AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાલી પેટે મખાના ખાવાથી થાય છે આટલા ફાયદા, અનેક બિમારીમાં છે ઉપયોગી

મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તેને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તે બીજી ઘણી રીતે સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદરૂપ છે. તેને હળવી ધીમી આંચે શેકીને સવારે એક મુઠ્ઠી ખાવાથી શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઇડ્રેડ અને પ્રોટીનની ઉણપ તરત જ પૂરી થાય છે

ખાલી પેટે મખાના ખાવાથી થાય છે આટલા ફાયદા, અનેક બિમારીમાં છે ઉપયોગી
symbolic image
Dhinal Chavda
| Edited By: | Updated on: Feb 08, 2022 | 3:00 PM
Share

મખાના (Makhana) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તેને સવારે ખાલી પેટ (Stomach) ખાવામાં આવે તો તે બીજી ઘણી રીતે સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદરૂપ છે. તેને હળવી ધીમી આંચે શેકીને સવારે એક મુઠ્ઠી ખાવાથી શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેડ અને પ્રોટીનની ઉણપ તરત જ પૂરી થાય છે.

આ ગ્લુટેન ફ્રી છે. સવારે મખાના ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ, ફેટ અને સોડિયમનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે અને હાડકા મજબૂત બને છે. આ સિવાય બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. મખાનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને આયર્ન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. મખાનામાં હેલ્ધી ફેટ, ફોસ્ફરસ, વિટામીન અને કેલરી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આવામાં તેને સવારે ખાલી પેટે ખાવાથી વધુ ફાયદો થાય છે.

ખાલી પેટ મખાના ખાવાના ફાયદા

હાડકાંને મજબૂત બનાવે

મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. જો તમને હાડકામાં દુખાવો થતો હોય તો તમારે સવારે મખાનાનું સેવન કરવું જોઈએ. મખાના ખાવાથી આર્થરાઈટિસમાં પણ આરામ મળે છે.

ગર્ભાવસ્થામાં ફાયદાકારક

સગર્ભાવસ્થામાં મખાના ગર્ભવતી મહિલાઓ અને બાળક બંને માટે ફાયદાકારક છે. મખાના ખાવાથી ગર્ભવતી મહિલાઓને જરૂરી તમામ પોષક તત્વો મળે છે. તેના સેવનથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને થાક દૂર થાય છે.

બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે

ખાલી પેટે મખાના ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. મખાનાને ડાયાબિટીસના દર્દીઓ માટે સારો ખોરાક માનવામાં આવે છે.

હૃદય માટે ફાયદાકારક

મખાનામાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હૃદય સંબંધિત સમસ્યાઓમાં જો તમે સવારના નાસ્તામાં મખાનાનો સમાવેશ કરો છો તો તે ફાયદાકારક છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે અને બીપીને પણ નિયંત્રણમાં રાખે છે.

વજન ઘટાડવું

જો તમારે વજન ઓછું કરવું હોય તો ખાલી પેટે મખાનાનું સેવન કરો. મખાનામાં હાજર તત્વો વજન ઘટાડવામાં અસરકારક છે. સવારે ખાલી પેટે મખાના ખાવાથી પેટ ભરેલું લાગે છે, જેનાથી દિવસભર ભૂખ ઓછી લાગે છે. તે શરીરમાં પોષક તત્વોની ઉણપને પણ દૂર કરે છે. મખાના ખાવાથી તમે એક્ટીવ રહેશો, પરંતુ તેને વધુ પડતું ખાવાનું ટાળો.

ત્વચા માટે પણ ફાયદાકારક

મખાનામાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી એજીંગ ગુણો રહેલા છે. જેનાથી સ્કીન યુવાન બને છે અને નિખાર પણ આવે છે. યુવી કિરણોથી થયેલા ડેમેજને ઠીક કરવામાં મદદ મળશે.

(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સુચના સામાન્ય જાણકારી પર આધારિત છે. Tv9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, આનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)

આ પણ વાંચો :Viral: ખતરનાક સાપને પકડતા મહિલા વનકર્મીની બહાદુરીના લોકો કરી રહ્યા છે વખાણ

આ પણ વાંચો :શું વિટામિન ડી પોસ્ટ કોવિડ -19 ની તીવ્રતા ઘટાડે છે? જાણો શું કહે છે અભ્યાસ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">