કેન્દ્ર સરકારની સૌથી મોટી કાર્યવાહી, અલગાવવાદી નેતા યાસિન મલિકના સંગઠન JKLF પર પ્રતિબંધ
પુલવામામાં આતંકી હુમલા બાદ સરકાર હરકતમાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં વિવિધ અલગાવવાદી નેતાઓની ધરપકડ બાદ હવે તેના સંગઠનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. TV9 Gujarati આતંકવાદ સામેની લડાઈમાં સરકારે શુક્રવારના રોજ એક મોટો ફેંસલો લીધો છે. જમ્મુ-કશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકના સંગઠન પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કશ્મીર લિબરેશન ફ્રંટ પર સરકારે પ્રતિબંધ […]

પુલવામામાં આતંકી હુમલા બાદ સરકાર હરકતમાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં વિવિધ અલગાવવાદી નેતાઓની ધરપકડ બાદ હવે તેના સંગઠનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આતંકવાદ સામેની લડાઈમાં સરકારે શુક્રવારના રોજ એક મોટો ફેંસલો લીધો છે. જમ્મુ-કશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકના સંગઠન પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કશ્મીર લિબરેશન ફ્રંટ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. કેબિનેટની સુરક્ષા બેઠકમાં આ ફેંસલો લેવામાં આવ્યો છે. સરકારે આતંકવાદી વિરોધી કાનૂનને લઈને આ સખ્ત કાર્યવાહી કરી છે.
કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગોબાએ જણાવ્યું કે સરકારે ગેરકાનૂની ગતિવિધિરોધક અધિનિયમ, 1967ને આધારે જમ્મુ કશ્મીર લિબરેશન ફ્રંટને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આ કદમ ભારત સરકારે આતંકવાદીઓ સામે ઝિરો ટોલેરન્સ નીતિને લઈને ઉપાડ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]