આ છે દેશના 100 વર્ષ જૂની રેસ્ટોરન્ટ્સ, અહીંની વાનગીઓના સ્વાદની સાથે ઈતિહાસ પણ જાણવો બને છે ખાસ

ભારતમાં કેટલીક એવી રેસ્ટોરન્ટ્સ છે, જે માત્ર તેમના ભોજન માટે જ નહીં પરંતુ તેમના ઈતિહાસને કારણે પણ ખૂબ જ પ્રખ્યાત છે. ખાસ વાત એ છે કે, આ રેસ્ટોરન્ટ 100 વર્ષથી પણ વધુ જૂની છે.

આ છે દેશના 100 વર્ષ જૂની રેસ્ટોરન્ટ્સ, અહીંની વાનગીઓના સ્વાદની સાથે ઈતિહાસ પણ જાણવો બને છે ખાસ
100 year old restaurants
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 5:10 PM

આપણે એવા દેશમાં રહીએ છીએ જેનો લાંબો ઈતિહાસ છે. આપણા દેશના ઈતિહાસ વિશે આપણે જેટલું જાણીએ તેટલું ઓછું છે. દરેક જગ્યાનો એક ઈતિહાસ હોય છે, જેના વિશે જાણવું પણ ખાસ છે. એ જ રીતે, આપણે જે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તેની સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે, જે ફૂડ લવર્સને અહીં આવવા માટે મજબૂર કરે છે. જો તમે કોઈ ખાસ જગ્યા પર જમવા જઈ રહ્યા છો, તો ત્યાં સાથે જોડાયેલી વાતો જાણવાનું દરેકના મનમાં હોય છે.

રેસ્ટોરન્ટનું સારું ફૂડ, કોઈ ખાસ આઈટમ, ઈન્ટીરીયરને કારણે પ્રવાસીઓ રેસ્ટોરન્ટમાં આવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ભારતમાં કેટલીક એવી રેસ્ટોરન્ટ્સ છે, જે માત્ર તેમના ભોજન માટે જ નહીં પરંતુ તેમના ઈતિહાસને કારણે પણ ખૂબ જ પ્રખ્યાત છે. ખાસ વાત એ છે કે, આ રેસ્ટોરન્ટ 100 વર્ષથી પણ વધુ જૂની છે. જો તમે પણ ખાણીપીણીના શોખીન છો, તો એક વાર અહીં અવશ્ય મુલાકાત લો.

ગ્લેનરિસ, દાર્જિલિંગ

દાર્જિલિંગ તેની સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે. પહાડી નગરની સૌથી જૂની રેસ્ટોરન્ટ્સમાંની એક, ગ્લેનરિસ 130 વર્ષથી વધુ જૂની હોવાનું કહેવાય છે. અહીંનું ભોજન શાનદાર છે, અહીંની ગ્લેનરીમાં એક બેકરી ખૂબ જ ખાસ છે. સુંદર નજારો જોવાની સાથે તમે અહીં ખાવાની મજા પણ માણી શકો છો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

લિયોપોલ્ડ કાફે, મુંબઈ

મુંબઈમાં ખાવા-પીવાની ઘણી ખાસ જગ્યાઓ છે, પરંતુ આ લિયોપોલ્ડની પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે અને કહેવાય છે કે, તે 150 વર્ષ જૂની છે. તમને જણાવી દઈએ કે 2008માં જ્યારે મુંબઈ હુમલો થયો ત્યારે આ રેસ્ટોરન્ટને પણ નિશાન બનાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, આ સ્થળ માત્ર પ્રવાસીઓમાં જ નહીં પરંતુ સ્થાનિક લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.

ઇન્ડિયન કોફી હાઉસ, કોલકાતા

ઇન્ડિયન કોફી હાઉસ એ દેશમાં ભારતીય કોફી હાઉસની સૌથી લોકપ્રિય શાખા છે. તમને જણાવી દઈએ કે, પહેલા તેનું નામ આલ્બર્ટ હાઉસ હતું પરંતુ 1947માં દેશની આઝાદી બાદ તેનું નામ બદલીને ઇન્ડિયન કોફી હાઉસ કરી દેવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે તેની શરૂઆત 1876 માં થઈ હતી. તેને કોલકાતાનું ગૌરવ પણ કહેવામાં આવે છે.

ટુંડે કબાબ

લખનઉનું આ 115 વર્ષ જૂનું સ્થળ ભારતમાં કબાબ પ્રેમીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આજે કબાબને ફૂડ લવર્સની જાન કહેવામાં આવે છે. જો તમે કબાબ ખાવાના ખૂબ જ શોખીન હોવ તો પણ તમારે એકવાર અહીં અવશ્ય આવવું જોઈએ. એવું કહેવાય છે કે તેને 1905માં લોન્ચ કરવામાં આવ્યું હતું, એટલું જ નહીં કહેવાય છે કે આ કબાબ બનાવવા માટે લગભગ 125 સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: GATE Exam 2022: ગેટ 2022 પરીક્ષાનું સમયપત્રક આવી ગયું છે, આ તારીખે મળશે એડમિટ કાર્ડ

આ પણ વાંચો: આ શાળાઓમાં ભણાવવામાં આવશે ભગવત ગીતા, 25 ડિસેમ્બરથી શરૂ થશે વર્ગો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">