AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 કલાકથી ઓછી ઊંઘ લેવાની આદત છે ? જાણો મગજ પર શું થાય છે તેની અસર

Sleeping Disorder: ઓછી ઊંઘની અસર મગજ પર ઝડપથી દેખાવા લાગે છે. આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે ઓછી ઉંઘ લેવાથી મગજ પર કેવી ખરાબ અસર પડે છે.

6 કલાકથી ઓછી ઊંઘ લેવાની આદત છે ? જાણો મગજ પર શું થાય છે તેની અસર
Sleeping Disorder (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 11:54 PM
Share

પૂરતી ઊંઘ લેવી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે વ્યક્તિએ રાત્રે લગભગ 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. પરંતુ જો કોઈ કારણોસર તે યોગ્ય રીતે ઊંઘી શકતો નથી, તો તેની સૌથી ખરાબ અસર મન (mental health tips) પર પડે છે. આવા લોકો ઘણીવાર તણાવમાં રહે છે અને તેઓ તેમના રોજિંદા કાર્યો યોગ્ય રીતે કરી શકતા નથી. ઊંઘ (Sleeping disorder) ન આવવી એ એક સમસ્યા છે, પરંતુ તેનાથી પણ વધુ ગંભીર સમસ્યા 6 કલાકથી ઓછી ઊંઘ છે. ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ 6 કલાક પણ બરાબર ઊંઘતા નથી.

નિષ્ણાતોના મતે, 6 કલાક અથવા ઓછી ઊંઘ લેવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી (Weak immunity) પડી શકે છે. જેના કારણે તમે વારંવાર શરદી-ઉધરસ અને અન્ય શારીરિક સમસ્યાઓનો ભોગ બનશો. ઓછી ઊંઘની અસર મગજ પર ઝડપથી દેખાવા લાગે છે. આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે ઓછી ઉંઘ લેવાથી મગજ પર કેવી ખરાબ અસર પડે છે.

તણાવ (સ્ટ્રેસ)

જો તમે 6 કલાક કે તેનાથી ઓછી ઊંઘ લો છો તો એક સમયે તમારી માનસિક સ્થિતિ બગડવા લાગે છે અને તમે તણાવનો શિકાર થઈ શકો છો. ક્યારેક આ તણાવ એટલો વધી જાય છે કે લોકો ડિપ્રેશનનો શિકાર પણ બને છે. કહેવાય છે કે ઉંઘની કમી અને ડિપ્રેશન વચ્ચે સંબંધ છે. જો ડિપ્રેશન હોય તો ઊંઘ આવતી નથી અને ઊંઘ ન આવે તો ડિપ્રેશન થઈ શકે છે. તેથી પૂરા કલાકોની ઊંઘ ચોક્કસ લો.

યાદશક્તિ પર અસર

જે લોકોને 6-7 કલાક અથવા તેનાથી ઓછા સમય સુધી ઊંઘવાની આદત હોય છે, તેઓને પણ યાદશક્તિ નબળી હોવાની ફરિયાદ થવા લાગે છે. આવા લોકો ચિંતામાં ડૂબેલા રહે છે અને તેઓ વસ્તુઓ ભૂલી જવા લાગે છે. જો તમને અનિદ્રાની સમસ્યા છે, તો આ સ્થિતિમાં ડૉક્ટર પાસે જાઓ. જો તમે ઈચ્છો તો ઘરે જ યોગ કરીને આ સમસ્યાથી પોતાને દૂર રાખી શકો છો.

ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું

ઓછી ઊંઘ અથવા અનિદ્રાથી પીડાતા લોકોના મગજ પર એટલી ખરાબ અસર પડે છે કે તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ નબળી પડવા લાગે છે. તેઓ ઈચ્છે તો પણ કોઈ મહત્વની બાબતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને તેના કારણે તેમને મોટું નુકસાન પણ થઈ શકે છે. અનિદ્રાની સમસ્યા હોય કે પછી કોઈ કારણસર તમે પૂરતી ઊંઘ નથી લઈ શકતાં, પરંતુ આ સમસ્યાનો ઉકેલ એ છે કે પૂરતી ઊંઘ લેવી.

આ પણ વાંચો : Corona Virus Symptoms: બાળકોમાં જો દેખાય આ લક્ષણ, તો શાળાએ મોકલવાનું ટાળો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">