AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Politics: અજિત પવાર શિંદેનુ પદ છીનવી બનશે મહારાષ્ટ્રના સીએમ!- NCPમાં વિભાજન બાદ ઉદ્ધવ ટીમનો મોટો દાવો

એનસીપીમાં વિભાજન તરફ દોરી જતા, અજિત પવારે રવિવારે નાયબ મુખ્ય પ્રધાનનું પદ સંભાળી તેમના કાકા શરદ પવારને મોટો ફટકો આપ્યો છે.

Maharashtra Politics: અજિત પવાર શિંદેનુ પદ છીનવી બનશે મહારાષ્ટ્રના સીએમ!- NCPમાં વિભાજન બાદ ઉદ્ધવ ટીમનો મોટો દાવો
Ajit Pawar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 11:50 AM
Share

Mumbai: અજિત પવારે (Ajit Pawar) રવિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે પવારના આ પગલાથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)એ દાવો કર્યો હતો કે NCP નેતા અજિત પવાર, જેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, તેઓ ટૂંક જ સમયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું સ્થાન લઈ લેશે.

શિંદેના સ્થાને અજિત પવાર!- શિવસેનાનો દાવો

એનસીપીમાં વિભાજન તરફ દોરી જતા અજિત પવારે રવિવારે નાયબ મુખ્ય પ્રધાનનું પદ સંભાળી તેમના કાકા શરદ પવારને મોટો ફટકો આપ્યો છે. જેમણે 24 વર્ષ પહેલાં NCP પાર્ટીની સ્થાપના કરી હતી. અજિત પવાર ઉપરાંત NCPના આઠ નેતાઓએ પણ શિંદે-ભાજપ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. જે બાદથી મુંબઈનું રાજકારણ ગરમાયું છે, ત્યારે હવે શિવસેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીએ માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશની રાજનીતિને પણ “ગંદી” કરી છે.

ત્યારે આ મામલે સંજય રાઉત અને શિવસેના ટીમ દાવો કરી રહી છે કે હવે ટૂંક સમયમાં જ શિંદેનું પદ છીનવાઈને અજિત પવારને તે સ્થાન મળી જશે. તેમણે કહ્યું છે કે મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને બળવાખોર સેનાના ધારાસભ્યોને ટૂંક સમયમાં ગેરલાયક ઠેરવવામાં આવશે અને પવારને તાજ પહેરાવવામાં આવશે.” તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આવી કોઈ રાજકીય પરંપરા નથી અને તેને ક્યારેય લોકોનું સમર્થન મળશે નહીં.

 પવારની એન્ટ્રીથી શિંદે પર સંકટ

અજિત પવારની એન્ટ્રી મુખ્યમંત્રી શિંદે માટે ખતરનાક છે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે શિંદે અને અન્ય ધારાસભ્યોએ શિવસેના છોડી દીધી, ત્યારે તેઓએ પક્ષ પ્રમુખ અને (તત્કાલીન) મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તત્કાલિન નાણા પ્રધાન અજિત પવાર પર અંકુશ ન રાખવા માટે દોષી ઠેરવ્યા હતા, જેઓ ભંડોળનું વિતરણ કરવા અને વર્ક ઓર્ડર મંજૂર કરવા માટે જવાબદાર હતા. નિયંત્રણ “બળવાખોર ધારાસભ્યોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક કારણ એ હતું કે ‘અમે NCPને કારણે શિવસેના છોડી દીધી હતી.

તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે “તેઓ હવે શું કરશે? શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રવિવારે અજિત પવારના તેમના શિંદે જૂથના સભ્યોના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ હતું કે તેમનું ભવિષ્ય અંધકારમય છે.”

રવિવારની ઘટનાઓ બધા માટે આશ્ચર્યજનક હતી તે સ્વીકારવાનો ઈનકાર કરતા સંપાદકીયમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક લોકો આ ઉથલપાથલ વિશે પહેલેથી જ જાણતા હતા. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે “શિવસેના સાથે જે એક વર્ષ પહેલા થયું હતું તે હવે NCP સાથે થઈ રહ્યું છે. એનસીપીના વડા શરદ પવારે કહ્યું તેમ, આવતીકાલે નવો દિવસ હશે.” તેણે કહ્યું કે તે ભૂકંપ નહીં પરંતુ નાના આંચકા હતા.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">