ઊંઘ ન આવવાથી અનેક રોગો થઈ શકે છે, જાણો તમારી ઊંઘની પેટર્ન કેવી રીતે ઠીક કરવી

|

Jul 30, 2022 | 2:40 PM

Sleep Disorder : ડોક્ટર્સ કહે છે કે તમારે શું ખાવું-પીવું જોઈએ તેના પર ધ્યાન આપવું જોઈએ. જમ્યા પછી તરત જ ભૂખ્યા સૂવા ન જાઓ. સૂતા પહેલા ભારે ભોજન લેવાનું ટાળો.

ઊંઘ ન આવવાથી અનેક રોગો થઈ શકે છે, જાણો તમારી ઊંઘની પેટર્ન કેવી રીતે ઠીક કરવી
Lack of sleep can cause many diseases, how to fix your sleep pattern

Follow us on

ઊંઘ (sleep) એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેની આપણા શરીર પર ઘણી અસર પડે છે. જે લોકોને સ્લીપ ડિસઓર્ડર હોય છે તેમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ભારતીયોમાં સ્લીપ ડિસઓર્ડર ખૂબ જ જોવા મળે છે. 2020માં કરવામાં આવેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીયોમાં સ્લીપ ડિસઓર્ડર (Sleep disorder) 93 ટકા છે. સામાન્ય ઊંઘમાં અવરોધ, મોડે સુધી ઉંઘ ન આવવી સ્લીપ એપનિયા, હાયપરસોમનિયા, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ અને શિફ્ટ વર્ક ડિસઓર્ડરનો સમાવેશ થાય છે.

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં વ્યક્તિની ઊંઘની ગુણવત્તા પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે વાસ્તવિક ઊંઘનો સમય, કુલ ઊંઘનો સમય, હળવી ઊંઘ, સરેરાશ હૃદયના ધબકારા અને સરેરાશ શ્વસન દર તાપમાનથી પ્રભાવિત થાય છે. ફોર્ટિસ હોસ્પિટલ, નોઈડાના પલ્મોનોલોજી અને ક્રિટિકલ કેર વિભાગના HOD, ડૉ. મૃણાલ સરકારે TV9ને જણાવ્યું કે કોઈ બે વ્યક્તિની ઊંઘની પેટર્ન સમાન હોઈ શકે નહીં. જો કે, દરેક વ્યક્તિ માટે તેમની નિર્ધારિત ઊંઘની પેટર્નને વળગી રહેવું મહત્વપૂર્ણ છે જે તેમના માટે અનુકૂળ છે.

ડૉ. સરકારે કહ્યું, એવું ન થવું જોઈએ કે એક દિવસ વ્યક્તિ રાત્રે 9 વાગ્યે સૂઈ જાય, બીજા દિવસે સવારે 3 વાગ્યે અને બીજા દિવસે સવારે 5 વાગ્યે. સૂવાનો સમય નિશ્ચિત હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ દરરોજ મધ્યરાત્રિમાં સૂઈ જાય છે, તો તેણે દરરોજ તે જ સમયે સૂવાનો પ્રયાસ કરવો જોઈએ.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

એક જ સમયે સૂવાની આદત બનાવો

ડૉ. સરકારે જણાવ્યું હતું કે જ્યારે વ્યક્તિ એક જ સમયે ઊંઘે છે અને જો તે દરરોજ 8 કલાકને બદલે માત્ર 7 કલાકની ઊંઘ લો તો પણ તે તેના માટે પૂરતી છે.

બેડરૂમનું તાપમાનનો મોટો રોલ છે

બેડરૂમના તાપમાનની ગુણવતા મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે. ઉંઘવા માટે સૌથી સારૂ તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે. જોકે દરેક વ્યક્તિ માટે આ તાપમાન થોડુ અલગ હોય શકે છે, પરંતુ ડોક્ટર આરામદાય ઉંઘ માટે 15.6 થી 19.4 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવાની સલાહ આપે છે.

સારી ઊંઘ કેવી રીતે મેળવવી?

ઊંઘના સમયપત્રકને વળગી રહો : ​​એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિને ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘની જરૂર હોય છે.

તમે શું ખાઓ અને પીઓ તેના પર ધ્યાન આપો: જમ્યા પછી તરત સૂવા ન જાઓ. સૂતા પહેલા ભારે ભોજન લેવાનું ટાળો.

આરામનું વાતાવરણ બનાવો: સુનિશ્ચિત કરો કે બેડરૂમ ઠંડો હોય, એકદમ અંધારાની જગ્યાએ હળવી લાઇટ ચાલુ હોય.

દિવસ દરમિયાન ઊંઘ ઓછી કરોઃ જે લોકો બપોરે વધુ ઊંઘે છે તેમને રાત્રે સૂવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમને બપોરે સૂવાની આદત હોય તો તેને એક કે બે કલાક સુધી મર્યાદિત કરો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Next Article