MAHARASHTRA : શું મહારાષ્ટ્રમાં બદલાશે મુખ્યપ્રધાન? જાણો શું છે સમગ્ર મામલો
ચંદ્રકાંત પાટીલે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમનો હવાલો અન્ય કોઈને સોંપવો જોઈએ.
MUMBAI : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ છેલ્લા 45 દિવસથી કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો નથી અને ન તો ઓફિસમાં આવી રહ્યા છે. તેમને ભૂતકાળમાં ગળાનું ઓપરેશન થયું હતું, જેના પછી તેઓ આરામ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી દોઢ મહિનાથી વધુ સમય સુધી ઓફિસમાં ન આવ્યા બાદ મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે.
ચંદ્રકાંત પાટીલે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમનો હવાલો અન્ય કોઈને સોંપવો જોઈએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન તેમની ગેરહાજરીને યોગ્ય ગણવામાં આવશે નહીં. પાટીલે વધુમાં કહ્યું કે જો ઉદ્ધવને કોંગ્રેસ અને એનસીપીમાં વિશ્વાસ ન હોય તો રાજ્ય મંત્રી અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેને હવાલો સોંપો.
પાટીલે કહ્યું કે આવું કામ ક્યાં સુધી ચાલશે, કારણ કે મુખ્યમંત્રી વગર વહીવટ ચાલી શકે નહીં, દરેક કામ માટે સીએમની જરૂર છે. આવી સ્થિતિમાં અન્ય કોઈએ આ ચાર્જ સંભાળવો જોઈએ.તો આ તરફ શિવસેના નેતાએ કહ્યું કે મુખ્યપ્રધાન વિધાનસભાના સત્રમાં પણ આવશે. ભાજપ તેમનું ઘર સંભાળે, મહારાષ્ટ્રના સીએમ મુંબઈમાં જ હોવાથી તેમનો કાર્યભાર બીજાને સોંપવાનો કોઇ પ્રશ્ન નથી.