AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work From Home કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો શું છે કારણ

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરવાને કારણે કરોડરજ્જુ 120 ડિગ્રી સુધી ઝૂકી ગઈ છે અને તેના કારણે સામાન્ય માણસ બરાબર સીધો નથી થઈ શકતો. ડોક્ટરોએ માર્ચ 2020થી જૂન 2021 વચ્ચે દર્દીઓ પર આ અભ્યાસ કર્યો છે.

Work From Home કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો શું છે કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 7:01 PM
Share

કોરોના મહામારી(Corona Pandemic)માં મોટી મોટી કંપનીઓએ પણ વર્ક ફ્રોમ હોમ (Work from home)ની સિસ્ટમ શરુ કરી દીધી. મોટી સંખ્યામાં લોકોને ઓફિસમાં ગાઈડલાઈન(Guideline) સાથે કામ કરાવવું કેટલીક કંપનીઓ માટે શક્ય નથી. જેથી આવી કંપનીઓએ કોરોના(Corona) સંક્રમણ ન ફેલાય તે માટે વર્ક ફ્રોમ હોમની જ શરુઆત કરી દીધી છે. ઘણા લોકો માટે વર્ક ફ્રોમ હોમ ખૂબ જ ફાયદાકારક પણ રહ્યુ છે, પરંતુ વર્ક ફ્રોમ હોમ કરતા લોકોના સ્વાસ્થ્ય માટે આ સિસ્ટમ ખૂબ જ હાનિકારક છે.

અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

તબીબોએ વર્ક ફ્રોમ હોમ કરતા કેટલાક લોકો પર અભ્યાસ કર્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે મોટાભાગના લોકો લાંબા સમય સુધી ખુરશીમાં બેસીને કામ કરે છે અને લેપટોપ મોબાઈલને ખૂબ નજીકથી જોતા હોય છે, જેના કારણે તેમને ઘણું નમવું પડે છે.

આ એવી સ્થિતિ છે જેના કારણે કરોડરજ્જુમાં ઘણો ઝુકાવ આવે છે. તાજેતરના સમયમાં AIIMSના ઓર્થોપેડિક્સ વિભાગમાં આવેલા મોટાભાગના દર્દીઓ એવા હતા કે તેઓને કરોડના હાડકામાં દુખાવાની ફરિયાદ હતી.

માર્ચ 2020થી જૂન 2021 દરમિયાનનો અભ્યાસ

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરતા લોકોની કરોડરજ્જુ પર અસર થાય છે. સતત બેસી રહેવાના કારણે કરોડરજ્જુ 120 ડિગ્રી સુધી ઝૂકી જાય છે અને તેના કારણે સામાન્ય માણસ બરાબર સીધો નથી થઈ શકતો. ડોક્ટરોએ માર્ચ 2020થી જૂન 2021 વચ્ચે દર્દીઓ પર આ અભ્યાસ કર્યો છે અને તેમાંથી આ બહાર આવ્યું છે.

અન્ય સમસ્યાઓ

મોટી સંખ્યામાં લોકો આ રોગથી પીડિત છે. જેના કારણે દર્દીઓને પીઠમાં દુખાવો, જ્ઞાનતંતુઓમાં અકડાઈ, શરીરમાં નબળાઈ, ગરદનમાં દુખાવો અને આખા શરીરમાં જકડાઈ જવાની લાગણી થાય છે. જો કે આ સિવાય દર્દીઓને કેટલીક બિમારીઓ થઈ રહી છે, જેમાં તેઓ કમરનો દુખાવો, સ્પોન્ડિલિટિસ, પાછળના ભાગમાં અને સ્નાયુઓમાં દુખાવાથી પીડાય છે.

કેવી રીતે આ સમસ્યાથી બચી શકાય?

એઈમ્સના ઓર્થોપેડિક્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. વિવેક શંકરે કહ્યું કે કામ દરમિયાન વચ્ચે-વચ્ચે ઉઠીને થોડી કસરત કરવી જોઈએ, જેથી આવી બિમારીઓથી બચી શકાય. આ સાથે રોગ ગંભીર બનતા પહેલા જે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, જો તે લોકો થોડું કામ અને કસરત કરતા રહે તો આવા કોઈપણ રોગથી બચી શકાય છે. કેટલાક ઉપાયોથી ઘરેથી કામ કરવા છતા સ્વાસ્થ્યને જાળવી શકાય છે. જેથી સુવિધાની સાથે સ્વાસ્થ્ય પણ મળી રહે છે.

આ પણ વાંચોઃ Weight Loss: વજન ઘટાડીને ફિટ થયા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ચાહકોએ ઈન્સ્ટાગ્રામ પર ટિપ્સ માંગી

આ પણ વાંચોઃ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વડા મુંબઈ સીનિયર ટીમને મળ્યા, અજિંક્ય રહાણેનું કર્યુ સન્માન

Follow Us
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
g clip-path="url(#clip0_868_265)">