AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબાસાહેબ પુરંદરે : પોતાની લેખન શૈલી વડે છત્રપતિ શિવાજીના ચરિત્રને ઘરે ઘરે પહોચાડ્યુ હતુ, જાણો તેમના જીવન-કર્મ વિશે

બાબાસાહેબ પુરંદરેનો જન્મ 29 જુલાઈ 1922માં પુણેમાં થયો હતો. તેમણે 17 વર્ષની નાની ઉમરે જ છત્રપતિ શિવાજીના જીવન પર લખ્યુ હતુ.

બાબાસાહેબ પુરંદરે : પોતાની લેખન શૈલી વડે છત્રપતિ શિવાજીના ચરિત્રને ઘરે ઘરે પહોચાડ્યુ હતુ, જાણો તેમના જીવન-કર્મ વિશે
Babasaheb Purandare
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 1:41 PM
Share

Babasaheb Purandare Died: જાણીતા ઇતિહાસકાર-લેખક અને પદ્મ વિભૂષણ બાબાસાહેબ પુરંદરેનું સોમવારે અવસાન થયું (Historian-Writer and Padma Vibhushan Babasaheb Purandare Died). ઉંમર સંબંધિત બિમારીઓને કારણે થોડા દિવસ પહેલા દાખલ કરાયા બાદ તેઓ પુણેની એક ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું હતું.

લોકપ્રિય નાટક જાણતા રાજાના હતા રચયિતા બાબાસાહેબ પુરંદરે છત્રપતિ શિવાજી ઉપર નાટક લખ્યુ હતું. આ નાટકનુ નામ હતુ જાણતા રાજા. મૂળ નાટક મરાઠીમાં લખાયુ હતુ. જેનુ પાછળથી હિન્દી સહિત પાંચ ભાષામાં અનુવાદ થયુ હતું. આ નાટક સમગ્ર દેશમાં ખુબ જ જાણીતુ બન્યુ હતું. અને દેશના વિભિન્ન શહેરમાં જાણતા રાજા નાટકના ખેલ યોજાયા હતા. આ નાટક 200 થી વધુ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યું હતુ.

ચિંગારિયા-કેસરી પુસ્તક લખ્યુ હતુ બાબાસાહેબ પુરંદરેનો જન્મ 29 જુલાઈ 1922માં પુણેમાં થયો હતો. તેમણે 17 વર્ષની નાની ઉમરે જ છત્રપતિ શિવાજીના જીવન પર લખ્યુ હતુ. તેમનુ લખાણ ઠીગ્ણયા ( ચિંગારિયાં) નામે પ્રકાશીત થઈ હતી. આના થોડાક સમય બાદ, રાજા શિવ છત્રપતિ અને નારાયણ રાવ પેશવા ઉપર કેસરી નામે પુસ્તક લખ્યુ હતુ.

પદ્મવિભૂષણ અને મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત હતા બાબાસાહેબ પુરંદરેને 2019માં ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણ ( Padma Vibhushan) અને 2015માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી (Maharashtra Bhushan award) સન્માનિત કરાયા હતા. તેઓ લોકપ્રિય ઇતિહાસકાર-લેખક હતા. પોતાની લેખન શૈલી વડે છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રને ઘરે ઘરે પહોચાડયુ હતુ. સાથોસાથ તેમણે દેશ વિદેશમાં શિવ ચરિત્ર ઉપર આપેલા વ્યાખ્યાનને કારણે પણ જાણીતા બન્યા હતા. બાબા પુરંદરેએ શિવ ચરિત્ર ઉપર ઓછામાં ઓછા 12 હજારથી વધુ વ્યાખ્યાન આપ્યા હતા.

વિવાદ પણ સર્જાયો હતો મરાઠી સાહિત્યકાર, ઈતિહાસકાર, નાટ્યકાર અને પ્રખર વકતા તરીકે બાબાસાહેબ પુરંદરે ઓળખાતા હતા. તેમને છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલા ઈતિહાસના લેખક તરીકે પણ ઓળખવામાં આવતા હતા. મહારાષ્ટ્ર સરકારે, બાબા પુરંદરને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તેમને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપતા વિવાદ સર્જાયો હતો. અનો વિવાદ અદાલતના દ્વાર સુધી પહોચ્યો હતો. જો કે કોર્ટે બાબા પુરંદરે વિરુધ્ધની અરજીને ફગાવી દીધી હતી. અને અરજીકર્તાને ભારે દંડ પણ ફટકાર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહપ્રધાન અમિત શાહ સહીત રાજકીય અને સાહિત્ય જગતના ઘણા મહાનુભવોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

બળવંત મોરેશ્વર પુરંદરેમાં જન્મેલા, બાબાસાહેબે છત્રપતિ શિવાજી (Chhatrapati Shivaji) પર ઘણા પુસ્તકો લખ્યા અને તેમનું જીવન ઇતિહાસ અને સંશોધન માટે સમર્પિત કર્યું.

તેમને 2019માં ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ ( Padma Vibhushan) અને 2015માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર (Maharashtra Bhushan award) થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Delhi-NCR Air Pollution: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી, આક્ષેપબાજીમાં પડ્યા વગર કામ કરો, તમે પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરો છો તેનું ઑડિટ કરવાની ફરજ પાડશો નહીં

આ પણ વાંચો: T20 World Cup:ફાઈનલ મેચમાં વિચિત્ર સંયોગ, ભારતનો સામનો કરનારી ટીમ ક્યારેય ચેમ્પિયન બની શકી નથી

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">