ચહેરા અથવા શરીરની ત્વચાની સંભાળ રાખવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેમાંથી એક એક્સફોલિયેશન છે. એક્સ્ફોલિયેશનનો એક મહત્વપૂર્ણ ભાગ ત્વચાને સ્ક્રબ કરવાનો છે. સ્ક્રબ કરવાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે અને તે સારી રીતે ગ્લો કરે છે. આ સાથે સ્ક્રબ કરવાથી ત્વચા (Skin) અંદરથી સ્વસ્થ પણ બને છે, કારણ કે આ પદ્ધતિ જમા થયેલી ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે. ઘણી વખત લોકો ઘણા મહિનાઓ સુધી સ્ક્રબ ન કરવાની ભૂલ કરે છે, કારણ કે લોકો એવું માને છે કે વારંવાર સ્ક્રબ કરવાથી ત્વચા ખરાબ થઈ જાય છે. નિષ્ણાતોના મતે સ્ક્રબ (Scrub) ન કરવાને કારણે ત્વચાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ધૂળ, માટી અને પરસેવાના કારણે છિદ્રોમાં ગંદકી જમા થાય છે અને ધીમે ધીમે આ ગંદકી નિસ્તેજ થવા લાગે છે અને પિમ્પલ્સ અથવા ખીલનું સ્વરૂપ લઈને ત્વચાને નુકસાન પહોંચાડે છે. તેથી ચહેરા અથવા શરીરની ત્વચાને સ્ક્રબ કરવી જરૂરી છે. જો તમે બોડી સ્ક્રબ માટે ઘરેલું ઉપાય અજમાવો છો તો તમે તેમાં ચોખાનો લોટ પણ સામેલ કરી શકો છો. તેમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. અમે તમને આ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
કમર પરના ખીલ દૂર કરવા માટે ચોખાનો લોટ લો અને તેમાં થોડું મધ મિક્સ કરો. આ બંનેને સારી રીતે મિક્સ કર્યા પછી કમર અને હાથ-પગનું સ્ક્રબિંગ કરો. જ્યારે ચોખાનો લોટ ગંદકી દૂર કરશે તો મધ ત્વચાને કોમળ બનાવવાનું કામ કરશે. મધમાં રહેલા પોષક તત્વો ત્વચાને પોષણ પણ આપશે. સ્કીન સ્પેશિયાલિસ્ટના મતે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર બોડી સ્ક્રબ કરવું જોઈએ.
એક બાઉલ લો અને તેમાં બે ચમચી ચોખાનો લોટ નાખો. તેમાં ત્રણ ચમચી બટેટાનો રસ ઉમેરીને સ્ક્રબ તૈયાર કરો. હવે હાથ, પગ અને કમરને સ્ક્રબિંગ કરો. જો તમે ઈચ્છો તો આ તૈયાર મિશ્રણનો ઉપયોગ ચહેરા પર પણ કરી શકો છો. બટાકાનો રસ ત્વચા પરની ટેનિંગ દૂર કરી શકે છે.
એલોવેરા જેલમાં હાજર એન્ટીસેપ્ટિક અને એન્ટિબેક્ટેરિયલ ગુણ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે. ચોખા અને એલોવેરામાંથી બનાવેલ સ્ક્રબ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકે છે. ચોખાના લોટમાં બે ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને શરીર પર સ્ક્રબ કરો. સ્ક્રબ કર્યા પછી તેને ત્વચા પર થોડી વાર રહેવા દો અને પછી સ્નાન કરો. પછી શરીરને મોઈશ્ચરાઈઝ કરવાનું ભૂલશો નહીં.
આ પણ વાંચો :દહેજના ઉદ્યોગો માટે જમીન સંપાદન બાદ ગૌચર અને રોજગારીના વાયદા પૂર્ણ ન થતા ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા
આ પણ વાંચો :આ સરકારી યોજના હેઠળ સરકાર તમારા ખાતામાં દર મહિને રૂપિયા 5000 જમા કરી રહી છે, જાણો વિગતવાર