10 હજારથી વધુ ખેડૂતોનો કાફલો મુંબઈમાં કરશે વિરોધ પ્રદર્શન, શિંદે સરકારની વધી ચિંતા

ખેડૂતો આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરશે. બીજી તરફ, શિંદે-ફડણવીસ સરકાર ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે, જેથી આંદોલનનો અંત આવે.

10 હજારથી વધુ ખેડૂતોનો કાફલો મુંબઈમાં કરશે વિરોધ પ્રદર્શન, શિંદે સરકારની વધી ચિંતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 1:47 PM

Maharashtra: મહારાષ્ટ્રમાં અખિલ ભારતીય કિસાન સભા અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વમાં લગભગ 10,000 ખેડૂતો ફરી એકવાર માર્ચ પર નીકળ્યા છે. ખેડૂતોની આ કૂચ નાસિકથી મુંબઈ આવી રહી છે. જ્યાં તેઓ આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરશે. બીજી તરફ, શિંદે-ફડણવીસ સરકાર ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે, જેથી આંદોલનનો અંત આવે.

આપને જણાવી દઈએ કે, સરકાર સામે મોરચામાંસામેલ ખેડૂતો ડુંગળીના ભાવ સહિત 17 મુદ્દાની માગ સાથે નાસિકથી કૂચ કરી રહ્યા છે. ખેડૂતોની અગ્રણી માંગ ખાસ કરીને ડુંગળીના ભાવ વધારવાની છે. ખેડૂતો નિકાસ નીતિઓમાં ફેરફાર સાથે ડુંગળી માટે 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને પ્રતિ ક્વિન્ટલ 600 રૂપિયાની તાત્કાલિક સબસિડીની માગ કરી રહ્યા છે.

કુદરતી આફતોથી થયેલા નુકસાન માટે વળતર

કૂચ કરી રહેલા ખેડૂતોની અન્ય મુખ્ય માંગણીઓમાં ખેડૂતોની સંપૂર્ણ લોન માફી, બાકી વીજ બિલો માફ કરવા અને દિવસમાં ઓછામાં ઓછા 12 કલાક વીજળી મેળવવાનો સમાવેશ થાય છે. કમોસમી વરસાદ અને અન્ય કુદરતી આફતોના કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે ખેડૂતો સરકાર અને વીમા કંપનીઓ પાસેથી વળતરની પણ માગ કરી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તો સાથે જ ખેડૂતોએ તમામ જંગલની જમીનો, ગોચર, મંદિરો, ઇનામ, વકફ અને બેનામી જમીન ખેડૂતોના નામે કરવાની પણ માગણી કરી છે. આંદોલનકારીઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી 1.40 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની પણ માગ કરી રહ્યા છે.કૂચ કરતા ખેડૂતોને અસર કરતી બિનમોસમી વરસાદ અને અન્ય કુદરતી આફતોને કારણે પાકને થયેલા તમામ નુકસાન માટે વળતરની પણ માગ કરી છે. આ ઉપરાંત ગાયના દૂધનો લઘુત્તમ ભાવ 47 અને ભેંસના દૂધનો લઘુત્તમ ભાવ 67 કરવાની માંગ કરવામાં આવી છે. અહેવાલો મુજબ, અગાઉ અને 2018 અને 2019 માં લગભગ મોટી સંખ્યામાં ખેડૂતોએ વિવિધ માંગણીઓ સાથે મુંબઈ તરફ કૂચ કરી હતી. હવે ખેડૂતોની આ ત્રીજી ‘લોંગ માર્ચ’ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">