મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળની જાહેરાત કરી છે. નોટિસ જાહેર કરીને ડોક્ટરોએ કહ્યું કે, મહારાષ્ટ્રના નિવાસી ડોક્ટરો 22મી ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી હડતાળ પર ઉતરશે. જો કે ઈમરજન્સી દર્દીઓ ડોકટરો દ્વારા જોવામાં આવશે, પરંતુ અન્ય દર્દીઓને પડતી તકલીફો માટે સરકાર જવાબદાર રહેશે.
MARD (Maharashtra Association of Resident Doctors)ના પ્રમુખ ડૉ. અભિજીત હેલગેએ આ માહિતી આપતી નોટિસ જાહેર કરી અને જણાવ્યું કે, તેઓ કેન્દ્ર સરકારથી કેમ નિરાશ છે. જાણો મહારાષ્ટ્રમાં 8000 રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પાછળનું કારણ.
રેસિડેન્ટ ડોક્ટરોએ બુધવારે અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, 22મી ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ થશે. આ હડતાળનું કારણ સમજાવતા MARDના પ્રમુખ ડૉ. અભિજીત હેલગેએ જણાવ્યું હતું કે, રાજ્યભરના રેસિડેન્ટ ડૉક્ટરો વધુ સારી છાત્રાલયો, સ્ટાઇપેન્ડમાં વધારો અને બાકી લેણાંની ચુકવણીની માગણી સાથે હડતાળ કરશે.
રેસિડેન્ટ ડોક્ટરોએ તેમની માંગણીઓને લઈને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો. ત્રણ પાનાના લાંબા પત્રમાં તેમણે લખ્યું હતું કે, “અમે સેન્ટ્રલ MARD, રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરોની પ્રતિનિધિ સંસ્થા, મહારાષ્ટ્ર રાજ્યના રેસિડેન્ટ ડોક્ટરોને આપેલા વચનો પૂરા કરવા પ્રત્યે ગંભીરતાના અભાવથી અત્યંત નિરાશ છે.
Maharashtra Association of Resident Doctors Central (MARD) will go on a statewide indefinite strike from 5 pm tomorrow. Emergency services will remain operational to ensure the provision of essential medical care to the people during the strike. Around 8,000 resident doctors… pic.twitter.com/Ro2jHuIEyF
— ANI (@ANI) February 21, 2024
અમને ખાતરી આપવામાં આવી હતી કે, અમારી માંગણીઓ બે દિવસમાં પૂરી કરવામાં આવશે, પરંતુ બે અઠવાડિયા પછી પણ અમારી માંગણીઓ પર કોઈ પ્રગતિ થઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમે અગાઉ પણ સરકારના શબ્દોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઘણી વખત અમારી હડતાળ પાછી ખેંચી હતી.
આરોગ્ય મંત્રીને મોકલવામાં આવેલા પત્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ લખ્યું છે કે, અમારી અનેક વિનંતીઓ છતાં અમારી ચિંતાઓને અવગણવામાં આવી છે. આ કારણે તેમણે કહ્યું કે, અમારી પાસે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર જવાના કારણે મહારાષ્ટ્રની આરોગ્ય સેવાઓમાં ઘણી મુશ્કેલી પડી શકે છે. જેના કારણે ડોક્ટરોએ પહેલા પત્રમાં દર્દીઓની માફી માંગી અને વધુમાં કહ્યું કે તેઓ ઈમરજન્સી કેસની તપાસ કરશે. પરંતુ દર્દીઓની દેખભાળમાં કોઈ સમસ્યા હશે તો તેની જવાબદારી સરકારની રહેશે.