Maharashtra: ઔરંગાબાદમાં AIMIMના સાંસદ જલીલે કોરોના નિયમના ઉડાવ્યા ધજાગરા, પોલીસે નોંધ્યો કેસ

ઓરંગાબાદ જિલ્લામાં AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે તેઓ લોકો દ્વારા તેમના મુદ્દાઓ ઉકેલવા માટે ચૂંટાયા છે અને પોલીસ તેમની વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરે તેમ છતાં તેઓ ડરશે નહીં. જલીલે કહ્યું કે તેઓ ભવિષ્યમાં પણ કોઈ ડર વગર લોકોના હિત માટે આંદોલન ચાલુ રાખશે.

Maharashtra: ઔરંગાબાદમાં AIMIMના સાંસદ જલીલે કોરોના નિયમના ઉડાવ્યા ધજાગરા, પોલીસે નોંધ્યો કેસ
AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલ (ફાઈલ ઈમેજ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:02 PM

મહારાષ્ટ્ર (Maharashtra)ના ઓરંગાબાદ (Aurangabad) જિલ્લામાં કોરોનાની અસર હજુ ઓછી થઈ નથી. તેમ છતાં લોક પ્રતિનિધિઓ દ્વારા કોરોનાના નિયમોની અવગણના કરવામાં આવી રહી છે. આવો જ એક તાજેતરનો કિસ્સો AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલ (Imtiyaz Jaleel)નો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જેમાં મંગળવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસના  (Independence day) પ્રસંગે અહીં ડિવિઝનલ કમિશનર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરતી વખતે કોવિડ -19 (Covid-19) નિયમોનો ભંગ કરવા બદલ સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને તેના 24 અન્ય સાથીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ મામલો ઓરંગાબાદ જિલ્લાના વિભાગીય કમિશનર કચેરીનો છે. જ્યાં રવિવારે સાંસદ ઈમ્તિયાઝ જલીલની આગેવાની હેઠળ AIMIMના કાર્યકરોએ મહારાષ્ટ્રના મંત્રી સુભાષ દેસાઈને કાળા ઝંડા બતાવ્યા હતા, જ્યારે તેઓ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિભાગીય કમિશનર કચેરી જઈ રહ્યા હતા.

જ્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે AIMIM (ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન)ના કાર્યકરોએ જિલ્લા વહીવટીતંત્રની પરવાનગી વગર રાજ્ય સરકાર સામે વિરોધ કર્યો હતો અને ઓરંગાબાદમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપનાની માંગ સાથે કાળા ઝંડા લહેરાવ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે આવી પરિસ્થિતિમાં સાંસદ જલીલે ઘણી ભીડ ભેગી કરી અને કોરોના પ્રોટોકોલ તોડતા જોવા મળ્યા. આ દરમિયાન જલીલ અને તેના સમર્થકો માસ્ક વગર ભીડમાં ઉભા જોવા મળ્યા હતા. આ સિવાય ત્યાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું.

પોલીસે કેસ નોંધ્યો

આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે સિટી ચોક પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને 269 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ભવિષ્યમાં પણ લોકો માટે કોઈ ડર રાખ્યા વગર આંદોલન કરશે

આ દરમિયાન જલીલે કહ્યું કે તે લોકો દ્વારા તેમના મુદ્દાઓ ઉકેલવા માટે ચૂંટાયા છે અને પોલીસ તેમની સામે જે પણ કાર્યવાહી કરશે, તે આંદોલન ચાલુ રાખશે. જલીલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું રસ્તા પર ઉતરીશ.

પોલીસ દબાણ હેઠળ કામ કરે છે તે ઘણી વખત સાબિત થયું છે. ઘણીવાર પોલીસ અમારા પક્ષના કાર્યકરો સામે કાર્યવાહી કરે છે. જો મારી સામે પણ આવી કાર્યવાહી કરવામાં આવશે તો મને આશ્ચર્ય થશે નહીં. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ જરૂર પડશે તો તેઓ કોઈ ડર વગર લોકોના હિત માટે આંદોલન ચાલુ કરશે.

આ પણ વાંચો : Mumbai Local Train: મુંબઈગરાઓ માટે સારા સમાચાર, વેક્સિનનો એક ડોઝ લેનારા માટે પણ લોકલ ટ્રેન સેવા શરૂ? જાણો કેવી છે તૈયારીઓ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">