AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cruise Drug Case: આર્યન ખાનના જામીન સંબંધિત વિગતવાર આદેશ સામે આવ્યો, કોર્ટે કહ્યું- ગુનાની યોજના બનાવવાના કોઈ પુરાવા નથી

હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ NDPS એક્ટ હેઠળ ગુનો કર્યાની કબૂલાત કરી છે. જો આ વાત માની લેવામાં આવે તો પણ આ કેસમાં મહત્તમ સજા એક વર્ષની છે.

Cruise Drug Case: આર્યન ખાનના જામીન સંબંધિત વિગતવાર આદેશ સામે આવ્યો, કોર્ટે કહ્યું- ગુનાની યોજના બનાવવાના કોઈ પુરાવા નથી
Aryan Khan (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 7:15 PM
Share

હાઈકોર્ટે ક્રુઝ ડ્રગ્સ કેસમાં (Cruise Drug Case) શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનને (Aryan Khan Drug Case) જામીન આપી દીધા છે. તે જ સમયે જામીન સંબંધિત બોમ્બે હાઈકોર્ટનો (Bombay Highcourt) વિગતવાર આદેશ આવ્યો છે. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે એવા કોઈ પુરાવા નથી, જેનાથી એવું જાણવા મળે કે આરોપીઓએ ગુનો આચરવાનો પ્લાન બનાવ્યો હતો.

હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ NDPS એક્ટ હેઠળ ગુનો કર્યાની કબૂલાત કરી છે. જો આ વાત માની લેવામાં આવે તો પણ આ કેસમાં મહત્તમ સજા એક વર્ષની છે. આરોપીઓ લગભગ 25 દિવસથી જેલમાં છે. તેણે સંબંધિત સમયે ડ્રગ્સનું સેવન કર્યું હતું કે કેમ તે નક્કી કરવા માટે તેમની તબીબી તપાસ પણ કરવામાં આવી ન હતી.

હાજરી આપવા માટે NCB ઓફિસ પહોંચ્યો આર્યન

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં શુક્રવારે NCB ઓફિસ પહોંચ્યો હતો. આર્યન 1.30 વાગ્યે ઓફિસે પહોંચ્યો અને હાજરી આપી. 10 મિનિટ પછી તે અહીંથી નીકળી ગયો. આ મામલે મુનમુન ધામીચા પણ હાજરી આપવા પહોંચી હતી.

28 ઓક્ટોબરે જામીન મળ્યા હતા

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન 26 દિવસ માટે આર્થર રોડ જેલમાં બંધ હતો. 28 ઓક્ટોબરે હાઈકોર્ટે તેમને જામીન આપવાનો આદેશ આપ્યો હતો. તેને 30 ઓક્ટોબરે મુક્ત કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે 14 શરતો સાથે જામીન આપ્યા હતા. તેમાં એક શરત એવી પણ હતી કે દર અઠવાડિયે શુક્રવારે તેણે NCB ઓફિસમાં હાજર રહીને પોતાની હાજરી વિશે જણાવવું પડશે.

દેશની બહાર નહી જઈ શકે આર્યન

હાઈકોર્ટના આદેશને કારણે આર્યન ખાન પરવાનગી વિના દેશની બહાર જઈ શકશે નહીં. જો તે વિદેશ જવા માગતો હોય તો પણ આ માટે કોર્ટની પરવાનગી લેવી પડશે. તે અરબાઝ મર્ચન્ટ સહિત અન્ય કોઈ આરોપી સાથે વાત કરશે નહીં અને આ અંગે મીડિયા સમક્ષ પણ જશે નહીં. જો આર્યન કોર્ટની કોઈપણ શરતનું ઉલ્લંઘન કરે છે તો NCB પાસે આર્યનના જામીન રદ કરવા માટે અપીલ કરવાનો અધિકાર હશે.

આ પણ વાંચો :  Maharashtra Election : વિધાન પરિષદની ચૂંટણી માટે શિવસેનાએ સુનિલ શિંદેના નામ પર લગાવી મહોર ! આદિત્ય ઠાકરે માટે બેઠક છોડી હતી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">