AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walnut Cultivation: અખરોટની ખેતીથી ચમકી રહ્યું છે ખેડૂતોનું નસીબ, થાય છે અઢળક કમાણી

Walnut Cultivation in Kashmir: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરનું પાંચારી ગામ ખેડૂત પ્રધાન વિસ્તાર ગણાય છે. અહીંના ખેડૂતો અગાઉ પરંપરાગત ખેતી પર નિર્ભર હતા પરંતુ થોડા સમયથી અખરોટની ખેતીથી લાખોનો નફો મેળવી રહ્યા છે.

Walnut Cultivation: અખરોટની ખેતીથી ચમકી રહ્યું છે ખેડૂતોનું નસીબ, થાય છે અઢળક કમાણી
walnut Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 1:05 PM
Share

કેન્દ્ર સરકાર ખેડૂતોની (Farmers) આવક બમણી કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે. આ માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ ચલાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi) આગામી સમયમાં ખેડૂતોની આવક વધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવા પર પણ ભાર આપી રહ્યા છે. આ માટે આવી ઘણી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. જેથી ખેડૂતો નફાકારક પાક લેવાની આદત કેળવી શકે.

જમ્મુ -કાશ્મીરમાં ખેડૂતો મોટા પાયે સફરજનની ખેતી કરે છે. પરંતુ થોડા વર્ષોથી ત્યાંના ખેડૂતોમાં લવંડર અને અખરોટની ખેતીનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. એવા ઘણા ખેડૂતો છે જે પરંપરાગત ખેતી સિવાય અખરોટની ખેતીમાંથી Walnut Cultivation) સારો નફો મેળવી રહ્યા છે. જમ્મુ -કાશ્મીર સરકારનો બાગાયત વિભાગ ખેડૂતો માટે આ પાકની નવી ટેક્નિકને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરનું પાંચારી ગામ ખેડૂત-પ્રભુત્વ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. અગાઉ અહીંના ખેડૂતો પરંપરાગત ખેતી પર નિર્ભર હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ અખરોટની ખેતીથી લાખોનો નફો મેળવી રહ્યા છે. સરપંચે જણાવ્યું હતું કે, જે રીતે તેમણે અમને મદદ કરી તે માટે અમે બાગાયત વિભાગના આભારી છીએ. આજે આ ગામના સેંકડો લોકોની આજીવિકા અખરોટની ખેતી પર નિર્ભર છે. ભૂમિહીન ખેડૂતો અને મજૂરોને પણ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અમે સરકાર પાસેથી માંગ કરીએ છીએ કે નજીકમાં અમારા માટે સ્ટોર અથવા બજાર ખોલવામાં આવે જેથી અમે અમારા ફળો સરળતાથી વેચી શકીએ અને ખર્ચ પણ નીચે આવે.

અખરોટની ખેતી પર્વતીય વિસ્તારોમાં થાય છે અને ઠંડીની ઋતુ તેના માટે એકદમ યોગ્ય ગણાય છે. વાવેતરના થોડા મહિના પહેલા ખેડૂત ભાઈઓ નર્સરી અને કલમ પદ્ધતિ દ્વારા રોપાઓ તૈયાર કરવાનું શરૂ કરે છે. રોપાઓ તૈયાર કર્યા બાદ તેના ખેતરોમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં રોપણી શરૂ કરવામાં આવે છે.

ઘણા સંશોધનોમાં આ હકીકતો બહાર આવી છે કે અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર રહેલું છે. આ તમામ ખનીજ શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી કરે છે. આ સાથેઅખરોટ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :Aryan Drug Case : આર્યન ડ્રગ્સ કેસના તાર નેપાળ સુધી ! બિહાર જેલમાં બંધ આ 2 ડ્રગ્સ સ્મગલરોની NCB કરશે પૂછપરછ

આ પણ વાંચો : લો બોલો.! રાજ્યમાં GST ચોરીમાં અમદાવાદ-સુરત અવ્વલ નંબરે, આટલા હજાર કરોડનું બોગસ બિલિંગ પકડાયું

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">