AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે બીએમસીનો મોટો નિર્ણય, મુંબઈમાં બે ઑક્સીજન રીફિલિંગ પ્લાન્ટ સ્થાપશે

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ Mumbai માં તેના બે ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના દર્દીઓ નોંધાયા છે. જેના કારણે આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભારે બોજ પડ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે બીએમસીનો મોટો નિર્ણય, મુંબઈમાં બે ઑક્સીજન રીફિલિંગ પ્લાન્ટ સ્થાપશે
File Image
| Updated on: May 03, 2021 | 10:03 PM
Share

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ Mumbai માં તેના બે ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના દર્દીઓ નોંધાયા છે. જેના કારણે આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભારે બોજ પડ્યો છે. કોરોના વાયરસની બીજી લહેર દેશ માટે મોટું સંકટ લાવ્યું છે. જેના કારણે ઘણા રાજ્યોમાં કોરોના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. અહીં રાજ્ય સરકારના પ્રયાસો છતાં કોરોના કેસ ઘટવાનું થવાનું નામ નથી લઈ રહ્યા. જેના કારણે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે.

એક અહેવાલ મુજબ, Mumbai ને ઓક્સિજનની વિશાળ તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના સિલિન્ડર રિફિલિંગ પ્લાન્ટ્સમાંથી સપ્લાય કરવામાં આવી રહ્યા છે. ઓક્સિજન, આઈસીયુ બેડ અને વેન્ટિલેટર જેવી અન્ય આરોગ્ય સેવાઓ પણ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની વધતી જતી સંખ્યાને કારણે અસર પામી છે. અહેવાલમાં જણાવાયું છે કે નવી મુંબઈ અને સ્ટેશન પર 50 ટકા ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. બંને રિફિલિંગ સેન્ટર નવી મુંબઈમાં આવેલા હોવાથી, મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં સતત સિલિન્ડરો મોકલે છે.

આ અંગે માહિતી આપતાં એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી.વેલ્સુએ જણાવ્યું હતું કે, અમે મુંબઈમાં વધી રહેલા કોરોના દર્દીઓની સંખ્યાને જોતા, મહાલક્ષ્મી રેસકોર્સ અને મુલુંડના રિચાર્ડસન અને ક્રુડસ જંબો સેન્ટર ખાતે બે ઓક્સિજન બોટલિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છીએ. થોડા દિવસોમાં જમ્બો અને ડ્યુરા સિલિન્ડરને નવી મુંબઈના બોટલિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, Mumbai મા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3672 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ જીવલેણ રોગને કારણે 79 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના આરોગ્ય બુલેટિનમાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના, 56,647 કેસ નોંધાયા છે. દરમિયાન, કોવિડને કારણે 600 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">