40 બાદ ચહેરા પર દેખાવા લાગી છે ઉંમરની અસર? અપનાવો આ 5 ફૂડ અને જુઓ ચમત્કાર

ફાસ્ટ જીવનશૈલીમાં આપણા ચહેરા પર પણ એવી જ અસરો પડે છે. અમુક લોકોને તો 40 ની ઉંમરમાં જ ઘડપણની અસરો જોવા મળે છે. ચાલો તમને જણાવીએ આ અસરથી બચવાના ઉપાયો.

40 બાદ ચહેરા પર દેખાવા લાગી છે ઉંમરની અસર? અપનાવો આ 5 ફૂડ અને જુઓ ચમત્કાર
These five foods prevent the effects of your age on your face and make you healthier
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 9:12 AM

આજકાલ લોકો બજારમાં વેચાતી તમામ બ્યુટી પ્રોડક્ટ્સ જોઈને આકર્ષિત થાય છે અને વિચારે છે કે આનાથી તેમની સુંદરતામાં વધારો કરશે. પરંતુ ઘણી વાર તેની અસર પણ જોવા નથી મળતી. આ રાસાયણિક ઉત્પાદનો તમને થોડા સમય માટે સુંદર બનાવી શકે છે, પરંતુ વાસ્તવિકતામાં નહીં. વાસ્તવિક સુંદરતા મેળવવા માટે તમારે ખરેખર તમારી જીવનશૈલી અને ખાવાની ટેવ સુધારવાની જરૂર છે.

સારો ખોરાક તમારા શરીરને અંદરથી સ્વસ્થ બનાવે છે, જેની અસર તમારી ત્વચા પર પણ દેખાય છે. જેના કારણે, કરચલીઓ અને વયની અસર તમારા ચહેરા પર લાંબા સમય સુધી દેખાતી નથી અને ત્વચા ખૂબ જ ચમકતી લાગે છે. અહીં આજે તમને આવી જ પાંચ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 40 વર્ષની વય પછી પણ, તમારા ચહેરા પર ઘડપણની અસર નહીં દેખાવા દે.

1- ગ્રીન ટી

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સૌ પ્રથમ તમારે સવારની ચાને બાય બાય કહેવું પડશે. તેની જગ્યાએ એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર ગ્રીન ટી લેવાનું શરૂ કરો. તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને ત્વચાની સુંદરતા જાળવવામાં ખૂબ મદદરૂપ થાય છે. દરરોજ ઓછામાં ઓછી બે વખત ચાની જગ્યાએ ગ્રીન ટી પીવાની આદત રાખો. ચા અને કોફીને સંપૂર્ણપણે ના કહો.

2- ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર ખોરાક

એવી વસ્તુઓ આહારમાં લેવાની ટેવ રાખો જેમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ મળી આવે છે. જેમ કે અખરોટ, ફ્લેક્સસીડ, બદામ અને માછલી વગેરે. આ તમારા શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે, તેમજ આ ખોરાક ત્વચાને કડક રાખે છે અને ઉંમરની અસરોને અટકાવે છે.

3- એવાકાડો અને ટામેટા

એવાકાડો એવ વિશેષ ફળ છે, જેમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે. આ ફળ તમને પોષણ આપવા સાથે લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદરૂપ બને છે. આ સિવાય ટામેટામાં લાઇકોપીન જોવા મળે છે, જે શરીરને વૃદ્ધત્વની અસરોથી બચાવે છે. તમે તેને સલાડના રૂપમાં ખાઈ શકો છો.

4- અંકુરિત અનાજ

દરરોજ નાસ્તામાં પુરી, પરાઠાને બદલે ફણગાવેલા મગ, ચણ, ઘઉં, સોયાબીન વગેરે ખાવાની ટેવ રાખો. તેનાથી શરીરમાં પ્રોટીનની ઉણપ દૂર થાય છે. આ સાથે, ઘણા પ્રકારના વિટામિન્સ પણ ઉપલબ્ધ થાય છે જે ઘણી શારીરિક સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. તમારી ત્વચાને પણ સારી બનાવે છે. તમજ વધારે પ્રમાણમાં લીલી શાકભાજી જેવી કે દુધી, ટીંડા, પાલક, મેથી, સરગવો, કાકડી, ગાજર વગેરે આહારમાં લો. તે તમારા શરીરને શક્તિ આપશે અને ત્વચાને કુદરતી રીતે ગ્લો પણ આપશે.

5- દૂધ સાથે હળદર

રોજ સૂતા સમયે હળદરનું દૂધ પીઓ. એન્ટિબાયોટિક હોવા સાથે, હળદર ત્વચાની બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેના એન્ટીએજિંગ ગુણધર્મો ત્વચાને સ્વસ્થ રાખે છે અને ઉંમરની અસરોને પણ ઝડપથી આવવા દેતી નથી.

આ પણ વાંચો: Health Tips : અનિયમિત પીરિયડ્સ પાછળ ઘણા છે કારણો : છુટકારો મેળવવા માટે કરો આ ઘરેલું ઉપાય

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: આ 4 કારણોથી થાય છે ફૂડ પોઇઝનિંગ, ચોમાસામાં સ્વાદનો ચટકો સ્વાસ્થ્ય બગાડી શકે છે

Latest News Updates

એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
g clip-path="url(#clip0_868_265)">