AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Drugs Case: આર્યને ક્રૂઝ પર ડ્રગ્સ લઈ જવાની ના પાડી હતી, પિતા શાહરૂખે પણ દૂર રહેવાની સલાહ આપી હતી; અરબાઝ મર્ચન્ટે કર્યો ખુલાસો

ક્રુઝ ડ્રગ્સ કેસમાં NCBએ આર્યન ખાનને (Aryan Khan) ક્લીનચીટ આપી છે. આ પછી અરબાઝ મર્ચન્ટે ખુલાસો કર્યો છે કે આર્યન ખાને તેને ડ્રગ્સ (drugs) લઈને ક્રૂઝ પર જવાની મનાઈ કરી હતી. જ્યારે, આર્યન ખાનના માતાપિતાએ તેને ડ્રગ્સથી દૂર રહેવા કહ્યું હતું.

Aryan Khan Drugs Case: આર્યને ક્રૂઝ પર ડ્રગ્સ લઈ જવાની ના પાડી હતી, પિતા શાહરૂખે પણ દૂર રહેવાની સલાહ આપી હતી; અરબાઝ મર્ચન્ટે કર્યો ખુલાસો
Aryan Khan and Arbaaz MerchantImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 2:07 PM
Share

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) આર્યન ખાનને નાર્કોટિક કંટ્રોલ બ્યુરો તરફથી ક્લીનચીટ મળી છે. આ કેસ સાથે સંકળાયેલો અભિનેતા અરબાઝ મર્ચન્ટ (Arbaaz Merchant) આર્યન ખાનનો મિત્ર છે. તેણે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે આર્યને તેને ક્રૂઝ પર ડ્રગ્સ ન લેવાનું કહ્યું હતું, કારણ કે એનસીબી (NCB) અહીં સક્રિય છે. આર્યન ખાને તેને કહ્યું હતું કે તેના માતા-પિતાએ પણ તેને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિથી ખાસ કરીને ડ્રગ્સના સેવનથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, આ ચેતવણી છતાં અરબાઝ તેના જૂતામાં છુપાયેલો નાનો ગાંજો લઈને આવ્યો હતો. અરબાઝે તેની ધરપકડના ત્રણ દિવસ બાદ 6 ઓક્ટોબરે NCB સુપરિન્ટેન્ડેન્ટ વીવી સિંહને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેની પાસેથી મળી આવેલ ડ્રગ્સ સાંતાક્રુઝ વિસ્તારના રહેવાસી વ્યક્તિ પાસેથી ખરીદવામાં આવ્યું હતું.

ડ્રગ્સ વેચનાર વ્યક્તિ વિશે જણાવતાં તેણે કહ્યું કે તે મોટાભાગે ગાંજો અને હશીશનો વેપાર કરે છે. અરબાઝ મર્ચન્ટે જણાવ્યું કે તેણે 2-3 વખત 4 હજાર રૂપિયા પ્રતિ 5 ગ્રામના ભાવે હેશ ખરીદ્યો હતો. તેની ચુકવણી રોકડમાં કરવામાં આવી હતી. અરબાઝે ડ્રગ ડીલરોના કેટલાક વધુ સંપર્કો આપ્યા હતા જેની પાસેથી આ પ્રતિબંધિત માદક દ્રવ્યો ખરીદી રહ્યો હતો. એક ફૂટબોલ મેચ દરમિયાન તેની મુલાકાત એક ડીલર સાથે થઈ હતી. અરબાઝે આગળ કહ્યું કે કેટલીકવાર હેશની ગુણવત્તા ઘણી નબળી હતી.

આર્યન ખાને ક્રુઝ પર હેશ લઈ જવા માટે મનાઈ કરી હતી

અરબાઝ ખાને કહ્યું કે આર્યન અને તે ગાઢ મિત્રો છે અને તેણે એ પણ કબૂલ્યું છે કે આર્યન જાણતો હતો કે તે એટલે કે અરબાઝ ક્યારેક હેશનું સેવન કરે છે. એટલા માટે આર્યન ખાને અરબાઝને હેશને ક્રૂઝ પર ન લઈ જવા કહ્યું. અરબાઝે કબૂલ્યું હતું કે દારૂ અને ધૂમ્રપાન પછી ક્યારેક તેનું માથું ભારે થઈ જાય છે, હેશ તેને શાંત કરે છે.

બૂટમાં હેશ છુપાયેલું હતું

તેથી તેણે તેના જૂતામાં હેશ છુપાવી દીધુ હતું. બીજા દિવસે નોંધાયેલા અન્ય નિવેદનમાં, અરબાઝે કહ્યું કે આર્યન ખાને તેને કહ્યું હતું કે તેના માતાપિતાએ તેને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખાસ કરીને ડ્રગ્સના સેવનથી દૂર રહેવા કહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">