દિલ્હી-લખનઉની વચ્ચે પહેલી પ્રાઈવેટ ટ્રેન દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય કેન્દ્ર સરકારે અંદાજે દેશના 150 રુટ પર ખાનગી ટ્રેન દોડાવવાની વાત કરી છે. દિલ્લી લખનઉ પછી મુંબઈ અમદાવાદ વચ્ચે પણ તેજસ ટ્રેન દોડાવવામાં આવશે. 17 જાન્યુઆરીથી આ ટ્રેન દોડવા લાગશે. આ અંગે રેલમંત્રી પીયૂષ ગોયલે એક ટ્વીટ કરીને પણ જાણકારી આપી છે.
આ પણ વાંચો : ગણતંત્ર દિવસ પર હુમલાનો હતો પ્લાન, સુરક્ષાદળોએ ઝડપી લીધા 5 આતંકવાદી!
આ સિવાય સરકાર રેલવેમાં ખાનગીકરણ લાવી રહી છે. તેના લીધે ટ્રેન પ્રાઈવેટ કોન્ટ્રાકટરોને ચલાવવા આપવામાં આવી રહી છે. 150 રેલવેનો કોન્ટ્રાક્ટ ખાનગી રીતે ચલાવવા માટે આપવામાં આવ્યો છે. રેલવે વધારે સુવિધા લોકોને મળી રહે અને પરિચાલનમાં સુધારો થાય તે માટે આ નિર્ણય લઈ રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો