નાળિયેર પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાણીનું સેવન કરવાથી તે તમારા શરીરને સ્વાસ્થ રાખવાની સાથે સાથે તમારા ચહેરા પરની ચમક અને વાળમાં ગ્રોથ માટે પણ ફાયદાકારક છે. નાળિયેર પાણીમાં વિટામિન સી , ખનિજો અને ફાયટોકેમિકલ્સ હોય છે, જેના કારણે નાળિયેરને સુપર ફુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ત્વચાની દરેક સમસ્યાને દૂર કરવા માટે કારગાર સાબિત થાય છે. આ લેખમા આપણે નાળિયેરનું ફેસ માસ્ક કેવી રીતે બનાવવું જોઈએ તે જાણીશું.
નારિયેળનું આ માસ્ક બનાવવું ખૂબ જ સરળ છે. તમારે એક બાઉલમાં નાળિયેરનો તાર લઈને તેમાં ગુલાબજળ મિક્સ કરીને તેને કોટનની મદદથી તમારી ત્વચા પર લગાવો. જ્યારે આ માસ્ક સુકાઈ જાય ત્યારે તેને ફરીથી કોટનની મદદથી ત્વચા પર લગાવો. આવી રીતે આ મિશ્રણને લગભગ 4 થી 5 વાર ચહેરા પર લગાવો. હવે ચહેરો ધોઈ લો અને પછી તેના પર મોઈશ્ચરાઈઝર લગાવો.
નારિયેળ પાણી અને ગુલાબજળમાં રહેલા તત્વો ત્વચાને તરત જ ચમકદાર બનાવવાનું કામ કરે છે. આ મિશ્રણનો સૌથી મોટો ફાયદોએ છે કે તે લગાવવાથી તે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખેશે. જો તમારી ત્વચા હાઇડ્રેટેડ રહેશે તો તેના કારણે જ તમારી ત્વચાના ચમકનું રહસ્ય છે. એટલા માટે તમારે આ નુસ્ખાને અઠવાડિયામાં બે વાર જરૂર ટ્રાય કરવી જોઈએ.
નારિયેળના પાણીમા પોટેશિયમની માત્રા વધારે હોય છે. જેના કારણે તે તમારી ત્વચાને હાઈડ્રેડ અને મોસ્ચ્યુરાઈઝ રાખે છે. નારિયેળ પાણીના આ ગુણના કારણે તે ત્વચામા સીબનના પ્રોડકશનને યોગ્ય રાખે છે. જો તમારા ચહેરા પર પણ ડાર્ક સર્કલ, એકને, કે પીંપલ્સ છે તો આ ફેસ માસ્ક તમારા માટે લાભકારક છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા હોય તો તમે આ માસ્કને અઠવાડિયામાં બે- ત્રણ વાર ટ્રાય કરી શકો છો
ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો
Published On - 1:13 pm, Fri, 30 December 22