લગ્ન સંસ્થાને વૈવાહિક બળાત્કાર સામેના કાયદા કરતાં પતિ-પત્ની વચ્ચેના ખરાબ વ્યવહારનો ભય વધું છે

|

May 12, 2022 | 7:38 PM

ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં લગ્ન પછી સહમતિ વિનાના સેક્સને બળાત્કાર ગણવામાં આવતો નથી. જ્યારે એવું માનવું યોગ્ય નથી કે પુરુષો ક્યારેય બળાત્કારનો ભોગ બન્યા નથી, કમનસીબે, અસંમતિનો મુદ્દો ઘણીવાર સ્ત્રીઓ દ્વારા ઉઠાવવામાં આવે છે.

લગ્ન સંસ્થાને વૈવાહિક બળાત્કાર સામેના કાયદા કરતાં પતિ-પત્ની વચ્ચેના ખરાબ વ્યવહારનો ભય વધું છે
Marital Rape

Follow us on

ભારતીય દંડ સંહિતાની કલમ (Indian Penal Code) 375 મુજબ, ‘સંમતિનો અર્થ સ્પષ્ટ સ્વૈચ્છિક કરાર છે – જ્યારે કોઈ સ્ત્રી શબ્દો, હાવભાવ અથવા મૌખિક અથવા બિન-મૌખિક સંદેશાવ્યવહારના કોઈપણ સ્વરૂપ દ્વારા સ્પષ્ટ જાતીય સંબધમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે’. એક અપવાદ કલમ 375 માં પણ સામેલ છે જે મહિલાઓ સામે હિંસાને પ્રોત્સાહન આપે છે. છેલ્લા 10 વર્ષથી વૈવાહિક બળાત્કાર સમાચારમાં છે. વૈવાહિક સંબંધો (Marital Relationship) પતિને તેમની પત્ની પર બળાત્કાર કરવાની મંજૂરી આપે છે. જેમાં સંમતિ ન હોવા છતાં ગેરરીતિ કરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સંમતિ અથવા ઇચ્છાના ઘણા પ્રકારો છે. મૌખિક સંમતિ એટલે ગર્ભિત સંમતિ, સ્પષ્ટ સંમતિ, સક્રિય સંમતિ, ઇશારા, વગેરે. સંમતિનો અભાવ સૌથી મૂલ્યવાન સંબંધોને પણ બરબાદ કરે છે. જો કે, અંગત સંબંધો આ શરતોથી બંધાયેલા નથી.

સંમતિને વાહિયાત કહેવું એ સંસ્થાનવાદી માનસિકતા છે

ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં લગ્ન પછી સહમતિ વિનાના સેક્સને બળાત્કાર ગણવામાં આવતો નથી. જ્યારે એવું માનવું યોગ્ય નથી કે પુરુષો ક્યારેય બળાત્કારનો ભોગ બન્યા નથી, કમનસીબે, અસંમતિનો મુદ્દો ઘણીવાર સ્ત્રીઓ દ્વારા ઉઠાવવામાં આવે છે.

વાસ્તવમાં, આ કાયદો નિન્મ માનસિકતા ધરાવતા ભારત માટે એક રોગ સમાન છે જ્યાં સ્ત્રીઓને મિલકત ગણવામાં આવતી હતી, તેમની સંમતિને અપ્રસ્તુત ગણવામાં આવતી હતી અને તેઓ સ્ત્રીઓનું જીવનમાં પુરુષો દ્વારા નિયંત્રિત હોતી. ત્યારે દુનિયા અસમાન હતી અને તે સમયે મહિલાઓને તેમના જીવન અને તેમની સંપત્તિ સંબંધિત કોઈ અધિકારો નહોતા મળતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા ચોંકાવનારા છે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) 2019-21ના ડેટા દર્શાવે છે કે 15-49 વર્ષની વયની પાંચમાંથી લગભગ એક પરિણીત ભારતીય મહિલા હજુ પણ તેમના પતિ સાથે જાતીય સંબંધો બાબતે ચર્ચા કરી શકતી નથી. 25 ટકાથી વધુ પુરૂષો માને છે કે જ્યારે પત્ની તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરે છે, ત્યારે તેને ગુસ્સે આવે છે અને તે નારાજ થાય છે (19.2 ટકા), આર્થિક મદદ કરવાની પણ ના પાડી દે છે (13 ટકા),જાતીય સંબધ બનાવાની ના કહેવાતા પુરૂષ તેની વિરુદ્ધ બળનો ઉપયોગ કરવાનો અધિકાર છે. બળજબરી પૂર્વક સેક્સ કરવું (12.2 ટકા) અથવા બીજા (12.6 ટકા) સાથે જાતીય સંબંધો બાંધવા પોતાનો અધિકાર ગણે છે. વૈવાહિક સંબંધો માટે સંમતિ ન આપતી પત્નીને સજા કરવા માટે, 6 ટકા પુરુષો ઉપરોક્ત ચારેય બાબતો સાથે સંમત થાય છે.

