જાણો કોણ છે અજય રાય જેમને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વારાણસી બેઠક પરથી ટિકીટ આપી છે!

|

Apr 25, 2019 | 10:55 AM

કોંગ્રેસે અટકળોનો અંત લાવી દીધો છે અને ફરીથી પ્રિયંકા ગાંધી વાડ્રાની વારાણસીથી ચૂંટણી લડવાની ચર્ચાઓ પર પાણી ફેરવીને અજય રાયને વારાણસી બેઠક પરથી ટિકીટ આપી છે.  છેલ્લાં એક મહિનાથી કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વારાણસી બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રાને ટિકીટ આપી શકે છે. આ તમામ અટકળોનો અંત લાવીને કોંગ્રેસ પાર્ટીએ અજય રાયને […]

જાણો કોણ છે અજય રાય જેમને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વારાણસી બેઠક પરથી ટિકીટ આપી છે!

Follow us on

કોંગ્રેસે અટકળોનો અંત લાવી દીધો છે અને ફરીથી પ્રિયંકા ગાંધી વાડ્રાની વારાણસીથી ચૂંટણી લડવાની ચર્ચાઓ પર પાણી ફેરવીને અજય રાયને વારાણસી બેઠક પરથી ટિકીટ આપી છે. 


છેલ્લાં એક મહિનાથી કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વારાણસી બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રાને ટિકીટ આપી શકે છે. આ તમામ અટકળોનો અંત લાવીને કોંગ્રેસ પાર્ટીએ અજય રાયને પોતાના ઉમેદવાર વારાણસીથી બનાવ્યા છે જે હવે નરેન્દ્ર મોદીને ટક્કર આપશે.

કોણ છે અજય રાય?

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અજય રાયને જ મોદીની સામે વારાણસી બેઠક પરથી ટિકીટ આપી હતી. અજય રાય તે સમયે 75,614 વોટ મેળવીને ત્રીજા નંબર પર રહ્યાં હતા જ્યારે વડાપ્રધાન મોદીને પ્રથમ સ્થાને વિજેતા તરીકે 5,81,022 વોટ મળ્યાં હતા તો બીજા સ્થાને અરવિંદ કેજરીવાલને 2,09,238 વોટ મળ્યા હતા.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

TV9 Gujarati

 

અજય રાય 5 વખત ધારાસભ્ય રહી ચૂકયાં છે. તે પહેલાં તો ભાજપમાં જ હતા પણ 2009માં વારાણસીમાં તેમની જગ્યાએ મુરલી મનોહર જોશીને ટિકીટ આપવામાં આવી જેના લીધે તેમણે ભાજપ પાર્ટી છોડી દીધી હતી. બાદમાં અજય ભાજપ પાર્ટીને અલવિદા કહીને સમાજવાદી પાર્ટી સાથે જોડાઈ ગયા હતા. તેમાં પણ તે ત્રીજા નંબરે રહ્યાં હતા. તે પછી અજય રાયે સમાજવાદી પાર્ટીને પણ છોડી દીધી અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. ધારાસભ્ચ બન્યા બાદ તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે જોડાઈ ગયા હતા.

અજય રાય ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા છે અને તેમની પર ઘણાંબધાં અપરાધના મામલાઓ પણ છે. જેના લીધે ભાજપે કેટલીક વખત તેના પર નિશાન પણ તાક્યું છે. આમ અજય રાય પર કોંગ્રેસ હાઈકમાન્ડે  ફરીથી પોતાના ભરોસો દાખવ્યો છે અને પ્રિયંકાની જગ્યાએ અજય રાયને જ ટિકીટ આપી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article