AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips: ઉનાળાની ઋતુમાં ચહેરાની ત્વચાથી જોડાયેલી બધી સમસ્યાને દૂર કરશે આ ઉપાય, ત્વચા પર આવી જશે ગ્લો

ઉનાળાની ઋતુમાં ત્વચાની (skin) સાફ-સફાઈ પર ખાસ ધ્યાન રાખવું પડે છે. સાફ-સફાઈ ના થવાને કારણે તમારા ચહેરાની ચમક ઓછી થઈ જાય છે. ગરમીમાં પાણી ઓછું થઈ જવાને કારણે ડિહાઈડ્રેશનની બીમારી થઈ જાય છે.

Tips: ઉનાળાની ઋતુમાં ચહેરાની ત્વચાથી જોડાયેલી બધી સમસ્યાને દૂર કરશે આ ઉપાય, ત્વચા પર આવી જશે ગ્લો
Charmi Katira
| Edited By: | Updated on: Mar 28, 2021 | 11:52 PM
Share

ઉનાળાની ઋતુમાં ત્વચાની (skin) સાફ-સફાઈ પર ખાસ ધ્યાન રાખવું પડે છે. સાફ-સફાઈ ના થવાને કારણે તમારા ચહેરાની ચમક ઓછી થઈ જાય છે. ગરમીમાં પાણી ઓછું થઈ જવાને કારણે ડિહાઈડ્રેશનની બીમારી થઈ જાય છે. આ કારણે માથાનો દુખાવો અને ચક્કરની સમસ્યા વધી જાય છે. ડિહાઈડ્રેશનને કારણે તમારી ત્વચા (skin) શુષ્ક થઈ જાય છે. ગરમીની ઋતુમાં દિવસ દરમિયાન ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. ચા તથા કોફી પીનારા લોકોએ ત્રણ ગણું સાદું પાણી પીવું જોઈએ. જો તમે પણ તમારી ત્વચાને ચમકદાર રાખવા માંગતા હોય તો આ ટિપ્સને કરો ફોલો.

દહીં દહીં ખાવાની સાથે ચહેરાની સ્કિન માટે પણ લાભદાયક છે. દહીંથી સ્કિન સારી થાય છે. આ સાથે જ ચહેરાના ગંદા કણને બહાર કાઢે છે. ઘી ટૈનિંગને પણ હટાવે છે. આ સાથે જ ચહેરાની સ્કિનને સ્વસ્થ પણ રાખે છે.

ચહેરા પર લગાવો એલોવેરા એલોવેરામાં ઘણા ગુણ હોય છે. જો તમે ગરમીમાં તમારી ત્વચાને કુદરતી રીતે દેખભાળ કરવા માંગતા હોય તો તમારા ચહેરા પર એલોવેરા અચૂક લગાવો. આ માટે તમે એલોવેરાનું ઝાડ ઘર પર લગાવી શકે છે. ચહેરા પર એલોવેરા જેલ લગાવો અથવા તમે બજારમાંથી એલોવેરા જેલ ખરીદી શકો છો. તમે ચહેરા પર ગમે ત્યારે એલોવેરા જેલ લગાવી શકો છો. જો કે રાત્રે ચહેરો સાફ કર્યા પછી એલોવેરા જેલ અચુક લગાવો.

લીંબુનો કરો ઉપયોગ જો તમે તમારા ચહેરા પર ચમક લાવવા માંગતા હોય તો લીંબુનો ઉપયોગ કરો. લીંબુમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જો તમે પણ લીંબુ તમારા ચહેરા પર લગાવો છો તો ત્વચા પર ચમક આવી જશે અને આ સાથે જ ચહેરાની ગંદકી પણ સાફ કરશે.

ટામેટાના રસને લગાવો ચહેરા પર ત્વચા માટે ટામેટાના રસને સ્કિન પર લગાવો. ટામેટાનો રસ ત્વચાને અંદરથી સાફ કરશે. આ માટે તમારે ટામેટાના રસને ચહેરા પર લગાવવો પડશે. જ્યારે રસ સુકાઈ જાય છે, ત્યારે હલકા હાથથી ત્વચા પર રબ કરો. આ બાદ ચહેરાને પાણીથી ધોઈ લો. આ બાદ તમારો ચહેરો સાફ થઈ જશે.

નારિયેળનું તેલ નારિયેળનું તેલ પણ તમારા ચહેરાની સ્કિનને સાફ કરવા માટે અસરકારક રહેશે. તમે ચહેરાની ગંદકી સાફ કરવા સિવાય મેકઅપને રીમુવ કરવા માટે પણ મેકઅપનો ઉપયોગ કરી શકો છો. નારિયેળનું તેલ તમને નુકસાન નથી કરતું અને ચહેરા પર ગ્લો લાવે છે.

આ પણ વાંચો: Eye Tips: જો તમને પણ ડાર્ક સર્કલની સમસ્યા છે તો આંખની આસપાસની ત્વચાનું આ રીતે રાખો ધ્યાન

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">