બાબરી કેસઃ રામ મંદિરના નામે સત્તામાં આવી સરકાર, બાળાસાહેબ ઠાકરેને આપવામાં આવે ‘ભારત રત્ન’ એવોર્ડ, પ્રવીણ તોગડિયાની માંગ

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષે નાગપુરમાં કહ્યું કે, 'જ્યાં સુધી આ ચારને ભારત રત્ન નહીં મળે ત્યાં સુધી હું કહીશ કે ભારત સરકારે રામ મંદિર આંદોલનનું સન્માન કર્યું નથી.'

બાબરી કેસઃ રામ મંદિરના નામે સત્તામાં આવી સરકાર, બાળાસાહેબ ઠાકરેને આપવામાં આવે 'ભારત રત્ન' એવોર્ડ, પ્રવીણ તોગડિયાની માંગ
Ram Mandir (symbolic photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 7:01 PM

“અમને બાબરી તોડીને ગર્વ (demolished Babri) છે. જ્યાં મસ્જિદ હતી ત્યાં મંદિર બની રહ્યું છે. અમને તેનો ગર્વ છે.”, એમ વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ પ્રવિણ તોગડિયાનું (Pravin Togadia) કહેવું છે. તેમણે એમ પણ કહ્યું છે કે ‘રામ મંદિર (Ram temple) આંદોલનમાં ભાગ લેનાર અને બાબરી મસ્જિદ તોડવાની ઝુંબેશનું નેતૃત્વ કરનાર ચાર નેતાઓને કેન્દ્રમાં રામ મંદિરના નામે સત્તામાં આવેલી સરકાર દ્વારા ભારત રત્ન (Bharat Ratna) થી સન્માનિત કરવામાં આવે’.

પ્રવીણ તોગડિયાએ ‘ભારત રત્ન’ એવોર્ડ માટે જે ચાર નેતાઓની માંગણી કરી છે તેમાં બાળાસાહેબ ઠાકરેનું નામ સૌથી મહત્વનું છે. બાળાસાહેબ ઠાકરે ઉપરાંત અશોક સિંઘલ, ગોરખ પીઠાધીેશ્વર અવૈદ્યનાથજી, રામચંદ્ર પરમહંસ એવા ત્રણ નામ છે જેમને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે.

બાબરી મસ્જિદ 6 ડિસેમ્બરે જ તોડી પાડવામાં આવી હતી

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

આજે 6ઠ્ઠી ડિસેમ્બર છે. 29 વર્ષ પહેલા આ દિવસે જ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. આ પૃષ્ઠભૂમિમાં જ પ્રવીણ તોગડિયાએ નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી હતી. પ્રવીણ તોગડિયાએ રામ મંદિર આંદોલનના સંદર્ભમાં કહ્યું હતું કે, ‘હું જન્મ્યો પણ નહોતો ત્યારથી હિંદુ સમાજ લડી રહ્યો હતો. બહાદુરી બતાવી રહ્યો હતો. સંઘર્ષ કરી રહ્યો હતો. તેમાં પણ 6 ડિસેમ્બરનો સંઘર્ષ આ ત્રણ બાબતોમાં અનોખો છે. આ કાર્ય માટે મેં મારી ઉંમરના 32 વર્ષ, તબીબી વ્યવસાય અને તેમાંથી કમાયેલા કરોડો રૂપિયાનું બલિદાન આપ્યું છે, મને તેનો ગર્વ છે. મારી જેમ લાખો કાર્યકરો તેમની કારકિર્દી, તેમની કમાણીનો ત્યાગ કરીને મંદિર નિર્માણ માટે આગળ આવ્યા, મને તેનો ગર્વ છે.

‘જેના કારણે બાબરી પડી, મંદિર બન્યું, તેમાં પહેલું નામ બાળાસાહેબ ઠાકરેનું હતું’

આગળ પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, ‘જો ચાર લોકોનું નેતૃત્વ ન હોત તો બાબરી તોડી શકાઈ ન હોત અને મંદિરનું નિર્માણ શરૂ ન થયું હોત. તેમાં સૌથી પહેલું નામ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું છે. બીજું નામ અશોક સિંઘલ છે, ત્રીજું યોગી આદિત્યનાથના ગુરુ ગોરખ પીઠાધીશ્વર અવૈદ્યનાથજી અને ચોથું નામ અયોધ્યાના રામચંદ્ર પરમહંસનું છે.

વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષે કહ્યું, ‘મારો આ ચારેય સાથે ખાસ સંબંધ છે, જ્યાં સુધી આ ચારને ભારત રત્ન નહીં મળે ત્યાં સુધી હું કહીશ કે ભારત સરકારે રામ મંદિર આંદોલનનું સન્માન કર્યું નથી. તેથી કેન્દ્ર સરકારે આ ચારેયને ભારત રત્નનું સન્માન આપવું જોઈએ. રામ મંદિરના નામે, જેના નામે આ કેન્દ્ર સરકાર સત્તામાં આવી છે, સત્તામાં રહીને તેમનું ઋણ ચૂકવવું જોઈએ.

આ પણ વાંચો :  Money Laundering Case: જેકલીન ફર્નાન્ડીઝને EDએ ફરી મોકલ્યુ સમન, 8 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">