Eye Care Tips : ઉનાળામાં આંખોમાં બળતરા થઈ પાણી નિકળવા લાગે છે? તો અપનાવો આ ઘરેલુ ઉપચાર, થોડી જ મીનિટોમાં થઈ જશે ઠીક

વધુ પડતી ગરમી અથવા લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી આંખો પર ગંભીર અસર થાય છે અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. જો તમે પણ વધતી ગરમીના કારણે વારંવાર આંખોમાં પાણી આવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે પણ તમારી આંખોની કાળજી લેવાની સખત જરૂર છે.

Eye Care Tips : ઉનાળામાં આંખોમાં બળતરા થઈ પાણી નિકળવા લાગે છે? તો અપનાવો આ ઘરેલુ ઉપચાર, થોડી જ મીનિટોમાં થઈ જશે ઠીક
eye care tips
Follow Us:
| Updated on: Apr 11, 2024 | 4:19 PM

ઉનાળાની ઋતુમાં આંખના ચેપનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તમારી આંખોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં, ધૂળના નાના કણો હવામાં રહે છે, જે આપણી આંખોને નુકસાન પહોંચાડે છે. તે જ સમયે, ડિજિટલ યુગમાં મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ પણ આંખોને નુકસાન પહોંચાડે છે.

આંખના નિષ્ણાત ડો.મનદીપ બસુઃ ગરમીની સાથે સાથે ગેજેટ્સ પણ આપણી આંખોને નુકસાન પહોંચાડે છે. તેના કારણે માથાનો દુખાવો, આંખોમાં બળતરા અથવા પાણીના નિકળવાની સમસ્યા થઈ શકે છે. પરંતુ ઉનાળાની ઋતુમાં આંખ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે આયુર્વેદ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પિત્ત દોષ :

ડૉ.મનદીપ બસુ કહે છે કે આયુર્વેદ મુજબ આંખોનો સંબંધ પિત્ત દોષ સાથે છે. તે પાચન અગ્નિ અને ચયાપચયને નિયંત્રિત કરે છે. જ્યારે શરીરમાં પિત્તનું સંતુલન બગડે છે, ત્યારે આંખોની ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આવો તમને જણાવીએ આયુર્વેદની કેટલીક ટિપ્સ, જેનાથી આંખો સ્વસ્થ રહેશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પાણીના છાંટા :

તમારા દિવસની શરૂઆતમાં જ આંખોમાં ઠંડા પાણીની છાલક મારી ધોઈને બરાબર સાફ કરો. આના કારણે, જમા થયેલો કચરો સાફ થઈ જાય છે અને આંખોના લુબ્રિકેશન માટે જવાબદાર ગ્રંથીઓ સક્રિય થઈ જાય છે.

સૂર્યપ્રકાશના સીધા સંપર્કથી બચો :

તીવ્ર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી આંખની સમસ્યાઓ પણ થઈ શકે છે. સૂર્યના યુવી કિરણોથી પણ આંખોમાં એલર્જી કે ઈન્ફેક્શન થવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં સનગ્લાસ પહેરીને જ બહાર નીકળો.

ગુલાબજળ અને કાકડી :

આંખોને ઠંડક આપવા અને સાફ કરવા માટે, ગુલાબજળમાં પલાળેલા કોટન પેડને દરરોજ 10 મિનિટ માટે તમારી આંખો પર લગાવો, જેનાથી ડાર્ક સર્કલ થવાની શક્યતા ઘટી જાય છે. આ સિવાય કાકડીના ટુકડા પણ આંખોની ઉપર રાખો જેનાથી આંખોમાં બળતરા થતા બંધ થઈ જશે અને આંખોને ઠંડક મળશે.

દિવસ દરમિયાન વધુ પાણી પી હાઇડ્રેટેડ રહો :

તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે, તમારી જાતને હાઇડ્રેટેડ રાખવી મહત્વપૂર્ણ છે. તમારે દિવસભર પૂરતું પાણી પીવું જોઈએ. સાથે જ રસદાર ફળો, હર્બલ ટી અને જ્યુસનું સેવન કરો. તેનાથી આંખોની શુષ્કતા દૂર થશે.

ક્લોરિનેટેડ પાણીથી બચો :

ક્લોરિન એટલે કે સ્વિમિંગ પુલમાં જે પાણી હોય છે તેમાં ક્લોરિન એડ કરેલું હોય છે જે ઉનાળામાં આંખોને પણ નુકસાન પહોંચાડે છે. તેથી, ક્લોરિનના સંપર્કમાં આવવાથી તમારી આંખો પર સોજો આવવો, બળતરા અને ખંજવાળ આવવા લાગે છે ત્યારે સ્વિમિંગ ગોગલ્સ પહેરવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્યપ્રદ ખોરાક

આ સિવાય આપણા આહારની પણ આંખો પર ઘણી અસર પડે છે. આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. ફળો અને શાકભાજીમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા રસાયણો હોય છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આંખના રોગો જેવા કે મોતિયા અને મેક્યુલર ડીજનરેશન સામે રક્ષણ આપે છે.

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">