Lifestyle : ટ્રાવેલિંગ માટે ટિકિટ બુક કરાવતા પહેલા રાખશો આ બાબતનું ધ્યાન તો નહીં થાય આર્થિક નુકશાન
ટ્રાવેલ પેકેજમાં તમને રહેઠાણ, હોટેલ ટ્રાન્સપોર્ટેશન અને ડેસ્ટિનેશન ટુર જેવી સુવિધાઓ મળે છે. જો તમે કોઈપણ કારણોસર પ્રવાસ રદ કરો છો, તો ટુર સંચાલક તેને ફરીથી ગોઠવવાની સુવિધા પણ પ્રદાન કરે છે.
મુસાફરીનો (Travelling ) મુખ્ય હેતુ તો નવી વસ્તુઓનો અનુભવ અને નવા સ્થળોની મુલાકાત (Visit ) લેવાનો છે. ઘણી વખત આપણે નવા અનુભવોનો સામનો કરીએ છીએ અને આ સમય દરમિયાન ભૂલનો અવકાશ રહેલો હોય છે, પરંતુ દરેક વખતે મુસાફરી સાથે જોડાયેલી ભૂલનું પુનરાવર્તન કરવાથી સમય અને પૈસાનો વ્યય થાય છે. બહાર નીકળતા પહેલા ટિકિટ બુક કરાવવી એ સારી બાબત છે, પરંતુ આપણે વારંવાર ભૂલો કરવાનું ટાળવું જોઈએ. એવું જોવામાં આવ્યું છે કે લોકો મુસાફરી કરવા માટે ફ્લાઇટ ટિકિટ બુક કરાવે છે અને તેમાં આવી સામાન્ય ભૂલો કરે છે, જે આખી સફરની મજા બગાડી શકે છે.
એ વાત સાચી છે કે આપણે દરેક પ્રકારની પરિસ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી રહી શકતા, પરંતુ થોડા સ્માર્ટ બનીને ટિકિટ બુક કરાવવાથી ઘણો ફાયદો થઈ શકે છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ફ્લાઈટ ટિકિટ બુક કરાવતી વખતે લોકો વારંવાર કઈ ભૂલોનું પુનરાવર્તન કરે છે. આવો તમને તેના વિષે જણાવીએ.
રજાઓની મોસમ માટે મોડી ટિકિટ બુકિંગ
જો તમે રજાઓ અથવા તહેવારોની સિઝનમાં ઘરે પાછા ફરવા માંગતા હો અથવા ફ્લાઇટ દ્વારા કોઈ અન્ય સ્થળે જવા માંગતા હો, તો તમારે લેટ ટિકિટ બુકિંગ ટાળવું જોઈએ. આ ભૂલને કારણે પાછળથી ટિકિટ મળતી નથી અને મુસાફરીની મજા જ બગડી જાય છે.
રજા સિવાયની મોસમ માટે વહેલી બુકિંગ
ઘણી વખત લોકોને નોન-હોલીડે સિઝનમાં મુસાફરી કરવી પડે છે અને તેઓ વહેલી ટિકિટ બુક કરાવે છે. આ એક ભૂલ પણ સાબિત થઈ શકે છે, કારણ કે જેમ જેમ તમારી મુસાફરીની તારીખ નજીક આવી રહી છે, એરલાઇન કંપની ટિકિટના ભાવમાં ઘટાડો કરે છે. નોન-હોલીડે સીઝનમાં, તમારે ટિકિટ બુક કરાવવામાં ઉતાવળ ન કરવી જોઈએ.
ટ્રાવેલ પેકેજ
ટ્રાવેલ પેકેજના ઘણા ફાયદા છે, પરંતુ મોટાભાગના પ્રવાસીઓ તેની પરેશાની તરીકે અવગણવાની ભૂલ કરે છે. અથવા માહિતીના અભાવે તેઓ ટ્રાવેલ પેકેજ બિલકુલ બુક કરતા નથી. ટ્રાવેલ પેકેજમાં તમને રહેઠાણ, હોટેલ ટ્રાન્સપોર્ટેશન અને ડેસ્ટિનેશન ટુર જેવી સુવિધાઓ મળે છે. જો તમે કોઈપણ કારણોસર પ્રવાસ રદ કરો છો, તો ટુર સંચાલક તેને ફરીથી ગોઠવવાની સુવિધા પણ પ્રદાન કરે છે.