાંડનો છે આરોપ

ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતના નજીકના સુજીત પાટકરના 10 સ્થળો પર EDની ટીમે દરોડા પાડ્યા છે.

Breaking News: સંજય રાઉતના સબંધીને ત્યાં EDના દરોડા, 100 કરોડથી વધુના કૌભાંડનો છે આરોપ
ed raids
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 12:36 PM
Share

ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતના નજીકના સુજીત પાટકરના 10 સ્થળો પર EDની ટીમે દરોડા પાડ્યા છે. કોરોનાના સમયગાળા દરમિયાન બીજેપી નેતા કિરીટ સોમૈયાએ લાઈફ લાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ કંપની પર 100 કરોડથી વધુના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. આજે EDએ આ જ સંદર્ભે દરોડા પાડ્યા છે. આ સિવાય કોવિડ સમયગાળા દરમિયાન BMCના એડિશનલ કમિશનર રહેલા IAS સંજીવ જયસ્વાલના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણના ઘરે પણ EDના દરોડા પડ્યા છે.

સૂરજ ચવ્હાણ શિવસેના યુબીટીના સેક્રેટરી છે અને આદિત્ય ઠાકરેની ખૂબ નજીક હોવાનું પણ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં EDની ટીમે 15 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. ED એ BMCના વરિષ્ઠ અધિકારીઓ, સપ્લાયર્સ, શહેરમાં કોવિડ-સંબંધિત સેવાઓ શરૂ કરવામાં મદદ કરનાર સર્વિસ કોન્ટ્રાક્ટરો અને કૌભાંડમાં અન્ય સાથીદારો સામે કાર્યવાહી કરી છે.

કોવિડ સમયગાળા દરમિયાન કૌભાંડનો છે મામલો

કોવિડ યુગ દરમિયાન, સુજિત પાટકરની લાઇફલાઇન હોસ્પિટલ મેનેજમેન્ટ કંપની સેવાઓ સંબંધિત કૌભાંડની અગાઉ આર્થિક ગુના શાખા દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. હવે EDએ કાર્યવાહી કરી છે. કોવિડ યુગ દરમિયાન તબીબી સેવાઓ પૂરી પાડવાના નામે કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવતા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈના આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી, ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં કેસ નોંધીને સુજીત પાટકરના કૌભાંડની તપાસ શરૂ કરી. આ પછી આજે સવારે 8 વાગ્યાની આસપાસ EDના છ-સાત અધિકારીઓ સુજીત પાટકર સાથે સંબંધિત અલગ-અલગ સ્થળોએ પહોંચ્યા અને દરોડા શરૂ કર્યા.

તત્કાલિન BMC કમિશનરના ઘરે દરોડા

સજંય રાઉતના સબંધી પહેલા પહેલા ED BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલની પણ પૂછપરછ કરી ચૂકી છે. જે દરોડો પણ કોવિડ સમયગાળા દરમિયાન કોન્ટ્રાક્ટ આપવા સંબંધિત કૌભાંડને લઈને કરવામાં આવ્યો છે. જેમાં BMC એડિશનલ કમિશનર સંજીવ જયસ્વાલ અને રાજીવ સાલુંખે, હેમંત ગુપ્તા, સંજય શાહ જેવા અધિકારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે. જે જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બહારથી કોઈને બહાર જવાની કે અંદર આવવાની છૂટ નથી. ફોન પર વાત કરવાની પણ મંજૂરી નથી. BMC ચૂંટણી નજીક, EDની આ મોટી કાર્યવાહીથી મુંબઈમાં ખળભળાટ મચી ગયો છે.

આદિત્ય ઠાકરેના ખાસ સૂરજ ચવ્હાણ

આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણના ઘરે પણ EDના દરોડા શરૂ થયા છે. વિવિધ ચૂંટણીઓમાં ઠાકરે જૂથ માટે પડદા પાછળ ચૂંટણી સમીકરણ તૈયાર કરવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે. આગામી BMC ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કાર્યવાહી કરવામાં આવશે

મુંબઈમાં કોરોના સમયગાળા દરમિયાન ઘણા કોવિડ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા. સુજીત પાટકર પર એવો આરોપ છે કે તેણે રાતોરાત કંપની ઉભી કરી. નિયમોની વિરુદ્ધ જઈને BMCએ તેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જ્યારે તેને આ કામનો કોઈ અનુભવ નહોતો. કિરીટ સોમૈયાનો આરોપ છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે સુજીત પાટકર સંજય રાઉતના બિઝનેસ પાર્ટનર છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">