World Hearing Day 2023: દુનિયાના 150 કરોડથી વધારે લોકોને છે હીયરિંગ લોસ જેવી સમસ્યા, નશાની આદત બરબાદ કરે છે જીવન

World Hearing Day 2023: એક રિપોર્ટ અનુસાર, દુનિયાના લગભગ 1.5 અરબ લોકોને શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાઓ છે. સિગાકેટ, દારુનું સેવન કરવા જેવી આદતને કારણે લોકોમાં હીયરિંગ લોસનું જોખમ વધે છે.

World Hearing Day 2023: દુનિયાના 150 કરોડથી વધારે લોકોને છે હીયરિંગ લોસ જેવી સમસ્યા, નશાની આદત બરબાદ કરે છે જીવન
World Hearing Day 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 7:48 AM

ભગવાનએ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સર્જનહાર છે. તેમણે રહેવા માટે પૃથ્વીનું સર્જન કર્યું. તેના પર પર્વત, નદી, દરિયા જેવી કુદરતી સૌદર્યની રચના કરી. તેની જાળવણી અને પૃથ્વી પર રહી શકે તે માટે અનેક પ્રકારના જીવનું સર્જન કર્યું. અને તેમાં પણ તેણે માણસોના શરીરનું શ્રેષ્ઠ સર્જન કર્યું. તેમણ બોલવા માટે મોં, ચાલવા માટે પગ, કામ કરવા માટે હાથ અને સાંભળવા માટે કાનનું સર્જન કર્યું. પણ કેટલીક વાર માણસ પોતાની ભૂલોને કારણે ભગવાનની આ અનમોલ ભેટને નુકશાન પહોંચાડતો હોય છે.

એકબીજા સાથે સંવાદ કરવા માટે દરેક વ્યક્તિના કાનમાં સારી શ્રવણશક્તિ હોવી જરુરી છે. આજકાલ ધ્વનિ પ્રદૂષણ તથા મોબાઈલ-નશાની આદતને કારણે ઘણા લોકો પોતાની શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, સિગારેટ અને દારુના સેવનની આદતને કારણે કરોડો લોકો શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા અનુસાર, દુનિયામાં 1.5 અરબ લોકો શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વર્ષ 2050 સુધીમાં આ આંકડો 2.5 અરબને પાર પહોંચી શકે છે. અને ચોંકાવનારી વાત તો એ છે કે સૌથી વધારે યુવા લોકો પહેલા શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

હીયરિંગ લોસ માટે જવાબદાર સૌથી મોટા કારણો

  1. ધૂમ્રપાન – આ આદતથી હીયરિંગ લોસની આશંકા 70 ટકાથી વધારે થઈ જાય છે. તમાકુના ધુમાડામાં ફોર્મલડિહાઈડ, હાઈડ્રોજન સાઈનાઈડ જેવા કેમિકલ હોય છે. જે સાંભળવાની શક્તિને પ્રભાવિત કરે છે.
  2. દારુ – વધારે પડતું દારુ પીવાથી મસ્તિષ્કને અવાજ સાંભળવા માટે વધારે શક્તિ વાપરવી પડે છે.
  3. ઉંમર – જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ કાનની અંદરની નાજુક કોશિકાઓ તૂટવા લાગે છે.
  4. મોટો અવાજ – કાનની સૌથી નજીક ઘોંઘાટ થતો હોય તો કોશિકાઓને નુકશાન થાય છે અને તેને કારણે સાંભળવાની ક્ષમતા ધીરેધીરે ઘટે છે.
  5. ઈજા – જન્મથી કોઈ આનુવાંશિક બીમારી કે ઈજાને કારણે પણ સાંભળવાની ક્ષમતા ઘટે છે.

સાંભળવાની ક્ષમતાને સુરક્ષિત રાખવાની રીત

  1. 60/60 નો નિયમ – કાનમાં હેડફોન લગાવીને તમારે માત્ર 60 ટકા સાઉન્ડની ક્ષમતા રાખીને કોઈપણ વસ્તુ સાંભળવી જોઈએ. 60 મિનિટ બાદ એક બ્રેક પણ લેવો જોઈએ.
  2. હેડફોન સાફ રાખો અને ઈયરબર્ડના ઉપયોગને ટાળો.
  3. આંખ, કાન અને નાકના સંક્રમણથી બચો.
  4. સાઉન્ડ લોકેશન એક્ટિવિટી કરો – એક રુમમાં ફોન અને રેડિયો પર ગીતો ચાલુ કરીને કવિતા કે ન્યૂઝ પેપર વાંચવાનો પ્રયત્ન કરો.

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">