AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work From Home કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો શું છે કારણ

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરવાને કારણે કરોડરજ્જુ 120 ડિગ્રી સુધી ઝૂકી ગઈ છે અને તેના કારણે સામાન્ય માણસ બરાબર સીધો નથી થઈ શકતો. ડોક્ટરોએ માર્ચ 2020થી જૂન 2021 વચ્ચે દર્દીઓ પર આ અભ્યાસ કર્યો છે.

Work From Home કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો શું છે કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 7:01 PM
Share

કોરોના મહામારી(Corona Pandemic)માં મોટી મોટી કંપનીઓએ પણ વર્ક ફ્રોમ હોમ (Work from home)ની સિસ્ટમ શરુ કરી દીધી. મોટી સંખ્યામાં લોકોને ઓફિસમાં ગાઈડલાઈન(Guideline) સાથે કામ કરાવવું કેટલીક કંપનીઓ માટે શક્ય નથી. જેથી આવી કંપનીઓએ કોરોના(Corona) સંક્રમણ ન ફેલાય તે માટે વર્ક ફ્રોમ હોમની જ શરુઆત કરી દીધી છે. ઘણા લોકો માટે વર્ક ફ્રોમ હોમ ખૂબ જ ફાયદાકારક પણ રહ્યુ છે, પરંતુ વર્ક ફ્રોમ હોમ કરતા લોકોના સ્વાસ્થ્ય માટે આ સિસ્ટમ ખૂબ જ હાનિકારક છે.

અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

તબીબોએ વર્ક ફ્રોમ હોમ કરતા કેટલાક લોકો પર અભ્યાસ કર્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે મોટાભાગના લોકો લાંબા સમય સુધી ખુરશીમાં બેસીને કામ કરે છે અને લેપટોપ મોબાઈલને ખૂબ નજીકથી જોતા હોય છે, જેના કારણે તેમને ઘણું નમવું પડે છે.

આ એવી સ્થિતિ છે જેના કારણે કરોડરજ્જુમાં ઘણો ઝુકાવ આવે છે. તાજેતરના સમયમાં AIIMSના ઓર્થોપેડિક્સ વિભાગમાં આવેલા મોટાભાગના દર્દીઓ એવા હતા કે તેઓને કરોડના હાડકામાં દુખાવાની ફરિયાદ હતી.

માર્ચ 2020થી જૂન 2021 દરમિયાનનો અભ્યાસ

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરતા લોકોની કરોડરજ્જુ પર અસર થાય છે. સતત બેસી રહેવાના કારણે કરોડરજ્જુ 120 ડિગ્રી સુધી ઝૂકી જાય છે અને તેના કારણે સામાન્ય માણસ બરાબર સીધો નથી થઈ શકતો. ડોક્ટરોએ માર્ચ 2020થી જૂન 2021 વચ્ચે દર્દીઓ પર આ અભ્યાસ કર્યો છે અને તેમાંથી આ બહાર આવ્યું છે.

અન્ય સમસ્યાઓ

મોટી સંખ્યામાં લોકો આ રોગથી પીડિત છે. જેના કારણે દર્દીઓને પીઠમાં દુખાવો, જ્ઞાનતંતુઓમાં અકડાઈ, શરીરમાં નબળાઈ, ગરદનમાં દુખાવો અને આખા શરીરમાં જકડાઈ જવાની લાગણી થાય છે. જો કે આ સિવાય દર્દીઓને કેટલીક બિમારીઓ થઈ રહી છે, જેમાં તેઓ કમરનો દુખાવો, સ્પોન્ડિલિટિસ, પાછળના ભાગમાં અને સ્નાયુઓમાં દુખાવાથી પીડાય છે.

કેવી રીતે આ સમસ્યાથી બચી શકાય?

એઈમ્સના ઓર્થોપેડિક્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. વિવેક શંકરે કહ્યું કે કામ દરમિયાન વચ્ચે-વચ્ચે ઉઠીને થોડી કસરત કરવી જોઈએ, જેથી આવી બિમારીઓથી બચી શકાય. આ સાથે રોગ ગંભીર બનતા પહેલા જે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, જો તે લોકો થોડું કામ અને કસરત કરતા રહે તો આવા કોઈપણ રોગથી બચી શકાય છે. કેટલાક ઉપાયોથી ઘરેથી કામ કરવા છતા સ્વાસ્થ્યને જાળવી શકાય છે. જેથી સુવિધાની સાથે સ્વાસ્થ્ય પણ મળી રહે છે.

આ પણ વાંચોઃ Weight Loss: વજન ઘટાડીને ફિટ થયા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ચાહકોએ ઈન્સ્ટાગ્રામ પર ટિપ્સ માંગી

આ પણ વાંચોઃ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વડા મુંબઈ સીનિયર ટીમને મળ્યા, અજિંક્ય રહાણેનું કર્યુ સન્માન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">