સંમતિના અભાવે લાચાર થાય છે લગ્ન સંસ્થા

બહુપરીમાણીય લૈંગિકતા (multidimensional sexuality)ના યુગમાં, લગ્નમાં સંમતિની સમજણમાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તેનો અભાવ બીજા વિરુદ્ધ આચરવામાં આવેલા સૌથી જઘન્ય ગુનાઓમાંથી એક તરફ દોરી જાય છે. તે શરીર અને મનને અસર કરે છે, કેટલીકવાર તે જીવલેણ થઈ શકે તેવી હદ સુધી. પરંતુ જ્યારે કોઈના જીવનસાથી દ્વારા સંમતિની અવગણના કરવામાં આવે છે, ત્યારે તે વૈવાહિક સંબંધોને નુકસાન પહોંચાડે છે. સંમતિની અવગણના કરવી અથવા તેના પ્રત્યે બેદરકાર વલણ અપનાવવાથી માત્ર વૈવાહિક સંબંધોમાં તિરાડ જ નથી આવતી, પરંતુ શારીરિક અને માનસિક પીડાનો પણ અનુભવ થાય છે.

તમારા જીવનસાથી સાથે ગેરવર્તણૂક કરવાથી લગ્નના બંધનની પવિત્રતાનો નાશ થાય છે, તે લગ્નની સંસ્થાના વિનાશનો મોટો ભય પણ ઉભો કરે છે. વધુમાં, વૈવાહિક સંબંધમાં સંમતિની જરૂરિયાતનો અભાવ પણ બિન-સંમતિ ન આપનાર વ્યક્તિને નુકસાનમાં મુકે છે. સંમતિની જરૂરિયાતનો અભાવ નિરાધાર પીડિતા સામે ઘરેલું હિંસાના જેવા ગુન્હાનો ભોગ બનાવે છે.

હવે સુપ્રીમ કોર્ટમાંથી આશા બચી છે

સર્વોચ્ચ અદાલતે પહેલેથી જ કહ્યું છે કે જો કોઈ પતિ કે પત્ની તેના પાર્ટનરને પૂરતા કારણ વગર લાંબા સમય સુધી સેક્સ કરવાની મંજૂરી ન આપે તો તે માનસિક ક્રૂરતા છે. આ સંદર્ભમાં, એવું માનવું ખોટું નથી કે જેઓ તેમના જીવનસાથી દ્વારા જાતીય કૃત્યો કરવા દબાણ કરે છે તેમની દુર્દશા પ્રત્યે પણ સર્વોચ્ચ અદાલત સહાનુભૂતિ દર્શાવશે. આ કેસ પીડિત મહિલાઓની આસપાસ ફરતો હોવાથી, કોઈ માત્ર એવી આશા રાખી શકે છે કે કેસની સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટની બેંચમાં મહિલા ન્યાયાધીશો છે, જેઓ અન્ય મહિલાઓની વેદનાને સમજે છે અને તેમના અધિકારોની હિમાયત કરે છે.

-Anshi Beohar

(લેખક કોમન કોઝ માટે કાનૂની સલાહકાર છે.)

નોંધ : આ સમગ્ર અહેવાલ વધારે વાંચવા માટે અહીં ક્લિક કરો

(નોંધ : અહિં રજુ કરેલા વિચાર લેખકના પોતાના છે, આ સંદર્ભ સાથે TV9 ગુજરાતી સહમત છે તેવું માનવુ નહીં.)

Next Article