AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબરી કેસઃ રામ મંદિરના નામે સત્તામાં આવી સરકાર, બાળાસાહેબ ઠાકરેને આપવામાં આવે ‘ભારત રત્ન’ એવોર્ડ, પ્રવીણ તોગડિયાની માંગ

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષે નાગપુરમાં કહ્યું કે, 'જ્યાં સુધી આ ચારને ભારત રત્ન નહીં મળે ત્યાં સુધી હું કહીશ કે ભારત સરકારે રામ મંદિર આંદોલનનું સન્માન કર્યું નથી.'

બાબરી કેસઃ રામ મંદિરના નામે સત્તામાં આવી સરકાર, બાળાસાહેબ ઠાકરેને આપવામાં આવે 'ભારત રત્ન' એવોર્ડ, પ્રવીણ તોગડિયાની માંગ
Ram Mandir (symbolic photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 7:01 PM
Share

“અમને બાબરી તોડીને ગર્વ (demolished Babri) છે. જ્યાં મસ્જિદ હતી ત્યાં મંદિર બની રહ્યું છે. અમને તેનો ગર્વ છે.”, એમ વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ પ્રવિણ તોગડિયાનું (Pravin Togadia) કહેવું છે. તેમણે એમ પણ કહ્યું છે કે ‘રામ મંદિર (Ram temple) આંદોલનમાં ભાગ લેનાર અને બાબરી મસ્જિદ તોડવાની ઝુંબેશનું નેતૃત્વ કરનાર ચાર નેતાઓને કેન્દ્રમાં રામ મંદિરના નામે સત્તામાં આવેલી સરકાર દ્વારા ભારત રત્ન (Bharat Ratna) થી સન્માનિત કરવામાં આવે’.

પ્રવીણ તોગડિયાએ ‘ભારત રત્ન’ એવોર્ડ માટે જે ચાર નેતાઓની માંગણી કરી છે તેમાં બાળાસાહેબ ઠાકરેનું નામ સૌથી મહત્વનું છે. બાળાસાહેબ ઠાકરે ઉપરાંત અશોક સિંઘલ, ગોરખ પીઠાધીેશ્વર અવૈદ્યનાથજી, રામચંદ્ર પરમહંસ એવા ત્રણ નામ છે જેમને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે.

બાબરી મસ્જિદ 6 ડિસેમ્બરે જ તોડી પાડવામાં આવી હતી

આજે 6ઠ્ઠી ડિસેમ્બર છે. 29 વર્ષ પહેલા આ દિવસે જ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. આ પૃષ્ઠભૂમિમાં જ પ્રવીણ તોગડિયાએ નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી હતી. પ્રવીણ તોગડિયાએ રામ મંદિર આંદોલનના સંદર્ભમાં કહ્યું હતું કે, ‘હું જન્મ્યો પણ નહોતો ત્યારથી હિંદુ સમાજ લડી રહ્યો હતો. બહાદુરી બતાવી રહ્યો હતો. સંઘર્ષ કરી રહ્યો હતો. તેમાં પણ 6 ડિસેમ્બરનો સંઘર્ષ આ ત્રણ બાબતોમાં અનોખો છે. આ કાર્ય માટે મેં મારી ઉંમરના 32 વર્ષ, તબીબી વ્યવસાય અને તેમાંથી કમાયેલા કરોડો રૂપિયાનું બલિદાન આપ્યું છે, મને તેનો ગર્વ છે. મારી જેમ લાખો કાર્યકરો તેમની કારકિર્દી, તેમની કમાણીનો ત્યાગ કરીને મંદિર નિર્માણ માટે આગળ આવ્યા, મને તેનો ગર્વ છે.

‘જેના કારણે બાબરી પડી, મંદિર બન્યું, તેમાં પહેલું નામ બાળાસાહેબ ઠાકરેનું હતું’

આગળ પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, ‘જો ચાર લોકોનું નેતૃત્વ ન હોત તો બાબરી તોડી શકાઈ ન હોત અને મંદિરનું નિર્માણ શરૂ ન થયું હોત. તેમાં સૌથી પહેલું નામ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું છે. બીજું નામ અશોક સિંઘલ છે, ત્રીજું યોગી આદિત્યનાથના ગુરુ ગોરખ પીઠાધીશ્વર અવૈદ્યનાથજી અને ચોથું નામ અયોધ્યાના રામચંદ્ર પરમહંસનું છે.

વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષે કહ્યું, ‘મારો આ ચારેય સાથે ખાસ સંબંધ છે, જ્યાં સુધી આ ચારને ભારત રત્ન નહીં મળે ત્યાં સુધી હું કહીશ કે ભારત સરકારે રામ મંદિર આંદોલનનું સન્માન કર્યું નથી. તેથી કેન્દ્ર સરકારે આ ચારેયને ભારત રત્નનું સન્માન આપવું જોઈએ. રામ મંદિરના નામે, જેના નામે આ કેન્દ્ર સરકાર સત્તામાં આવી છે, સત્તામાં રહીને તેમનું ઋણ ચૂકવવું જોઈએ.

આ પણ વાંચો :  Money Laundering Case: જેકલીન ફર્નાન્ડીઝને EDએ ફરી મોકલ્યુ સમન, 8 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવી

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">