સુકામેવામાં(Dry Fruit ) તમે અખરોટ (Walnut )તો ખાધુ જ હશે અને તમને એ પણ ખબર હશે કે તેને ખાવા માટે તોડવું જેટલું મુશ્કેલ છે પણ તે અંદરથી જ તેટલું જ સ્વાદિષ્ટ (Tasty )પણ છે. સૂકા મેવામાં અખરોટ સૌથી સ્વાસ્થ્યવર્ધક ડ્રાય ફ્રુટ્સમાંનું એક છે અને તે દરેકને ભાવતો સૂકો મેવો છે, પછી તે બાળકો હોય કે મોટી ઉંમરના લોકો. તમે એ પણ જોયું હશે કે ઘણીવાર અખરોટને તોડીને તેનો મેવો કાઢીને તેની છાલને ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અખરોટની છાલ જેને આપણે કચરા તરીકે ફેંકી દઈએ છીએ, તેનાથી ત્વચાની ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકાય છે. આજકાલ, વ્યસ્ત જીવનશૈલીમાં, આપણે આપણા સ્વાસ્થ્ય અને ત્વચાની સારી રીતે સંભાળ રાખી શકતા નથી, જેના કારણે આપણી ત્વચા દિવસે ને દિવસે સતત ખરાબ થતી જાય છે. આવી સ્થિતિમાં, તમારે કેટલીક એવી ઘરેલું ટેક્નિક પણ જાણવી જોઈએ, જેની મદદથી તમે ઘરે જ ત્વચાની આ સમસ્યાઓ દૂર કરી શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે અખરોટની છાલથી ત્વચાને કયા કયા ફાયદા મળે છે.
જો તમારી ત્વચા ઓઈલી અથવા ચીકણી છે તો અખરોટની છાલ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર અખરોટની છાલને પીસીને ફેસ માસ્ક બનાવી શકો છો અને ચહેરા પર તેને લગાવીને આ સમસ્યાને દૂર કરી શકો છો.
અખરોટની છાલ પણ ખીલ ગ્રસ્ત સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. અખરોટની છાલનો પાવડર સ્કિનના છિદ્રોને ખોલે છે, જેનાથી ફાયદો થાય છે અને ત્વચા પર ખીલ જેવી સમસ્યાઓ ઓછી થાય છે.
અખરોટની છાલ પણ સ્કિનને સુધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં આવા ઘણા તત્વો મળી આવે છે, જે આંખોની નીચે અને ચહેરા પરના ડાર્ક સ્પોટ અને ડાર્ક સર્કલ ઘટાડવાનું કામ કરે છે.
સૌથી પહેલા અખરોટની છાલ લઈને તેને સારી રીતે પીસી લો અને તેને પીસીને ઝીણો પાવડર બનાવી લો. હવે એક ચમચી અખરોટની છાલના પાવડરમાં 2 ચમચી ગુલાબજળ, અડધી ચમચી મધ અને એક ચમચી ઓલિવ ઓઈલ મિશ્રિત કરો. એક ચમચીની મદદથી આ તમામને સારી રીતે મિક્સ કરો. હવે તમારો ફેસ પેક તૈયાર છે.
સૌ પ્રથમ, તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો અને પછી સુતરાઉ કપડાથી ચહેરાને સારી રીતે સુકાવો. હવે ચોખ્ખા હાથની મદદથી તેને તમારા મોં, આંખો અને નાકની સુરક્ષા કરીને ચહેરા પર આ માસ્કને લગાવો અને તેને સૂકવવા દો. પણ ધ્યાન રાખો કે લગાવતી વખતે તેના લેયરને ક્યાંયથી પણ પાતળું ન રાખો. તેનું લેયર જેટલું ગાઢ હશે તેટલો ફાયદો તમને મળશે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)