મહારાષ્ટ્રમાં Bird Flu ના વધતા ભય વચ્ચે 119 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા

|

Jan 31, 2021 | 8:37 AM

દેશમાં Bird Flu ના વધતા ભય વચ્ચે મહારાષ્ટ્રમાં 119 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમના નમુનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આઠ જાન્યુઆરી બાદ કુલ 19558 પક્ષી મૃત મળ્યા હતા.

મહારાષ્ટ્રમાં Bird Flu ના વધતા ભય વચ્ચે 119 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા
Bird Flu

Follow us on

દેશમાં Bird Flu ના વધતા ભય વચ્ચે મહારાષ્ટ્રમાં 119 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમના નમુનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આઠ જાન્યુઆરી બાદ કુલ 19558 પક્ષી મૃત મળ્યા હતા. રાજયના પશુપાલન વિભાગના અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી હતી.

તેમણે કહ્યું કે શુક્રવારે રાજયભરમાં 59 પોલ્ટ્રી બર્ડ પક્ષીઓ સહિત 119 પક્ષીઓ મૃત મળી આવ્યા હતા. તેમના નમુનાઓ એવીયન ઇન્ફ્લુએન્જા (Bird flu)ની તપાસ માટે ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા અને પુના સ્થિત રોગ તપાસ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અધિકારીઓએ જણાવ્યું કે પ્રોટોકોલ મુજબ સંક્રમિત પક્ષીઓ માટે એક કિલોમીટરના વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓ અને તેમના ઈંડા સમાપ્ત કરી દેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી 71,883 પોલ્ટ્રી બર્ડ, 44146 ઈંડા, અને 63,339 કિલોગ્રામ પોલ્ટ્રી ખાધ પદાર્થને નષ્ટ કરવામાં આવ્યો છે.

Next Article